SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ શ્રી આનંદઘનજીનાં પદ અભ્યાસ કરી સમજી વિચારવાની બહુ જરૂર છે. તત્વજ્ઞાનના ગ્રંથમાં આ એક ઘણે જ અગત્યને પ્રશ્ન ગણાય છે. આત્માનું અમરત્વ સ્વીકારનારાઓ તેની અનેક રીતે ચર્ચા કરે છે, પરંતુ વિદ્વાનનું કાર્ય એ છે કે અંધકારને પ્રદેશ પ્રાપ્ત થતાં ત્યાં ગુંચવાઈ ન જતાં બહુ સૂમ બુદ્ધિથી દરેક દલીલને બરાબર ગ્ય રીતે વિચારવી અને વિચાર કરીને તેને તેના યથાસ્વરૂપમાં ઘટાવવી. અહીં એક બીજો પ્રશ્ન ઊભું થાય છે. જ્યાં ન્યાયની દલીલે ટકી શકે તેવું હોતું નથી ત્યાં કહેવામાં આવે છે કે ભાઈ! એ તો સર્વ દર્શનકારેએ અથવા સંપ્રદાયવાળાઓએ વાડા બાંધી લીધા છે, બાકી માર્ગ તે બધાને એક જ છે. આ વાત ઘટતી નથી. સર્વના માર્ગ એક હોઈ શકે નહિ; એક છે પણ નહિ. માર્ગ તે એક જ હવે જોઈએ. કુમાર્ગ ઉપર માર્ગને આરે૫ કરે એ અભિનિવેશ છે, મિથ્યા અજ્ઞાન છે અને આંખે બંધ કરવાનું સૂચવન છે જે તદ્દન અગ્ય છે. જે પ્રત્યેક આત્મવાદ સત્ય હોય તે તે માર્ગ જ સત્ય હોઈ શકે, પછી એમાં એકાત્મવાદ ચાલે નહિ. સાધન ધર્મોમાં ભેદ હોય તે તે ચાલે પણ સાધ્ય તે સુસ્પષ્ટ અને સારી રીતે વ્યાખ્યા કરાયેલ તથા સમજાયેલું હોવું જોઈએ. દૂધ અને છાસ એક સ્થાનકે એકત્ર એકી વખતે રહી શકે જ નહિ, રાખવાને પ્રયત્ન કરવામાં આવે તે દૂધ બગડીને છાસરૂપ ખાટું થઈ જાય. મરિચીના ભાવમાં શ્રીવીર ભગવાને કપિલને કહ્યું કે “અહીં પણ ધર્મ છે અને ત્યાં (પ્રભુના માર્ગમાં) પણ ધર્મ છે એ ઉત્સુત્ર વચન થયું. દૂધ અને છાસ એકત્ર એક સ્થાને રહી શકે એવી અશક્ય વાત તેમણે બતાવી, તેના પરિણામે તેમને અનેક ભવમાં ભ્રમણ કરવું પડ્યું; માટે સર્વ દેખાતા માર્ગમાં સત્ય માર્ગ તે એક જ છે અને હવે જોઈએ એ સત્ય માર્ગ છે. આ મત પ્રમાણે હોવાથી પ્રત્યેક આત્મવાદ અને લેકના અનેક મતે સત્ય સ્વરૂપે એક વખતે ઘટી શકે નહિ એ વાત અત્ર શુદ્ધ ચેતના કહે છે તે સમજવા જેવી છે. પરમસહિષ્ણુતાને માટે “અવધુ રામ રામ જગ ગાવે” વિગેરે પદોમાં જે વિચાર શ્રી આનંદઘનજીએ બતાવ્યા છે તેને આ અર્થ સાથે કઈ પણ પ્રકારને વિરોધ નથી, એ સૂકમ દૃષ્ટિથી વિચારી સમજવા યોગ્ય છે, તેમ જ હવે પછી ચેતનાને નિરપક્ષ કેઈએ છેડી થી એ લય સુડતાળીશમા પદમાં કહેવામાં આવશે તેની સાથે પણ તેને વિરોધ નથી એ ગ્રાહ્યમાં લેવા યોગ્ય છે. પરમત અથવા સંપ્રદાય કે દર્શન પર અવિચારી આક્ષેપ કરવાનો અથવા તેના અનુયાયીઓને ત્રાસ આપવાને ભાવ વિકારી છે અને ત્યાજ્ય છે, તેમાંથી સત્યને અંશ સ્વીકારી તેને તેટલા પૂરતું માન આપવાને ભાવ આદરણીય છે, પરંતુ સર્વથા સત્ય અથવા ભાગરૂપે તેનું વસ્તુસ્વરૂપ શું છે અને કેટલે અંશે આદરણીય છે તે હકીક્તથી તે જાગ્રત રહેવાની ખાસ આવશ્યકતા છે. એ નિયમ ન હોય અને સર્વત્ર ધર્મ છે એવી વાણીને કે વિચારને અવકાશ આપવામાં મહત્વતા મનાતી હોય તે તે સર્વ અવ્યવસ્થામાં જ તેનું પરિણામ આવે. આથી અહીં શુદ્ધ ચેતના કહે છે કે મને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy