SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીનાં પદો લેહચુંબક, વિજળી વિગેરેમાં બળ આવે છે તેમ એક પ્રકારનું બળ-શક્તિ ઉદ્દભવે છે એમ માને છે અને ચિતન્ય કે તે યુક્ત આત્માને જુદે પદાર્થ જ માનતા નથી. તેને તે આ ભવમાંથી અન્ય ભવમાં જવું આવવું કાંઈ થતું નથી. અમુક સમય પછી પંચભૂતને વિલય થતાં ભૂત ભૂતમાં મળી જાય છે. મૃત શરીરમાં પંચ ભૂત વિદ્યમાન હોવા છતાં ચેતના કેમ દેખાતી નથી? અને અહીં સુખદુઃખ શા કારણથી મળે છે ? અને અહીં કરેલા શુભાશુભ કાર્યોનું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તેને તેઓ ખુલાસે આપી શક્તા નથી અથવા આપે છે તે તે સતેષકારક થતું નથી. તેઓના મત પ્રમાણે ચારે ગતિ નકામી છે અથવા એક ભવમાંથી અન્યત્ર ચારે ગતિમાં દેવ–મનુષ્ય-તિર્યંચ અને નારકીમાં- ત્યાગતિ કર્માનુસાર થાય છે એ વાત અસંભવિત છે. અન્ય દર્શનકારામાં આત્માને પ્રત્યેકવાદ ન હેવાથી ગમે તેટલી ક્રિયા કરી, એગ કરી, ધ્યાન કરી, કષ્ટ તપ કરી આત્માને જ્યારે પરમ શાંતિ મળવાને પ્રસંગ આવે છે ત્યારે તેના વ્યક્તિત્વને જ નાશ થાય છે, તે બીજા સર્વવ્યાપી આત્મા સાથે મળી જઈ વ્યક્ત-સ્પષ્ટ રીતે રહેતા નથી. આથી ચારે ગતિમાં ગમન કરી આત્માની ઉત્કાતિ કરાવવાનો જે મહાન પ્રયાસ-પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે છે તે સર્વ વ્યર્થ થાય છે, અર્થ વગરને થાય છે, પરિણામ વગરને થાય છે. વળી વિશ્વના સર્વ આત્માને એક માનવામાં આવે ત્યારે વાસ્તવિક રીતે ચારે ગતિમાં જનાર–ભમનાર કેણ રહ્યું ? તે પણ એક કૂટ પ્રશ્ન છે. આથી આવી માન્યતાવાળાની ચારે ગતિ ફેકટની થાય છે અથવા ચારે ગતિમાં ભ્રમણ કરી ઉલ્કાપિત કરવાના પ્રયાસ નકામે જ છે એમ સ્પષ્ટ સમજાય છે. કેટલાક માને છે કે દુનિયામાં આપણું ધાર્યું કાંઈ થવાનું નથી, ઈશ્વરની પાસે યાચના કરીએ અને તે આપે તે ખરું. આ પ્રમાણે ધારીને ઈશ્વરની પાસે ઉઘરાણી કરે છે કે “હે નાથ ! મને મોક્ષ આપો.” આવી રીતે બીજી પણ અનેક સ્થળ વસ્તુઓની ય ચના કરે છે. આવી રીતે ઉઘરાણી કરવી તે તે બહુ કફેડું કામ છે. એક તો ઉઘરાણી ધીરેલી વસ્તુની થાય, બીજુ ઉઘરાણી જેની પાસે કરવાની હોય તેની મરજી ઉપર ઉઘરાણી પતવાને આધાર રહે. વ્યવહારમાં નિયમ છે કે “ગરથ ગાઠે,” પોતાની પાસે હોય તે જ પૂંજી કહેવાય. અહીં ઈશ્વર પાસેથી માગણી કરતી વખત ભાન પણ હોતું નથી કે તેને આપણે વસ્તુ ધીરેલી નથી કે તે આપવાને બંધાયેલ હોય. પારકી દયા ઉપર જીવવું તે તે જેને રુચતું હોય તેને ભલે રુચે, સર્વને તો એ વાત પસંદ આવે તેમ નથી, જે તમારી પાસે વસ્તુ ઘરમાં દાટેલી હોય અને તે જ પ્રગટ કરવાની હોય તે તેને માટે પ્રયાસ કરે એ ઉચિત ગણુ ય, પ્રયાસથી છેડે કે એ વખતે પણ તે વસ્તુ જરૂર મળવાને એક રીતે ચક્કસ સંભવ ખરે. આથી સાધનધર્મો કરતી વખતે સાધ્ય મળવાની પ્રતીતિ હોય તે કાર્યસિદ્ધિ થવાના ભાનથી પ્રયાસ બરાબર થાય અને તેથી જ આત્મવાદના સ્વરૂપમાં તે વાત ખાસ વિચારવા લાયક છે. જે આત્મધન છે તે તમારું પિતાનું જ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy