________________
ચાલીસમુ' પદ્મ
૪૨૧
ઇચ્છશે નહિ. એક જગ્યાએ કહ્યું પણ છે કે વૃન્દાવનમાં વાસ કરી શિયાળપણું અથવા તેની સાથે રહેવું તેને ગૌતમ સારું ગણે છે પણ વૈશેષિકી મુક્તિને ઇચ્છતા નથી. વૈશેષિકાની પેઠે મીમાંસકાનું પણ સમજી લેવું. તે પણ કોઇ પણ પ્રકારનું સુખદુઃખ ન રહે તે સ્થિતિને માક્ષ કહે છે. વાસનાદિક સર્વે આત્મગુણુ ઉચ્છિન્ન થયા નથી ત્યાં સુધી આત્યંતિકી દુઃખનિવૃત્તિ થતી નથી. સુખદુઃખના સ'ભવ ધ અને અધનિમિત્તથી થાય છે, તેને ઉચ્છેદ થતાં કાર્યરૂપ શરીરના ઉપપ્લવ થાય અને આત્માને સુખદુ:ખ રહે નહિ માટે તે મુક્ત કહેવાય એમ મીમાંસકા કહે છે. આત્મા પોતે જ સુખસ્વરૂપ હાવાથી સ્વરૂપને ઉચ્છેદ મુક્તિમાં પણ સંભવતા નથી. એમ કહેવામાં ન આવે તે સર્વથા અવ્યવસ્થા થઈ જાય, જો સર્વથા સુખાભાવ મેક્ષમાં ડ્રાય તા તે પ્રાપ્ત કરવા માટે કરેલ પ્રયત્ન
પશુ અ વગરના થઈ જાય. સાંખ્યમતાનુસાર ચૈતન્ય સ્વરૂપ પુરુષ એક તૃણુને
પશુ નમાવવાને અસમર્થ છે, જડ પ્રકૃતિને આશ્રયી તે અજ્ઞાનતમરચ્છન્ન થાય છે અને ત્યારે પ્રકૃતિગત સુખાદિ ફળને પોતામાં પ્રતિબિંબે છે, જ્ઞાન પેદા થવાથી એને દુઃખરૂપ સમજે છે અને જ્યારે તેને વિવેકખ્યાતિ થાય છે ત્યારે તે કર્મથી વેગળા ખસતા જાય છે. પ્રકૃતિ દૂર થતાં પુરુષનુ સ્વરૂપમાં અવસ્થાન તે સાંખ્યમતને મેક્ષ સમજવા. આનંદ વગેરે પ્રકૃતિનાં કાર્ય હાવાથી પુરુષને તેની સાથે લાગતું વળગતું નથી. જ્ઞાનને આ દનવાળા પ્રકૃતિને ધર્મ-બુદ્ધિના વિષય માને છે તે અસંભિવત છે, કારણ કે તેના માનવા મુજબ મુક્તાત્મા પણ જ્ઞાનના અભાવે અજ્ઞાનતમચ્છન જ રહે છે. સંસારી આત્માને અકર્તા છતાં ભોક્તા માનવાથી કૃતનાશ, અકૃતઅભ્યાગમરૂપ ષણા આવે છે. પ્રકૃતિ પુરુષના સંયોગ કોણે કર્યાં એ વિવાદાસ્પદ રહે છે અને તેમાં આત્મકૃત પ્રકૃતિકૃત સચાગ માનવાથી અનવસ્થાદિ અનેક દોષો આવે છે. હવે જો પ્રકૃતિ અને પુરુષના સચૈાગ જ ઘટી શકે નહિ તે પછી વિયેાગના સંભવ જ કયાંથી રહે? વિવેકખ્યાતિ કહી તે પ્રકૃતિને થવી ઘટતી નથી કારણ કે તે પોતે તે અસંવેદ્ય છે; તેમજ આત્માને પણ ઘટે નહિ. જ્યારે આત્માને આ મતમાં પરિણામી અને નિત્ય સ્વીકાર્યાં છે ત્યારે તેની સાથે સુખદુ:ખાદિનું પરિણામિત્વ સ્વીકારવું જ બંધબેસતુ' આવે છે. બૌદ્ધ પક્ષમાં જ્ઞાનક્ષણપ્રવાહ વગર ખીજો આત્મા નથી એમ માનવામાં આવ્યુ છે. આત્માના અસ્તિત્વથી તેમાં સ્નેહ બંધાવાથી તે સુખદ્રુઃખની તૃષ્ણા થાય અને તે તે વિપરીત વાત છે; કારણ કે તૃષ્ણાય ત્યાં સુધી તે સોંસાર બન્યા રહે છે. આવેા આત્માભિનિવેશ તે રાગદ્વેષનું કારણ છે માટે ભાવનાથી પુત્રકલત્રાદિનું દુખરૂપવ વિચારવું–એમ વિચારતાં અભિવ્ગ તૂટી જાય અને અધિક અભ્યાસથી વૈરાગ્ય પેદા થાય અને ચિત્તસંતાનની નિવૃત્તિ થાય એ આ મત પ્રમાણે માક્ષ. એવી ભાવના વગર કાયકલેશરૂપ તપ કરવાથી મોક્ષ મળી શકે એ વાતની તેએ ના પાડે છે. નિરાત્મ ભાવનાના પ્રકવિશેષથી ચિત્તની નિઃકલેશાવસ્થા તે આ મતની માન્યતા પ્રમાણે મેક્ષ છે. જ્ઞાનક્ષણપ્રવાહ આત્માને માનવાથી કૃતનાશાદિ દોષ આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org