________________
ચાલીસમું પદ
Young ઓછી થતી જાય છે. આત્મા પ્રગતિ કરતાં નવીન કર્મ ઓછાં ગ્રહણ કરે અને પૂર્વબદ્ધ કર્મોને કાંઈક પ્રદેશ અથવા વિપાક ઉદયથી ભેગા કરી લે અને કાંઈક નિર્જરાથી ક્ષય કરી નાખે ત્યારે છેવટે સર્વથા કર્મને ક્ષય કરતાં તે મેક્ષ-અજરામર પરમાનંદ સ્થાન પ્રાપ્ત કરી ત્યાં સુસ્થિતપણે રહે છે. ચેતનનું ત્યાં પણ વ્યક્તિત્વ સ્પષ્ટ જ રહે છે. જો કે ગુણ સાદશ્ય છે પણ પરમ તત્વમાં મળી જઈ તેની વ્યક્તિ નાશ પામી જતી નથી એ જૈન મતના મોક્ષમાર્ગનું રહસ્ય છે.
બૈદ્ધો ક્ષણિકવાદી છે. તેઓ દુખ, સમુદય, માર્ગ અને નિરોધ એ ચાર આર્ય સત્ય માને છે. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ એ દુઃખના પ્રકાર છે. આ સંસારી સ્કંધરૂપ જ જીવ છે, તેથી અન્ય જીવ એ કઈ પદાર્થ નથી. રૂપ, રસ વિગેરેનું જ્ઞાન તે વિજ્ઞાન એટલે નિર્વિકલ્પક જ્ઞાન, આલેચના માત્ર સામાન્ય જ્ઞાન Perception થાય તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. સુખ દુઃખ અને અદુઃખરૂપી વેદના એ પૂર્વકૃત કર્મના ઉદયથી થાય છે. નિમિત્તનું ગ્રહણ કરવાપણું તે પ્રત્યય; એનાથી જાતિવ્યક્તિને વેગ કરી સવિકલ્પ જ્ઞાન થાય તે સંજ્ઞા. પુણ્યાપુણ્યાદિ ધર્મસમુદય તે સંસ્કાર એના પ્રધથી પૂર્વે અનુભવેલા વિષયનું સ્મરણ વિગેરે થાય છે અને પૃથ્વી, ધાતુ વિગેરે રૂપર્કંધ. આ પાંચ સ્કંધ સિવાય “જીવ” અથવા “ આત્મા” એવો પદાર્થ કઈ પ્રમાણથી સિદ્ધ થતું નથી. આ પાંચે કંધને ક્ષણસ્થાયી સમજવા. તે નિત્ય અથવા કાલાન્તરઅવસ્થાયી નથી. આવી રીતે બૌદ્ધો દુઃખતત્ત્વની વ્યાખ્યા કરે છે. લેકમાં હું અને મારું વિગેરે જે અખિલ ગણ ઉદય પામે છે તેને સમુદયતત્વ કહેવામાં આવે છે. સર્વ સંસ્કાર ક્ષણિક છે એવી વાસને જેમાં બંધાઈ છે તે માર્ગ અને નિરાધ તે મોક્ષ. આવી રીતે ચાર આર્ય સત્ય માનવામાં આવે છે. સર્વ સંસ્કારનું ક્ષણિકત્વ બૌદ્ધો ઘણુ યુક્તિપૂર્વક સિદ્ધ કરવા મથન કરે છે. તેઓ સંસ્કારને નિત્ય માનવામાં કેવા કેવા હેત્વાભાસ થાય છે તે સંબંધી અનેક રીતે ચર્ચા કરે છે તે અત્ર લખવાથી વિષય બહુ પારિભાષિક થઈ જાય તેમ છે. સર્વ સંસ્કાર ક્ષણિક છે એમ કહીને એટલું બતાવવા તેઓ માગે છે કે-કેઈ પણ પ્રકારે આત્મા કે જીવ એ પદાર્થ માનવ નહિ પણ જ્ઞાનક્ષણને સંતાન જ વ્યવહાર માટે બસ છે. ક્ષણિક સંરકાર અન્ય ક્ષણે બીજા તદ્રુપ સંસ્કારને જન્મ આપે છે અને આવી ક્ષણસંતાનપરંપરાથી જ એક વિષયનું દીર્ઘ કાળ સુધી જ્ઞાન થાય છે. આ પ્રમાણે સીતાંત્રિક નામના બોદ્ધ સંપ્રદાયને મત છે. વિભાષિક સંપ્રદાયવાળા બાર પદાર્થ માને છે તેઓ પણ સંસ્કારને તે ક્ષણિક જ માને છે. બૌદ્ધ પરમ પુરુષાર્થની પ્રાપ્તિ ચાર ભાવનાથી માને છે. આ ચાર પ્રકારને વારંવાર વિચાર કરીને નિશ્ચય કરવાથી સિદ્ધિ થાય છે. ૧ સર્વ ક્ષણિક છે; ૨ સર્વ દુઃખ છે; ૩ સર્વ સ્વલક્ષણ છે (એકના જેવું અન્ય નથી, પોતે પિતાના જેવું જ છે ); અને ૪ સર્વ શૂન્ય છે. આવી રીતે ચાર ભાવનાથી સકળ વાસના
* જુએ પદનસમુચ્ચય લેક છઠ્ઠા પરની ટીકા અને સર્વદર્શનસંગ્રહને બૌદ્ધ પ્રકરણ વિભાગ.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org