SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીસમુ' પદ્મ ૪૧૩ રીતે ? ઇન્દ્રજાળથી પણ દુનિયામાં અનેક પ્રકારના આડંબર થઈ શકે છે પરતુ આડંબરના કારણથી અમુક પ્રાણીને ઇશ્વર માનવા એ આ મતના વિચાર પ્રમાણે એક ધૃષ્ટતા જ છે. અભ્યાસથી શુદ્ધિનુ તારતમ્ય થાય પણ બુદ્ધિના પરમ પ્રક થાય એ તદ્દન અસંભવિત હકીકત છે. વેદવાક્ય નિત્ય અને અપૌરુષેય છે એમ તેઓની માન્યતા હેાવાથી તેમાં તે યથાત્વની સંભાવના કરે છે. વેદવાક્યના પાઠ કરવાથી ધર્મજિજ્ઞાસા થાય છે સાધન શોધતાં તેનાં નિમિત્તો કયા કયા છે તેને વિચાર થાય છે. અહીં ક્રિયા તરફ્ વચનને નાદના કહેવામાં આવે છે અને તરૂપ ધર્મ માનવામાં આવે છે. મતલબ એ છે કેવેદવચનકૂત નેાદનાથી ધમ જણાય છે જે અતીદ્રિય હાવાથી તેને જાણવાનું સાધન જ નાદના છે. આ મતનાં સૂત્રાના કરનાર જૈમિની છે. વેદને તેઓ સ્વતઃ પ્રમાણ માને છે. વેદનું અપોરુષેયત્વ અત્ર શબ્દના નિત્યત્વને આધારે સિદ્ધ કરવામાં આવે છે. વેઢની અંદર આવેલાં કર્મ કાંડનાં જૂદાં જૂદાં વાકયેાની પૂર્વાપર સંગતિ જણાવવી એ આ દનનુ મુખ્ય પ્રયેાજન છે. ઉત્તરમીમાંસામાં શાંકર વેદાન્ત દર્શનના સમાવેશ થાય છે. એ પૂર્વમીમાંસાની અપેક્ષાએ નૂતન દર્શન છે. તિ નેતિ એ સૂત્ર પર એ દર્શનનો મુખ્ય આધાર છે, સ બ્રહ્મમય જગત્ માને છે, પટ્ટાનુ' અન્ય રૂપ માયાકૃત છે એમ કહે છે, માયાથી બ્રહ્મસ્વરૂપ સ્પષ્ટ જણાતું નથી એમ માને છે, આત્માનું પૂર્ણ બ્રહ્મવ પ્રગટ કરી પરબ્રહ્મમાં તેને લય કરી દેવા એ તેની મુક્તિ સમજવામાં આવે છે. આત્માની મુક્તિ થયા પછી તેનું વ્યક્તિત્વ કોઈ પણ પ્રકારનું રહેતું નથી, એ આ દર્શનને મત છે. અદ્વૈત મતના નામથી પ્રસિદ્ધ છે. એ ધ - પ્રવક ચાર્વાક અથવા લેાકાયત મતવાળાને બાર્હસ્પત્ય એવું નામ પણ આપવામાં આવે છે. આ મતવાળા નાસ્તિક છે. પૃથ્વી અપ્‚ તેજ અને વાયુ એ ચાર ભૂતાત્મક જગત્ માને છે. આ ચાર અથવા કાઇના મત પ્રમાણે આકાશ સાથે પાંચ ભૂતના સયેાગથી સ્વાભાવિક રીતે ચૈતન્યશક્તિ પેદા થાય છે. શરીરથી ચૈતન્યશક્તિને ભિન્ન માનતા નથી. તેઓ કહે છે કે-જીવ નથી, નિવૃત્તિ નથી, ધર્મ નથી, અધર્મ નથી, પુણ્ય પાપનું ફળ નથી; માતા વિગેરે અગમ્ય પ્રતિ પણ ગમન કરે છે, વરસમાં એક દિવસ સ ચાર્વાકા એકઠા થઈ ગમે તે સ્ત્રી સાથે વ્યવહાર કરે છે, પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે અને આ શરીરે ભોગવાય તેટલું સુખ ભોગવી લેવાની ભલામણ કરે છે, ઇંદ્રિયગેાચર જગતને જ માને છે, પરલેાક કે મેાક્ષ પ્રત્યક્ષ ન હાવાથી તેની હયાતી જ સ્વીકારતા નથી. તે માને છે કે અસ્પૃષ્ટ, અનાસ્વાદિત, અનાઘાત, અષ્ટ અને અશ્રુત એવા જીવાદિકના આદર કરી. જે લાક સ્વ અપવર્ગાદિ સુખની લિપ્સાથી છેતરાઇ શિવેદના, મુંડન, તપશ્ચરણ વિગેરૅ કરી જન્મ વ્યર્થ કરે છે તે મહામેાડુમાં ભમે છે, અગ્નિાત્રાદિ કર્મ તે માત્ર બાળકીડા છે, એ બુદ્ધિ અને પુરુષત્વ વગરના લાકોની આજીવિકા છે. તે કહે છે કે-સ્વગ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy