________________
યશવિજય ઉપાધ્યાય સાથે પ્રસંગ
૩૩ દૂર કરવા માટે પ્રયાસ કરો, પરંતુ વસ્તુસ્વરૂપ બરાબર ઓળખી રાખવું એટલે તત્ત્વનું અને ઉપરના છોલાનું ભાન રહે, જેથી વિવેકભ્રષ્ટ ન થવાય. સતી થવાના પ્રસંગને અંગે આટલી વાત કહી દીધી તે આપણું ચરિત્રનાયકનો ખાસ વિષય હોવાથી જણાવવા લાયક ગણવામાં આવી છે. તે બને વાતને અંગે ઘણે ભૂલભરેલે ખ્યાલ હાલ જેવામાં આવે છે. કેટલાક વિદ્વાને એમ માને છે– મનાવે છે કે ખ્રીસ્તી ધર્મને પ્રેમનો વિષય અન્યત્ર ચર્ચા જ નથી અથવા તેવા આકારમાં કેઈએ બનાવ્યું જ નથી. જેનની દયા, તેનું સ્વરૂપ, તેને ભેદે અને તેમાં રહેલ ભાવ વિચારવામાં આવે તો આ ભૂલભરેલા વિચારે તુરત દૂર થઈ જાય તેમ છે. તેવી જ રીતે દ્રવ્યક્રિયાના મેહમાં પડી જઈ જેઓ તેમાં સંપૂર્ણતા માને છે અને જેઓ દ્રવ્ય ક્રિયાની આવશ્યકતા જ માનતા નથી એ બને ભૂલ કરે છે. પ્રથમ પંક્તિના પ્રાણીઓ કારણને કાર્ય સમજે છે, બીજી પંક્તિવાળા પગથિયાં છેડી દઈ દાદરને મથાળે ઠેકડો મારી ચઢી જવા ઈચ્છે છે. આનંદઘનજી મહારાજ એ બને વાતનો પ્રથમ સ્તવનમાં જ ખુલાસે બહુ સૂક્ષ્મ રીતે આપી દે છે અને તે પર જેમ જેમ વિચારણા થાય છે તેમ તેમ એમાં રહેલ વિશિષ્ટ ભાવનો અર્થ ખ્યાલમાં આવે છે. આ સંબંધી સદર સ્તવનને અંગે વધુ વિચારે અન્યત્ર લખ્યાં છે તે વિચારવા.
શ્રી યશોવિજયજી સાથે પ્રસંગ ઉપર જે વાત લખી છે તે સર્વ મેડતા શહેરમાં અથવા તેની નજીકના જંગલમાં બની કહેવાય છે. તે ઉપરાંત આનંદઘનજીને શ્રી યશવિજય ઉપાધ્યાય સાથે પ્રસંગ થયે અને તે વખતે ઉપાધ્યાયજીએ અષ્ટપદી બનાવી તે મેળાપ પણ સાંપ્રદાયિક વાતે પ્રમાણે મેડતા શહેરમાં થયાનું કહેવામાં આવે છે. કેઈ આ મેળાપ આબુ પર્વત પર થયો એમ પણ કહે છે. મેળાપ થયાની વાતમાં મતભેદ નથી પણ સ્થાન માટે એક નિર્ણય નથી. ઉપાધ્યાયજી સાથે થયેલા પ્રસંગને અંગે બે ત્રણ વાત અત્ર જરા વક્તવ્ય છે તે પણ વિચારી લઈએ કારણ કે તે પણ સંપ્રદાયથી ચાલી આવે છે. બનારસમાં તથા આગ્રામાં વિકટ સંગોમાં અભ્યાસ કરી ન્યાયના વિષયમાં ખાસ નિષ્ણાત ( specialist) થવાને લીધે “ન્યાયવિશારદ અને ન્યાયાચાર્યનું બિરુદ મેળવનાર આ મહાત્માને પ્રસંગ શ્રી આનંદઘનજીને સમયનિર્ણય કરતી વખતે સહજ વિચારી ગયા છીએ. જૈન કેમના આ છેલ્લા સમર્થ વિદ્વાન મહાત્મા અને આપણાં ચરિત્રનાયકના સંબંધમાં આગળ પણ કેટલીક વાત આવશે. ચરિત્રપ્રસંગે તેઓના અને આનંદઘનજીના મેળાપની વાતો કરવાની છે. ત્યાં કેટલાકના કહેવા પ્રમાણે આનંદઘનજીને અને તેમને મેળાપ શ્રી મેડતા શહેરમાં થયે હતો અને પ્રથમ મેળાપ વખતે જ યશોવિજયજીએ અષ્ટપદી બનાવી હતી. કેટલાકના કહેવા પ્રમાણે આ મેળાપ મેડતાની બાજુના જંગલમાં થયો હતો અને રસ્તે ચાલતાં ચાલતાં ઉપાધ્યાયજીએ અષ્ટપદી તાત્કાલિક ઉદ્ગારરૂપે બનાવી હતી. ત્રીજી વાત એમ છે કે આબુ ઉપર ગુફામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org