SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ શ્રી આનંદઘનજીનાં પદ્મા બુદ્ધિ ઉભયસુખ દર્પણુ જેવી છે એટલે તેનામાં ચૈતન્યશક્તિ પ્રતિબિંબ પામે છે, અને તેમ થતાં સુખદુઃખની લક્ષણા પુરુષપરત્વે થાય છે. પુરુષ અનેક છે. આ પુરુષ અને પ્રકૃતિ ઉન્નયે સર્વાંગત છે, અરસ્પરસ સંયુક્ત છે અને તેને સચોગ તે પશુ અને અંધના સંચાગ જેવા છે. શુદ્ધ ચૈતન્ય પશુ-પાંગળા છે અને પ્રકૃતિ જડ-અંધ છે, પુરુષ પ્રકૃતિના આશ્રય કરી બુદ્ધિમાં પ્રતિબિંબિત શબ્દાદ્દિનુ પોતામાં પ્રતિબિંબ પડતાં તેમાં આનંદ માને છે અને પ્રકૃતિને આવી રીતે સુખરૂપ માની સંસારમાં પડ્યો રહે છે. આ પુરુષ અને પ્રકૃતિ વચ્ચે તફાવત શું છે એ સમજાતાં વિવેકજ્ઞાન થાય છે અને તેથી પુરુષના પ્રકૃતિથી વિયાગ થાય છે એ માક્ષ સમજવા, પ્રકૃતિના વિવેક સમજાતાં પ્રકૃતિ ટળી જાય છે અને પુરુષ સ્વરૂપે રહે છે. બંધના છેદથી મેાક્ષ થાય છે. એ અંધ ત્રણ પ્રકારના છે. પ્રકૃતિને આત્મા જાણી તેની ઉપાસના કરવી તે પ્રાંકૃતિક ખંધ, ભૂત, ઇંદ્રિય, અહંકાર, બુદ્ધિ એ વિકારને આત્મા જાણી ઉપાસના કરવી તે વૈકારિક બંધ, યાગાદિ ક ને પુરુષબુદ્ધિથી સેવવાં તે દાક્ષિણુ બંધ. આ બંધને લીધે મરેલાને પણ પાછી સંસારપ્રાપ્તિ થાય છે. સાંખ્યમતમાં પુરુષને સ`સાર નથી, મેાક્ષ નથી અને બંધ પણ નથી, તે સવ પ્રકૃતિને જ છે, અને એના પુરુષ સાથે સબંધ ગણવામાં આવે તે અવિવેકને લીધે જ છે. પુરુષ તા કૂટસ્થ, નિત્ય અને અપરિણામી છે. સાંખ્યમત પ્રાયઃ નિરીશ્વરવાદને સ્વીકારે છે. જગના કારણમાં ત્રિગુણાત્મક પ્રધાનને માને છે અને સૃષ્ટિની વ્યવસ્થા તેનાથી માને છે તેમજ અચેતન પ્રકૃતિ પુરુષના ( આત્માના) મોક્ષને અર્થે પ્રવર્તે છે, તેના દૃષ્ટાંતમાં તે એમ ખતાવે છે કે-જેમ અચેતન દૂધ વત્સની વૃદ્ધિ માટે થઇ શકે છે તે પ્રમાણે અચેતન પ્રકૃતિ (પ્રધાન) પુરુષના મોક્ષ માટે થઇ શકે છે. · પરમેશ્વર કરુણાએ કરીને પ્રવક છે.' એ વાદને સાંખ્યા અનેક હેતુઓ આપી રદ કરે છે. સાંખ્યમતના એક ભેદ્ય અથવા વિભાગ જેવા પનલિના મત છે. એ દનને સેશ્વર સાંખ્યદર્શન કહી શકાય. એ મતને ચાગદર્શન પણ કહેવામાં આવે છે. એ મતમાં ઉપર સાંખ્યમતમાં જણાવેલાં પચીશ તત્ત્વ ઉપરાંત ઇશ્વરને છવીશમુ તત્ત્વ માનવામાં આવે છે. પરમેશ્વરના અનુગ્રહ સંસારાંગારથી તપ્ત થયેલા પ્રાણી પર થાય છે. પુરુષને તદ્ન શુદ્ધ માનવામાં આવે છે પણ બુદ્ધિકૃત પ્રતીતિને અનુસરે છે અને આવી રીતે જોનાર આત્મા તદાત્મક જણાય છે. આવી રીતે તપ્યમાન પુરુષ લાંબા વખત સુધી અષ્ટાંગ ચેગ સાધે છે અને પરમેશ્વરનું પ્રણિધાન કરે છે ત્યારે તેને સત્ત્વ અને પુરુષની અન્યતા શુદ્ધરૂપમાં જણાય છે અને તે વખતે અવિદ્યાદિ પાંચ ક્લેશ તથા સારા તથા નડારા કર્માંશય સમૂળ નષ્ટ પામે છે. આ પછી નિલે ૫ પુરુષનું પૂર્ણ મુક્તરૂપે કરીને અવસ્થાન તે તેનું કૈવલ્ય છે. આ પાતંજલ યોગદર્શનકાર જો કે સેશ્વર સાંખ્યમતવાળા ગણાય છે, છતાં તેમાં પણુ ઈશ્વરનુ` કા` લગભગ નહિ જેવું છે. જીવાત્માના મેાક્ષ એ ચેગદર્શનના મત પ્રમાણે કેવી રીતે થાય છે તે ખાસ વિચારવા યોગ્ય છે. આ વિચારને જૈનના યાગમાગ જે છઠ્ઠા પટ્ટના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy