________________
શ્રી આનંદઘનજીનાં પદ મતને દેહાદિરૂપ નથી, નૈયાયિકની પેઠે મનથી પ્રકાશ્ય નથી, જેનની પેઠે. અવ્યાપક નથી, બૌદ્ધની પેઠે ક્ષણિક નથી, અદ્વૈતવાદી પેઠે એક નથી, સાંખ્ય પેઠે અકર્તા પણ નથી. એ પશુ ત્રણ પ્રકારના છે. કર્મક્ષયથી જેનાં કર્મો ક્ષય પામી ગયાં છે તે વિજ્ઞાનાકળ, પ્રલય વખતે ઉપસંહાર થવાથી મલ કર્મયુક્ત હોય તે પ્રલયાકળ, અને મલ માયા અને કર્મયુક્ત હોય તે સકળ. પાશ નામક તૃતીય પદાર્થ ચાર પ્રકાર છે. મલશકિત, કર્મશક્તિ, માયાશકિત અને રોધશક્તિ. આત્માની સ્વાભાવિક દકિયાને આવરણ કરનાર તે મલશકિત. તે મલ ચિખા ઉપરના છાલા જે અથવા ત્રાંબા ઉપરના કાટ જેવું છે. ફલાથી પુરુષો કરે તે કર્મ-ધર્મ અને અધર્મ રૂપ, બીજ અને અંકુરની પેઠે પ્રવાહરૂપે અનાદિ છે. જેમાં પ્રલય વખતે સર્વ જગત્ સમાઈ જાય છે તે માયા, તથા તેનાથી જ સૃષ્ટિ વખતે ઉત્પત્તિ પામે છે. ધશક્તિ પાસના અધિકાને કરી પુરુષનું તિરધાન કરે છે.
શૈવસંપ્રદાયમાં એક પ્રભિ મત છે. તેઓ જીવ શિવનું ઐકય માને છે, ભેદ બુદ્ધિ અનાદિ અજ્ઞાનનું કાર્ય છે એમ કહે છે અને એવી ભેદબુદ્ધિ ચાલી જાય ત્યાં સુધી પ્રત્યભિજ્ઞાનની જરૂર છે એમ તેઓ કહે છે. આ સંપ્રદાય શાંકરના વેદાન્તને કેટલેક અંશે મળતા આવે છે. તેઓ આત્માને પ્રત્યગાત્મા સાથે તાદામ્યવાળે માને છે, પરમેશ્વરની ઈચ્છા માત્રથી જગત્ ઉત્પન્ન થયું છે એમ બેલે છે, પરમાત્માને કલેશ અને પ્રયાસ વગર સુલભ માને છે અને તેને માટે અભિનવ પ્રત્યભિજ્ઞાને પર અને અપર સિદ્ધના ઉપાય માને છે. અનવરિચ્છન્ન પ્રકાશ અને આનંદવાળા સ્વતંત્ર પદાર્થને તેઓ મહેશ્વર માને છે. શિવતત્વનું દઢ પ્રતિપત્તિપૂર્વક જ્ઞાન થવાની જ અહીં જરૂર કહી છે એટલે પછી કાંઈ સાધન કે ભાવના કરવાની રહેતી નથી. ઈશ્વરની પરિપૂર્ણ શક્તિનું જ્યારે સિદ્ધ આગમ અને અનુમાનથી જ્ઞાન થાય છે અને તે જ્યારે આત્મામાં અભિમુખ થાય ત્યારે નિઃસંશય જ્ઞાન થાય છે કે હું પરમેશ્વર છું. શિવ સાથે ઐક્ય વગર આવી વ્યવહારિક પ્રત્યભિજ્ઞાને અસંભવ છે. માયાને લીધે એક ભાગે પ્રકાશ થાય તે કામને નથી. પૂર્ણ અવભાસની સિદ્ધિની જરૂર છે અને તે પ્રત્યભિજ્ઞા છે. આત્મા માયાથી અંધ કર્મના બંધવાળો અને સંસારી છે. પિતે ઈશ્વર છે એમ જ્યારે વિદ્યાદિવડે તેને સમજાવાય છે ત્યારે તે ચિઘન થાય છે અને તે મુક્ત છે એમ કહેવાય છે. ઈશ્વરનાં જ્ઞાન પ્રત્યભિજ્ઞા માટે શ્રમ અને પ્રયત્ન કરવાની જરૂર એટલા માટે છે કે તે શ્રમ અને પ્રયત્ન ( અર્થ ક્રિયા) જીવ અને ઈશ્વરનું એકત્વ સિદ્ધ કરવાને માટે જોઈતી શક્તિને વ્યાપાર છે. ૫ર સિદ્ધિ અને અપર સિદ્ધિ એ આ શકિતનું લક્ષણ છે અને હું ઈશ્વર છું એવો ચમત્કાર આ અર્થકિયાને સાર છે. ઈશ્વરનું નિર્માસન ગુણના પરામર્શ વગરનું હોય તે પૂર્ણ ભાવને સંપાદન કરાવતું નથી. પરંતુ જ્યારે ગુરુવચનાદિથી સર્વજ્ઞત્વ, સર્વકતૃત્વ વિગેરે લક્ષણ યુક્ત પરમેશ્વરના ઉત્કર્ષને પરામર્શ થાય છે ત્યારે પૂર્ણાત્માને લાભ થાય છે અને તેથી પ્રત્યભિજ્ઞાની જરૂર છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org