SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીસમું પદ ૪૨૯ મેળવવા ઈચ્છા થાય તેમ છે આપના સર્વજ્ઞકથિત સ્વરૂપ સિવાય અન્ય સર્વ લેક મને ખાટા લાગે છે અને અન્યથા બતાવેલ સ્વરૂપવાળા મારા પતિ હોય તે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તે તદ્દન નિષ્ફળ લાગે છે. આ પ્રમાણે હેવાથી કદર્શિત પતિને સલામ છે, મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ મને ઓળખતા નથી જાણતા નથી અને તેઓની પેટી માન્યતા પ્રમાણે મને તેઓ કદિ પણ જાણે એમ લાગતું નથી. મારા પતિ વગરને આખો સંસાર મારે મન અસ્તવ્યસ્ત છે, વ્યવસ્થા વગરને છે અને પુણ્ય નિર્જરા આદિ માટે નિષ્ફળ છે તેથી ન્યાય વગરને છે; માટે હું તે જે આનંદઘન પતિના શાસનમાં પ્રત્યેક આત્મવાદ પ્રવર્તે છે તેવા મારા પતિને-આનંદઘન નાથને પિકાર કરીને કહું છું કે-વહાલા ! મારા મંદિરે પધારે, મારા હૃદયને કબજે લે અને આપના હૃદયમાં મને મારું યોગ્ય સ્થાન આપે. આત્મસ્વરૂપ સમજવા બહુ પ્રયાસ કરવાની જરૂર છે. અન્ય મતમાં બતાવેલ અને સર્વજ્ઞમાર્ગમાં બતાવેલ આત્મસ્વરૂપ અત્ર ચિતરવામાં આવ્યું છે, તેને હેતુ માત્ર તે જાણવાની જિજ્ઞાસા ઉશ્કેરવાને છે. આવા નાના પુસ્તકના નાના પદમાં આત્મસ્વરૂપ એક દર્શનનું પણ પૂરું બતાવી શકાય નહિ, તે પછી સર્વ દર્શનકારેના ભિન્ન ભિન્ન મતે બતાવી તેઓને એકવરૂપે ઘટાવવા પ્રયત્ન કરવો એ તદ્દન અશક્ય જેવું જ છે, પરંતુ આટલા લઘુ ઉલ્લેખથી જણાયું હશે કે–ચેતનજી સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવાની ખાસ જરૂર છે, તેને માટે સર્વ દર્શનકારેએ પ્રયાસ કર્યો છે અને તે સર્વમાં સફળ પ્રયત્ન જે કઈ પણ દર્શનકારે કર્યો હોય તે તે કોણે કર્યો છે? જ્યાં અરસપરસ વિરોધ ન આવે એવું એક સર્વજ્ઞદર્શન જ છે. એક જ ગ્રંથમાંથી ઉદ્ધરેલ આત્મવાદ અનેક ગ્રંથમાં જુઓ તે એક સરખે-મળો જ આવે છે, એવા સર્વજ્ઞકથિત માર્ગનું સ્વરૂપ વિચારી-સમજી આત્મજ્ઞાન મેળવવા ખાસ પ્રયત્ન કરવો યોગ્ય છે. આપણે વિજ્ઞાનની અનેક વાતો જાણવા ઈરછીએ, તિષ ગ્રહ નક્ષત્રાદિની ગતિને વિચાર કરીએ. માનવ ધર્મશાસ્ત્રનાં પાનાં ફેરવી જઈએ અને આપણે પોતે કોણ છીએ? અને એ જાણનાર કેણુ છે? એને જ સ્પષ્ટ ખ્યાલ પણ ન હોય તે પછી પ્રયત્નનું સાધ્ય લક્ષ્યમાં રહેતું નથી અને અન્યને વિચાર કરતાં સ્વતરફની ફરજ વિસરી જવાય છે. આટલા ઉપરથી સ્વનું જ્ઞાન કરવા, તેને ઓળખવા અને તેનું સત્ય સ્વરૂપ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા આગ્રહપૂર્વક સૂચના કરી અત્ર વિરમીએ છીએ. આ પદને અને પરમસહિષ્ણુતાના શ્રી આનંદઘનજીના રૂઢ વિચારેને કોઈ પણ પ્રકારને વિરોધ નથી તે ઉપર અગાઉ વિવેચન થઈ ગયું છે. હવે આવા પતિ ચેતનાને સ્વીકાર કરી, તેને વિરહ મટાડતા નથી તેથી ચેતનાની કેવી દશા થાય છે તે પર શ્રીઆનંદઘન મહારાજ હવે પછીના પદમાં વિવેચન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy