________________
ચાલીસમું પદ
૪૧૫ વાળા શક્તિની ઉપાસના કરે છે. એને દક્ષિણ અને વામ માર્ગ એમ બે સંપ્રદાય છે. એમાં ધર્મ અને ઉપાસનાને નામે અનેક દુરાચાર પણ ચાલે છે. પ્રચૂર્ણ સંપ્રદાયમાં ગાણપત્ય, સીરપત્ય વિગેરે આવે છે. એ સર્વ વિભાગ સર્વદર્શનસંગ્રહ ગ્રંથમાં માધવાચાર્યે પાડેલા છે.
દર્શન સંબંધી વિવેચન આપણે સંક્ષેપમાં ઉપર જોઈ ગયા. તેવી જ રીતે પુરાણુધર્મોનું સ્વરૂપ સંક્ષેપમાં જોઈ જઈએ એટલે તેને પણ સહજ ખ્યાલ રહે. રામાનુજ સંપ્રદાયને શ્રીસંપ્રદાય પણ કહેવામાં આવે છે. તેને અનુસરનારા લક્ષમી અને વિશગુનું પૂજન કરે છે, કપાળમાં ઊર્વ પંડ્ર કરે છે અને વચ્ચે કંકુની ઊભી લીંટી કરે છે. રામાનંદી પંથે આ સંપ્રદાયને છે અને કબીર, નાનક, દાદુ વિગેરે પણ આ પંથમાંથી જ નીકળ્યા છે. આ પંથવાળા વિગુ અથવા વાસુદેવને બ્રહ્મ કહે છે, તેને જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ માને છે, તે જગથી ભિન્ન નથી પણ તેના નિયામક છે અને સ્વયં સગુણ છે, કારણરૂપ બ્રહ્મમાંથી કાર્યરૂપ જગત્ થાય છે એવી તેમની માન્યતા હોવાને લીધે અને જગતુકારણ બ્રહ્મ સગુણ માનતા હોવાને લીધે આ મત વિશિષ્ટ અદ્વૈત કહેવાય છે. gsé વદુ રામુ એ સૂત્ર પર તેઓ માન્યતા રાખે છે. ભેગ્ય, ભક્તા અને નિયામક અથવા ચિત, અચિત્ અને ઈશ્વર એ ત્રણ તત્વ આ સંપ્રદાયવાળા માને છે. કેવળ અદ્વૈતવાદીઓ જે અવિઘાને સ્વીકાર કરે છે તે આ વિશિષ્ટ અદ્વૈતવાળા બો સવીકારતા નથી. તેઓ અજ્ઞાનને અનાદિ અભાવરૂપ માનતા નથી પણ જ્ઞાનના અભાવરૂપ માને છે અને જ્ઞાનને આત્માનો ગુણ ગણે છે. ભક્તવત્સલ ભગવાનની પાંચ પ્રકારની ઉપાસનાથી થયેલા વિજ્ઞાન વડે દૃષ્ટા અને દર્શનને ભેદ જતું રહે છે અને તે વખતે ભગવાન પિતાના ઉપાસકોને સ્વપદ આપે છે. વિષગુપદની પ્રાપ્તિને ઉપાય ભક્તિ છે અને તે વિવેકથી સિદ્ધ થાય છે. જીવાત્માને આ પંથવાળા એકાંત, નિત્ય, અજ, શાશ્વત અને પુરાણ માને છે, પણ તેને બહુ સૂક્ષ્મ સમજવામાં આવે છે, વાળના અગ્ર ભાગથી પણ સૂફમ સમજે છે અને શરીરપ્રમાણુ આત્મા માનનાર મતનું આ સંપ્રદાયવાળા ખંડન કરે છે. આ સંપ્રદાય જ્ઞાન અને કર્મ યોગથી ભક્તિપૂર્વક બ્રહ્મપ્રાપ્તિને માનનાર છે. ચિત્ અને અચિ બનેને બ્રહ્મના પ્રકાર સમજવામાં આવે છે તેથી વસ્તુતઃ તેઓ ભેદભેદનું ગ્રહણ કરે છે. બ્રહ્મનું સર્વ શરીર છે એમ સમજે છે તેથી અભેદનું ગ્રહણ કરે છે. ચિત્, અચિત્ અને ઈશ્વરના સ્વરૂપસ્વભાવના વૈલક્ષયને લીધે તેઓના અસંકરપણાથી ભેદનું ગ્રહણ કરે છે. જીવાત્માને નિર્મળ જ્ઞાનરૂપ ગણે છે પણ અનાદિ કર્મરૂપ અવિદ્યાથી તે વેષ્ટિત હોવાને લીધે જૂદા જૂદા કર્માનુસાર જ્ઞાનને સકેગ. વિકોચ થયા કરે છે એમ માને છે. અભિગમન (દેવમંદિરના માર્ગને વાળો), ઉપાદાન (ચંદન, પુષ્પાદિ પૂજાના સાધન સંપાદન કરવાં), ઈન્યા (પૂજન), સ્વાધ્યાય (મંત્રને જાપ) અને વેગ (ધ્યાન) એ પાંચ પ્રકારની ઉપાસનાવડે એકઠા કરેલા જ્ઞાનથી દૃષ્ટા અને દર્શનને નાશ થતાં ભગવાન પોતાના ભક્તને નિરવધિક અનંત ગુણવાળું સ્વપદ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org