SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી આનંદઘનજીનાં પદે થાય છે. એ મધુમતી સમાધિ એ હતંભરા પ્રજ્ઞાની સિદ્ધિ છે. આવી સિદ્ધિઓથી અમુક સત્ય જ્ઞાનાદિ પ્રાપ્ત થાય છે. એના પ્રત્યેક બિંદુમાં રસ હોય છે તેથી તેને મધુપ્રતિક કહેવામાં આવે છે. પછી વિવેકજ્ઞાન થાય છે તેમાં સર્વ ભાવને શાંત, ઉદિત કે અવ્યપદિશ્ય ગણવામાં આવે છે. સર્વ વૃત્તિનો અસ્ત થતાં પર વૈરાગ્યને આશ્રય કરનાર કલેશને નિરોધ કરવાને સમર્થ એવી નિબ જ સંસ્કારશેષતાને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. મનના લય સાથે કલેશના બીજને પણ લય થઈ જાય છે, વિવેકજ્ઞાનના પરિપાકને લીધે કાર્ય કારણાત્મક સર્વ વસ્તુને પ્રધાનમાં લય થાય છે અને બુદ્ધિ અને સત્તાના સંબંધથી રહિત થઈ કૈવલ્યને પામે છે. આ પાતંજલ યુગમતને મેક્ષ છે. વૈશેષિક દર્શનના સ્થાપના કણાદ છે, એનું બીજું નામ કણભક્ષ પણ કહેવાય છે. તે મતમાં કણ એટલે પરમાણુને કારણે માનવામાં આવે છે. આ દર્શનના દેવતા, લિંગ, વેષાદિ તૈયાયિકને મળતા હોય છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય અને કેટલાક અભાવ એ સાતને પદાર્થ માને છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, અંતરિક્ષ, કાલ, દિગ, આત્મા અને મને એમ નવ પ્રકારનાં દ્રવ્ય માને છે. ગુણ ચોવીશ પ્રકારના છે. સામાન્ય, વિશેષ અને સમવાયનું બહુ લંબાણથી આ દર્શનના ગ્રંથમાં વિવેચન આપવામાં આવે છે. સામાન્ય એટલે જાતિ વિશેષ એકસરખા દ્રવ્યને અન્ય દ્રવ્યમાંથી જુદું સ્પષ્ટપણે પાડી આપે છે. કર્મ ક્રિયારૂપ છે અને દ્રવ્યમાં અત્યવિશેષ સંબંધ બતાવનાર આધાર આધેયભૂત સંબંધના પ્રત્યાયના હેતુને સમવાય કહેવામાં આવે છે. તંતુમાં પટ છે એવા પ્રત્યયના હેતુરૂપ અસાધારણ કારણને સમવાય કહેવામાં આવે છે. અભાવ ચાર પ્રકારના ગણવામાં આવે છે. પ્રાગભાવ એટલે પ્રથમને અભાવ, પ્રદવંસ ભાવ એટલે નાશ અને અત્યંતભાવ એટલે સર્વથા વિનાશ અથવા ગેરહાજરી. અન્યાભાવ અરસ્પરસને અપેક્ષિત છે. દુઃખની આત્યંતિક નિવૃત્તિને મોક્ષ માનવામાં આવે છે. જૈમિનીય અથવા મીમાંસક મતમાં બે મોટા વિભાગ છે. યજ્ઞ વિગેરે કરનારને પૂર્વમીમાંસાવાદી કહેવામાં આવે છે; તેઓ કુકર્મ વર્જે છે, જનાદિ ષટું કર્મ કરે છે, બ્રહ્મસૂત્ર ધારણ કરે છે, ગૃહસ્થાશ્રમમાં વસે છે અને શૂદ્ર અન્નાદિ વર્જે છે. ઉત્તરમીમાંસાવાદીને વેદાની કહેવામાં આવે છે, તે બ્રહ્માદ્વિતને માને છે, સર્વ શરીરમાં આત્મા એક છે, બ્રહ્મ સર્વત્ર છે અને માયાથી ભેદ થાય છે પણ વસ્તુતઃ ભેદ નથી એમ તેઓને અભિપ્રાય છે. આત્મામાં લય થઈ જ એને તેઓ મુક્તિ માને છે અને એ સિવાય અન્ય મુક્તિ–મક્ષ કાંઈ નથી એ તેઓનો મત છે. પ્રથમ પૂર્વમીમાંસાવાદીને મત સંક્ષેપથી વિચારીએ, તેઓ વેદવાક્યને પ્રમાણુ ગણે છે, ગુરુ પણ તેને જ ગણે છે અને સ્વયં સંન્યસ્ત ધારણ કરે છે. મનુષ્ય સર્વજ્ઞ થઈ શકે એ વાતને તેઓ સ્વીકાર કરતા નથી. સુષ્ટિકર્તા અથવા સર્વદશ કે વીતરાગ એવા સર્વજ્ઞ કે મનુષ્યથી હોવાનું બનવું તદ્દન અસંભવિત છે એમ તેઓ માને છે એવા પુરુષના અભાવે તેનું પ્રમાણ થઈ શકે એવું તે બને જ કેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy