SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીસમું પદ ૪૧૦ રસેશ્વર દર્શનમાં શરીરને આવ ધર્મસાધન ગણવામાં આવે છે અને અપમૃત્યુ વિગેરે દૂર કરવા માટે રસપાનની પ્રશંસા કરે છે. પારદ(પારો)નું વિધિપૂર્વક પાન કરવાથી આ શરીરમાં જ અજર અમરપણું પ્રાપ્ત કરી શકાય છે. પારાને મારવાના અનેક પ્રકાર આ શાસ્ત્રમાં બતાવ્યા છે અને તેનાં જુદા જુદા પ્રકારના ઉપાયે પણ બતાવ્યા છે. પારદના દર્શન, ભક્ષણ, દાન અને પૂજનથી અનેક લાભ માનવામાં આવ્યા છે. પારદના શિવલિંગનું માહામ્ય બહુ અદ્દભુત આ દર્શનમાં બતાવ્યું છે. જો લૈ ગ્રહ્મ એ વેદવાક્ય પર આ મતની રચના છે. સંસારના પારને દેનાર એ “પારદ' શબ્દનો અર્થે કરે છે. છએ દર્શનમાં મુક્તિ દેહપાત પછી બતાવી છે તે આ મતવાળાને ઈષ્ટ લાગતું નથી, માટે તેઓ કહે છે કે-રસ અને રસાયનવડે દેહનું રક્ષણ કરવું. આ શરીરને હર ગીરીની સૃષ્ટિમાં ઉત્પન્ન કરવું એટલે પાદ અને અબક જે અનુક્રમે હર અને ગીરીથી ઉત્પન્ન થયેલા છે તેના પાનથી તેની સાથે તાદામ્ય કરવું. રસપાનથી જીવન્મુક્તરૂપે અનેક મુનિએ રસમય શરીર બનાવી સિદ્ધ થયા છે એમ તેઓ માને છે. તેઓ કહે છે કે-આ શાસ્ત્ર ધાતુવેધ માટે નથી પણ હવેધ દ્વારા મુક્તિ આપવી એ તેનું પરમ પ્રયોજન છે. દિવ્ય શરીર ન હોય ત્યાં સુધી મોક્ષ મળે અસંભવિત છે તેથી પારદ રસના જુદા જુદા પ્રકારનાં પાનથી દૂત શરીર પ્રાપ્ત કરવું જરૂરનું છે એમ અત્ર માનવામાં આવે છે. વિદ્યામાત્રનું સ્થાન, ધર્મ, અર્થ, કામ અને મેક્ષનું મૂળ શરીર અજરામર થઈ જાય એને સર્વથી વધારે શ્રેયસ્કર હકીક્ત માની છે. રસરાજ શરીરને અજરામર કરે છે એમ તેઓ માને છે. આ મતવાળા આ લેકમાં જ બ્રહ્મતત્વ પ્રાપ્ત થાય છે એમ માને છે. આવી રીતે દર્શનકારે આત્માની ઉકાન્તિ જૂદી જૂદી રીતે બતાવે છે તે અત્ર શ્રી હરિભદ્રસૂરિકૃત ષડદર્શનસમુચ્ચય ગ્રંથ જેના ઉપર શ્રી ગુણરત્નસૂરિ મહારાજની સુંદર ટીકા છે અને માધવાચાર્યને સર્વદર્શનસંગ્રહ એ બન્ને ગ્રંથના ભાષાંતરાનુસાર સંક્ષેપથી લખેલ છે. એ અતિ વિસ્તારવાળા વિષયને અતિ સંક્ષેપમાં લખતાં બહુ મુશ્કેલી પડી છે છતાં તે બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી જ સમજી શકાય તે વિષય છે અને ખાસ અભ્યાસકને જ તેની પ્રાપ્તિ થાય તેવું છે, તેથી તેમાં ખલના થઈ હોય તે સંતવ્ય ગણવામાં આવશે એટલું અત્ર કહી દેવું પ્રાસંગિક ગણું છું. આત્માને અંગે આવા આવા મતભેદ છે. બૌદ્ધો ક્ષણિકવાદી છે, મીમાંસકે તેને ઈશ્વર સાથે અભેદ માને છે, સાંખ્યો તેનું વર્તમાન રૂપ પ્રાકૃતિક છે એમ કહે છે, ચાવકે તેનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી, તેમ જ તૈયાયિક વૈશેષિક સૃષ્ટિના સંહારકર્તા શિવને માને છે તેમજ પુરાણ સંપ્રદાય આત્માને અંગે સૂત્ર જુદી વાત કરે છે તે સર્વ ઉપર જણાવી છે. એ સર્વમાં આત્માનું વ્યકિતત્વ રહેતું નથી, કરેલ શુભ કર્મનું ફળ અથવા કર્મને નાશ થવા પછી અજરામર સ્થિતિની પ્રાપ્તિ નથી તેથી તે આત્મવાદ મને ઈષ્ટ નથી. મને તે પ્રત્યેક આત્મવાદ જે સર્વજ્ઞ તીર્થકરેએ બતાવ્યું છે અને જેમાં આત્માનું નિત્યનિય સ્વરૂપ બતાવી આત્માને જ કર્મને કર્તા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy