________________
૪૧૬
શ્રી આનંદઘનજીનાં પદો પુરાણુદર્શનેના વૈષ્ણવ વિભાગમાં બીજો માળી સંપ્રદાય આવે છે. તે બ્રહ્મ સંપ્રદાય અથવા પૂર્ણપ્રજ્ઞ સંપ્રદાયના નામથી ઓળખાય છે. આનંદતીર્થને આ સંપ્રદાય બારમા શતકમાં નીકળે છે એમ કહેવાય છે. એ મતવાળા ગોપીચંદનનું ઉદર્વ પંડ કરે છે, વચ્ચે બાળેલા સેપારીની ઊભી લીંટી કરે છે અને તેની નીચે હળદરને ચાંદલે કરે છે; હાથ ઉપર શંખ ચક્રની તપ્ત મુદ્રાઓ કરાવે છે, નારાયણને તેઓ પર બ્રહ્મ માને છે અને આ સર્વ જગત્ તેમના શરીરમાંથી ઉત્પન્ન થયું છે એમ સમજે છે. આ મત દ્વૈતવાદી છે. સ્વતંત્ર અને અસ્વતંત્ર એવાં બે તત્ત્વ માને છે. ભગવાન વિષ્ણુ સ્વતંત્ર, નિર્દોષ અને અશેષ સદ્દગુણ યુક્ત છે. આ મતવાળા ઇશ્વર અને મનુષ્યમાં ભેદ સ્પષ્ટ રીતે જુએ છે. ઈશ્વર મનુષ્યના પ્રતિ સેવ્ય છે અને ચાકરથી રાજા જેમ ભિન્ન છે તેમ ઈશ્વર મનુષ્યથી ભિન્ન છે. અંકન, નામકરણ અને ભજન એ ત્રણ પ્રકારની સેવા તેઓ બતાવે છે. શરીર પર નારાયણનાં આયુધો અંકાવવાં તે પ્રથમ, પુત્રનું પ્રભુનામરમરણાર્થે કેશવાદિ નામ પાડવું તે દ્વિતીય અને વાણીથી સત્ય બોલવું, શરીરવડે દાનાદિ કરવાં અને મનવડે દયા શ્રદ્ધા પૃહા રાખવી એ તૃતીય સેવાભેદ છે. માયાને આશ્રય લઈ દૈતને જે કલિપત ગણે છે તે મતનું આ પંથવાળા ઘણી વેદની ઉક્તિઓથી ખંડન કરે છે. વિશ્વઉત્પત્તિલયને ભેદપ્રપંચ તેઓ અનાદિ માને છે. એ ભેદપ્રપંચ પાંચ પ્રકારના છેજીવ અને ઈશ્વરનો ભેદ, જડ અને ઈશ્વરને ભેદ, જીનો પરસ્પર ભેદ, જડ અને જીવન ભેદ અને જડને પરસ્પર ભેદ. આ પંચભેદને નાશ પણ નથી અને તે ભેદો ભ્રાંતિકલ્પિત પણ નથી. તે સત્ય છે અને અનાદિ છે, માટે આ મતવાળા કહે છે કે દ્વૈત જણાતું નથી એ અજ્ઞાનીને મત છે. મેક્ષને આ મતવાળા સર્વ પુરુષાર્થમાં ઉત્તમ ગણે છે અને તે વિષ્ણુના પ્રસાદ વગર મળતો નથી એમ કહે છે. આ પ્રસાદ ગુણત્કર્ષના જ્ઞાનથી થાય છે, અભેદ જ્ઞાનથી થતું નથી. સર્વ ગુણથી પૂર્ણ વિગુને જાણ મનુષ્ય સંસારથી મુક્ત થાય છે અને નિત્ય દુ:ખ રહિત આનંદને ભગવતો તેની સમીપે આનંદથી રહે છે. મુક્તને આશ્રય શ્રીવિષ્ણુ છે. શંકરના અદ્વૈત મતથી આ મત સર્વાશે વિરુદ્ધ જણાય છે.
વલ્લભાચાર્યને પુષ્ટિમાર્ગ પ્રેમભકિતના સિદ્ધાંતને મુખ્યત્વે કરીને માન આપે છે. આ સંપ્રદાયવાળા વિષ્ણુના કૃષ્ણ અવતારને સંપૂર્ણ અવતાર માને છે અને તેમાં પણ તેઓનાં કુળવાસનાં અગિયાર વરસ અને છ માસ સર્વોત્તમ માને છે. ગેલેકના મધ્યમાં મેઘ જેવા શ્યામ શ્રી બાલકૃષ્ણ હાથમાં વીણું લઈ અખંડ રાસ રમ્યા કરે છે. અખંડ સચરાચર વિશ્વની ઉત્પત્તિ શ્રીકૃષ્ણથી માનવામાં આવે છે. સર્વ વિશ્વની શ્રી બાલકૃણમાંથી ઉત્પત્તિ માનવામાં આવે છે તેથી આ મત અદ્રત છે અને પુષ્ટિસંપ્રદાયવાળા તેને શુદ્ધ અદ્વૈત મત કહે છે. જીવને બ્રહ્મ સાથે સંબંધ માનવામાં આવે છે અને જીવને બ્રાસંબંધ કરનારને પ્રભુ અંગીકાર કરે છે એમ માને છે; છતાં મવની પેઠે તેઓ જીવ અને ઈશ્વરને ભેટ સ્વીકારતા નથી. નિંબાર્ક અથવા ભાસ્કરાચાર્યના મતવાળા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org