SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ શ્રી આનંદઘનજીનાં પદો #૫દ એકતાળીસમું રાગ-વેરાવલ અથવા મારુ. पीया विन xसुद्ध बुद्ध भूली हो, +आँख लगाई दुःखमहेल के, ગણે છૂટી . પીયા ? પતિ વગર ભાનસાન ભૂલી ગઈ છું. (પતિવિરહરૂપ) દુઃખ મંદિરના ઝરુખે ઊભી રહી) આંખ લગાડી-લગાડીને ઝૂલઝલીને જોઉં છું.” ભાવ-ઉપરના પદમાં શુદ્ધચેતનાના પતિનું સ્વરૂપ બતાવ્યું. પ્રત્યેકઆત્મસ્વરૂપે તેને અજર અમર નિત્યાનિત્ય વિગેરે લક્ષણ યુક્ત બતાવી તેનું વ્યક્તિત્વ સર્વદા રહે છે એ સમજાવતાં સાથે બતાવી આપ્યું કે એવા ચેતનજી શુદ્ધચેતનાના હૃદયવલ્લભ છે અને તે તેને બહુ મીઠા લાગે છે. એવા પતિએ આ શુદ્ધચેતનાના હૃદય પર એવું કામણ કર્યું છે કે તેના વગરની બીજી કેઈ ગેછી ચેતનાને ગમતી નથી. આ સર્વ હકીકત આપણે આગલા પદના અર્થમાં સવિસ્તર જોઈ છે. હવે શુદ્ધચેતના કહે છે કે આવા મારા પતિ શુદ્ધ નિરંજન નાથ, માયામમતાની જાળમાં ફસાઈ જઈ મારે મંદિરે પધારતા નથી, મારી સાથે પ્રેમ જોડતા નથી, મને બોલાવતા પણ નથી અને અગાઉ અનેક વાર બતાવ્યું છે તેમ કુલટા સ્ત્રીઓની સંગતમાં આનંદ માને છે, તેમાં રસ લે છે અને તેમાં સુખ સમજે છે. મેં તેઓની અનેક રીતે પ્રાર્થના કરી, સીધી તથા આડકતરી રીતે તેઓને વસ્તુસ્વરૂપ સમજાવવા પ્રયત્ન કર્યો, દૂતીઓ સાથે કહેવરાવ્યું, મારી સખીઓ તથા અનુભવમિત્રે તેઓને ચોગ્ય માર્ગ પર આવી જવા પિતાના તરફથી પણ ભલામણ કરી, પણ મારા નાથ હજુ મારી પાસે આવતા નથી, મને ખળામાં બેસાડતા નથી, મારી વિરહાવસ્થા દૂર કરતા નથી. આવા શુદ્ધ સ્વરૂપે અમૂલ્ય ગુણના ભંડાર મારા નાથના અસહ્ય વિરહથી હવે તે હું મારું ભાનસાન ભૂલી ગઈ છું, વિસરી ગઈ છું અને અવ્યવસ્થિત રીતે અસ્તવ્યસ્ત દશામાં ફરું છું. મારા પતિ ઘણું વખતથી મારે મંદિરે પધાર્યા નથી, મને યાદ પણ કરતા નથી, પરંતુ હવે મેં તેઓશ્રીને બહુ રીતે કહેવરાવ્યું છે તેથી તેઓ મારે મંદિરે આવશે એમ આશા રાખું છું. આ કારણને લઈને મારા પતિના વિરહરૂપ દુઃખમહેલમાં * આ પદને રાગ આડત્રીશમાં તથા બાસઠમા પદ પ્રમાણે છે. લગભગ આવા જ ભાવાર્થનું પણ જુદી હકીકતનું બાસઠમું પદ આગળ આવશે, તેનો અર્થ પણ વિચારવા યોગ્ય છે. ૪ સદ્ધ અને સ્થાને બે પ્રતમાં તથા રબામાં “ સુદ્ધિબુદ્ધિ' પાઠાન્તર છે, તેના અર્થ માટે વિવેચન જુઓ. + “આંખી લગઈ” એ પાઠ એક પ્રતમાં છે, અર્થમાં ફેર પડતો નથી. ૧ પીયા=પતિ. બિન-વગર સુદ્ધ બુદ્ધ=ભાનસાન, જાગૃતિ, ભૂલીવીસરી ગઈ. ઝરુખે ગોખે. બારીએ. લીટીંગાઈને જોઈ રહી. ( આ શબ્દનો અર્થ મારવાડમાં હાઈ એમ થાય છે, તે માટે વિવેચન જુઓ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy