________________
ચાલીસમું પદ પિતાની પાસે જ છે, ગુપ્ત છે તેને પ્રગટ કરવાનું છે, અન્ય પાસે ઉઘરાણી કરવાની છે જ નહિ અને ઉઘરાણી કરવાથી એવી આધ્યાત્મિક વસ્તુઓ મળી જાય એવી માન્યતા રાખવી એ પણ બેહંદુ જ છે. પ્રભુ એવી વસ્તુઓ લઈને બેસી રહેલા નથી અને બેસી રહેલા હોય તે તેની વધારે વખત તમારી પાસે ઉઘરાણી કરાવે અને તમને રગાવી-રગાવીને પછી તે આપે એ વાત પણ ઈશ્વરસ્વરૂપને ઝાંખપ લગાડનારી છે. શુભ કાર્યના શુભ ફળ જરૂર મળશે અને છેવટે કર્મને વિલય થતાં સચ્ચિદાનંદસ્વરૂપ પ્રાપ્ત થશે. એ હાલ પણ તમારી પાસે જ છે, તમે તેને ઓળખતા નથી, પીછાનતા નથી, જોતા નથી; એક વખત તે જાણ્યા પછી અન્ય પાસે ઉઘરાણી કરવામાં રહેલું જોખમ અને પાછા પડવાને સંભવ તમને સારી રીતે જણાશે. રોકડું નાણું તે જ નાણું કહેવાય અને તમારા આત્મસ્વરૂપમાં તે રોકડ જ છે, ઉઘરાણી કરવાની છે જ નહિ–એ વાત બરાબર ધ્યાનમાં રાખી સમજી વિચારી લે. પ્રચ્છન્ન ગુપ્ત રોકડ નાણું તમારી પાસે ઘણું છે. તેને હવે પ્રગટ કરી ફરતું કરી દેવાનો પ્રયાસ કરે, નાણાં ઉપરને કચરે-માટી કાઢી નાખો અને નિરંતરનું સુખ પ્રાપ્ત કરે. એ સર્વ તમને પ્રત્યેક આત્મવાદમાં–ચેતનના અનંત જ્ઞાન, દર્શનાદિ સ્વરૂપમાં પ્રાપ્તવ્ય છે, અન્યત્ર નથી એ વાત બરાબર વિચાર, ન સમજાય તે બરાબર અભ્યાસ કરે
આ ગાથામાં ગતિ અને ઉઘરાણી પર જે ભાવ મૂકયે છે તે બરાબર સૂક્ષમ દૃષ્ટિથી વિચારવા યોગ્ય છે. એમાં પતિવ્રતા સ્ત્રીના ગમન અને ઉઘરાણીને ચેતનની ઉત્કાન્તિ અને સ્વરૂપ સાથે જે સાદ્રશ્ય બતાવ્યું છે તે બહુ બોધ આપનાર છે. “નાણું ખરું રેક” અથવા “નાણું તે જે રેક” એ વ્યવહારિક સિદ્ધાન્ત અથવા કહેવતનો અત્ર એવી સારી રીતે ઉપગ કરવામાં આવ્યું છે કે તેને ભાવ વિચારતાં આધ્યાત્મિક અનેક બાબતેના ખુલાસા થઈ જાય છે. ઘણીખરી વાર ઉઘરાણીના ઉપર આધાર રાખી વ્યાપારી પિતાની મૂડી ગણે છે પણ એ ઉઘરાણીનાં નાણું ઘણું વાર ખોટાં થયેલાં હોય છે, જરૂર વખતે કામ આવતાં નથી અને છતે નાણે નાદાર બનાવે છે અને અહીં તે ધીરેલ નાણું ન હોવા છતાં ઉઘરાણું કરવી છે, એને વાસ્તવિક રીતે દયા અથવા ભિક્ષા માગવાના અર્થમાં જ સમજવી જોઈએ. ઉઘરાણીવાળા તગાદ કરી શકે છે તે યાચના કરનારથી બની શકે જ નહિ. આમ સમજી પ્રચ્છન્ન નાણું પ્રગટ કરવા પ્રબળ પુરુષાર્થ કરે. कंत विण मति माहरी, *अवाहडानी बोक; धोक द्यु आनंदघन, अवरने टोक. मीठडो०४
* અવાહડાની શબ્દને બદલે છાપેલ પ્રતમાં “અહવાડાની’ એમ શબ્દ છે. સર્વ પ્રતોમાં અવાહડા શબ્દ છે. તેનો અર્થ હવાડો હોવો જોઈએ એમ ધારું છું, પણ મને અર્થ બતાવ્યું ત્યારે આ પાઠાંતર નહોતો, માત્ર છાપેલ બુક જ પાસે હતી તેથી અવાહડાનો અર્થ મેં હવાડે જ રાખે છે.
* ટોકને બદલે છાપેલ બુકમાં ‘ક’ શબ્દ છે, બન્ને શબ્દના અર્થ સંદિગ્ધ છે.
૪ કંત પ્રત્યેક આત્મવાદરૂપ પતિ. વિણ=વગર. મતિ-બુદ્ધિ. અવાહડા=પાણીને હવાડે બેક=હવાડાની નીચેના ખાળીઓ ધોક=પકાર ઘ=કરું છું અવરને બીજાને, અન્યને. ટોક છોડી દેવા, સલામ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org