SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ શ્રી આનંદઘનજીનાં પદો પતિ વગર મારી બુદ્ધિ હવાડાના ખાળી જેવી છે. બીજા સર્વને સલામ કરીને આનંદઘન પતિને પિકાર કરું છું.” ભાવ-પતિ વગરની મારી બુદ્ધિ હવાડાના ખાળી જેવી છે. ઊઘાડા ખાળીમાંથી જેમ હવાડાનું સર્વ પાણી ચાલ્યું જાય તેમ મને તેઓ નુકશાન કરનારી અને અકકલ વગરની ગણે છે. મને કઈ કશી ગણત્રીમાં ગણતું નથી અને મારી કઈ દરકાર કરતું નથી, તેથી તે મારા નાથ ! હું સર્વને સલામ કરીને તમને પકાર કરું છું અને કહું છું કે-હે નાથ ! મારે મંદિરે પધારો અને મારી વિરહવ્યથા શાંત કરો. આ વ્યવહારુ અર્થ છે. એમાં શુદ્ધચેતના પતિ વગરની પિતાની સ્થિતિના કફોડાપણાનો નિર્દેશ કરી આનંદઘનને પિકાર કરે છે. આ ગાથાને આધ્યાત્મિક ભાવ વિચારતાં કેટલેક ભાવ એ પ્રાપ્ત થાય છે કે જેને વિચાર સાધારણ રીતે આવો મુશ્કેલ છે. કાંઈક ભાવ સંદિગ્ધ પણ રહે છે. ઢોરને પાણી પાવા માટે હવાડે કરવામાં આવે છે. તેને નીચે ખાળીઓ હોય છે. તે ઊઘાડે મૂકે તે તેમાંથી પાણી ચાલ્યું જાય છે એટલે હવાડો કદિ પૂરો ભરાતું જ નથી. એ ખાળીઆને ઊઘાડે મૂકવાથી ઉપગ વગર પાણું નકામું ચાલ્યું જાય છે અને કઈ પણ ઉપયોગમાં આવતું નથી, તેવી રીતે પ્રત્યેકઆત્મવાદ વગર બીજા સર્વ વાદમાં અનેક દર્શનકારોના મતમાં ક્રિયા વિગેરે કરવામાં આવે તે ખાળેથી ચાલ્યાં જાય છે, ઉપગ વગરનાં બને છે. આત્માનું વ્યક્તિત્વ જ નાશ પામી જાય ત્યાં પછી ક્રિયા કરનાર કેશુ? કરવાનું કારણ શું ? તેને હેતુ શું? કરવાની ગરજ, હાંશ કે ઈરછા કોને ? જ્યાં પાણી અંદર રાખી મૂકવાની જરૂર જ ન હોય ત્યાં પછી ખાળે ડૂચે કેણ દે? અને દેવાની આવશ્યક્તા પણ શું હોય? ક્રિયા કરી આત્મધન એકઠું કરવાને કઈ પણ હેતુ કે સાધ્ય ન રહેવાથી તે કરવાને કઈ વિચાર કરે તે તેને મૂર્ખ ગણવામાં આવે, કારણ કે પ્રયોજન વગર તે મંદ પણ પ્રયાસ કરતા નથી અને અહિં ક્રિયા કરવાનું કોઈ પણ પ્રોજન રહેતું નથી. અથવા પતિ વગરની મારી બુદ્ધિ ખાળીઓ ખુલ્લે રાખી અવાડામાં પાણી ભરવા જેવી મિથ્યા છે, નિષ્ફળ છે. ઉપરથી પાણી ભરે કેણ ? શામાટે ભરે ? નીચેથી પાણી ચાલ્યું જાય છે તે જુએ કેણુ? જોઈને પણ આડે ડાટ દેવાની જરૂર ને રહે ? સર્વ નિષ્ફળ પ્રયત્ન કણ કરે ? તાત્પર્ય એ છે કે પ્રત્યેક આત્મવાદ વગર કરેલાં પુણ્ય પાપનું અથવા નિર્જરાનું વાસ્તવિક ફળ મળતું નથી અને તેથી શુભ કરણી કરવા તરફ ધ્યાન પણ રહેતું નથી, આકર્ષણ પણ થતું નથી. આ પ્રમાણે હેવાથી આનંદઘન નાથ ! હું તે તમને જ પિકારું છું, તમારા જ નામ જાપ કરું છું અને તમે મારે મંદિર પધારે એવી પ્રાર્થના કરું છું. આપની સાથે મારો સંબંધ થાય તે અનંતકાળ ચાલે તે છે અને તે આપનું વ્યક્તિગત સ્વરૂપ સમજી પ્રત્યેક આત્મવાદ સ્વીકારે તેને જ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy