________________
ચાલ સમું પત્ર
તત્ત્વવ્યવસ્થા બન્નેની સમાન છે. દુઃખ ત્રણ પ્રકારનાં માને છે; આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આધ્યાત્મિક દુઃખ બે પ્રકારનું હોય છે. શરીર અને માનસ. શરીરમાં જવર, અતિસારાદિ વ્યાધિ થાય તે શારીરિક દુઃખ અને કામ, ક્રોધ, લોભાદિ તે માનસ દુઃખ. આ સર્વ આંતર ઉપાયથી સાધ્ય હોવાને લીધે આધ્યાત્મિક દુઃખ કહેવાય છે. બાહ્ય ઉપાયથી સાધ્ય દુઃખ બે પ્રકારનું છે. યક્ષ, રાક્ષસ, ગ્રહાદિના આવેશથી થયેલું દુઃખ તે આધિદૈવિક અને મનુષ્ય, પશુ, સર્પાદિથી થયેલું તે આધિભૌતિક. આ ત્રણ પ્રકારનાં દુઃખથી બુદ્ધિમાં રહેલાં રજ:પરિણામના ભેદથી પ્રાણીને પીડા થાય છે અને દુઃખ ટાળવા તત્ત્વજિજ્ઞાસા ઉદ્દભવે છે. એ તત્વ પચીશ છે. સત્વ, રજસ્ અને તમસની સમાવસ્થાને પ્રકૃતિ કહે છે અને તેનું બીજું નામ પ્રધાન પણ કહેવાય છે. એ પ્રકૃતિ નિત્ય છે, અય્યત છે, અનુત્પન્ન છે, સ્થિર છે અને કદાપિ વિકારને પામતી નથી. સાંખ્યમતાનુસાર સૃષ્ટિક્રમ આ પ્રમાણે છે. એ પ્રકૃતિમાંથી બુદ્ધિ પેદા થાય છે, એને વિષય નિશ્ચયરૂપ સમજવી. એનું નામ “મહાન” પણ કહેવાય છે, એ બુદ્ધિથી હું સુભગ છું, સુંદર છું વિગેરેરૂપ અભિમાન પેદા થાય છે, એ અભિમાનમાંથી સેળને સમૂહ પેદા થાય છે સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ બુદ્ધાંન્દ્રિય; પાયુ, ઉપસ્થ, વાક, પાણિ અને પાદ એ પાંચ કર્મેન્દ્રિય અને મન તથા પાંચ તન્માત્રા એમ સેળ ઉત્પન્ન થાય છે. સૂમરૂપ પાંચ ઇદ્રિનું અવસ્થાપન તે તન્માત્રા કહેવાય છે, એ પાંચ સૂક્ષ્મ તમાત્રાથી પાંચ ભૂત પેદા થાય છે: રૂપથી તેજ, રસથી જળ, ગંધથી ભૂમિ, શબ્દથી આકાશ અને સ્પર્શથી વાયુ. આવી રીતે બુદ્ધિ, અહંકાર, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, પાંચ તન્માત્રા અને પંચભૂતરૂપ વીશ તત્વ થયાં અને તે સર્વથી અન્ય, અકર્તા, વિગુણ, ભક્તા એવું પુરુષતત્વ પચીસમું છે. આમાં પ્રકૃતિ કેઈને વિકાર નથી, બુદ્ધિ, અહંકાર અને પાંચ જ્ઞાનેન્દ્રિય પ્રકૃતિ વિકૃતિ છે, બાકીના સોળ વિકૃતિ છે અને પુરુષ પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી. તન્માત્રામાં ભૂત લય પામે છે, તન્માત્રા મહમાં લય પામે છે, મહત્ પ્રકૃતિમાં લય પામે છે, અને પ્રકૃતિ કશામાં લય પામતી નથી. આત્મા–પુરુષ તે અકર્તા જ રહે છે. કર્તાપણાને ધર્મ પ્રકૃતિને છે. એક તૃણને વાળી શકવાનું પણ પુરુષમાં સામર્યો નથી. એ સત્વ, રજસ્ કે તમન્સ ગુણથી રહિત છે. પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ જે ઉભયમુખ દર્પણ જેવી છે તેમાં સુખદુઃખાદિનું પ્રતિબિંબ પડે છે તે સ્વરછ આત્મામાં કુરે છે તેથી તેને ભક્તા લક્ષણમાત્રથી કહી શકાય. જો કે તે તે માત્ર પ્રકૃતિને સાક્ષી જ રહે છે તથાપિ જેમ સ્ફટિકની પછવાડે ગમે તે રંગની વસ્તુ મૂકી હોય તે તદ્રુપ વર્ણ તેને દેખાય છે તે પ્રકારે પુરુષનું સ્વરૂપ બહારથી ભિન્ન થતું અને તત્રમાણમાં તે લેતા થતા હોય તેમ દેખાય છે. સાંખ્યમતમાં પુરુષનું લક્ષણ નિત્ય ચૈતન્યશક્તિરૂપ જ છે, જ્ઞાનરૂપ નથી. જ્ઞાનને તે તેઓ બુદ્ધિને ધર્મ ગણે છે. આત્મા જે કેવળ છે તે બુદ્ધિથી અતિરિત છે પણ સુખદુઃખાદિ ભાવઇદ્રિય દ્વારા બુદ્ધિમાં સંક્રાન્ત થાય છે અને ઉપર જણાવ્યું તેમ
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org