SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ મૌ આનઘનજીનાં પદ્મા એની નિવૃત્તિ થતાં શૂન્યરૂપ પરિનિર્વાણનો આવિર્ભાવ થાય છે. ઔદ્ધ મતની સ જૂદી જૂદી શાખાઓમાં કેટલાક મતભેદ છે પણ આત્માનું ક્ષણિકત્વ તા સવમાં સામાન્ય: છે અને સવ એમ માને છે કે રાગાદિના, જ્ઞાનસતાનના અને વાસનાના ઉચ્છેદ્ભથી મુક્તિ મળે છે. નૈયાયિક ( અક્ષપાદ ) દર્શનવાળા ગૌતમના અનુયાયી કહેવાય છે. અહીં પોતાની અચિંત્ય શક્તિના માહાત્મ્યથી મહેશ્વર સૃષ્ટિના સંહાર કરનાર ગણાય છે અને દુઃખના અત્યંત ઉચ્છેદરૂપ નિ:શ્રેયસ તત્ત્વજ્ઞાનથી ઉત્પન્ન થાય છે એવી તેની માન્યતા છે. કહેવાનું તાત્પર્ય એમ નથી કે-તત્ત્વજ્ઞાન થતાં જ નિ:શ્રેયસ પ્રાપ્તિ થાય છે પણ વાત એમ છે કેતત્ત્વજ્ઞાનથી દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દોષ અને મિથ્યા જ્ઞાનના નાશ થાય છે. એમાં પ્રથમ હેલ્રાના અને ત્યાર પછી ઉત્તરાત્તર તેની આગળનાના નાશ થાય છે. મિથ્યા જ્ઞાન એટલે દેહાર્દિ અનામ વસ્તુમાં આત્મબુદ્ધિ. આ દેહાદિમાં રહેલી આત્મબુદ્ધિના પેાતાના અનુકૂળ પદાર્થા ઉપર રાગ અને પ્રતિકૂળ પદાર્થ ઉપર દ્વેષ તથા મેહ એ દ્વેષા છે. રાગાદિ દોષ પરસ્પર અનુબંધી હાવાથી માડુ પામેલેા પ્રાણી રાગયુક્ત થાય છે અને રાગી મે પામે છે. વસ્તુતઃ આત્માને અનુકૂળ પ્રતિકૂળ કાંઇ નથી. આ દોષોથી પ્રેરિત પ્રાણી પ્રતિષિદ્ધ આચરણા કરી પાપપ્રવૃત્તિ કરે છે અને અધર્મને લાવે છે અથવા દાન, રક્ષણ, સત્યાદિ આચરણ કરી પુણ્ય પ્રવૃત્તિ દ્વારા ધર્મને લાવે છે. આ ઉભયરૂપ પ્રવૃત્તિ પ્રશસ્ત અપ્રશસ્ત જન્મ ઉત્પન્ન કરે છે અને ત્યાં શરીરાદિ દ્વારા પ્રતિકૂળ વેદનીયતાવાળું વાસનાત્મક દુઃખ ઉત્પન્ન થાય છે. મિથ્યા જ્ઞાનથી દુઃખ સુધીના ઢાષા અવિચ્છિન્ન પ્રવૃત્તિવાળા છે અને તે જ સંસાર છે અને તે ઘટીચક્રની પેઠે નિરવધિ અનુવર્તન કરે છે. કાઇ સદુપદેશ દ્વારા જ્યારે પ્રાણીને જણાય છે કે-આ સવ હૈય છે ત્યારે તેને નિહન કરનાર અવિદ્યાદિની નિવૃત્તિ કરવા તે ઈચ્છે છે. તેની નિવૃત્તિના ઉપાય તત્ત્વજ્ઞાન છે. ચાર વિદ્યામાં વિભકત પ્રમેયની ભાવના કરનારને તે તત્ત્વજ્ઞાન જેને સમ્યગ્દર્શન કહે છે તે થાય છે; એનાથી મિથ્યા જ્ઞાનના નાશ થાય છે, એના નાશ થતાં દોષોના નાશ થાય છે, તેથી પ્રવૃત્તિનેા નાશ થાય છે, પ્રવૃત્તિનાશથી જન્મના નાશ થાય છે અને જન્મના નાશ થતાં આત્યંતિકી દુઃખનિવૃત્તિ થાય છે. આ આત્યંતિકી દુઃખનિવૃત્તિ તે અપવર્ગ. આ દનવાળા સેાળ તત્ત્વ માને છે. વૈશેષિક અને નૈયાયિક વચ્ચે તત્ત્વ સંબંધી મતભેદ છે, તથાપિ અન્યોન્ય તત્ત્વાદ્ય તભાવ થઈ શકવાને લીધે બહુ થોડા જ અંતર રહે છે અને તેથી તે ભયના મત તુલ્ય છે. આ દનમાં દ્રુ:ખની નિવૃત્તિને જ મેાક્ષ માનવામાં આવે છે, અખંડ જ્ઞાન અને સુખની પ્રાપ્તિના સ્વીકાર કરવામાં આવતા નથી; જગત્ દ્વારા અનુમાનથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાના પ્રયાસ કરવામાં આવે છે અને મેક્ષપ્રાપ્તિ માટે ઈશ્વરપ્રસાદને આવશ્યક માનવામાં આવે છે. સાંખ્યમતાવલ બીએ કેટલાક નિરીશ્વરવાદ્યને માને છે અને કેટલાક ઇશ્વરને માને છે. * જૈતાનુ' સમ્યગૂદર્શીન આનાથી તદ્દન પૃથક્ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy