________________
૪૦૫
ચાલીસમુ પ
અનેક ભેદે થાય છે, તે ચેતન ઉપર લાગ્યાં કરે છે અને તેના ભાગકાળ થયે ફળ આપી ખરી પડે છે, ચેતન જ્યાં સુધી મિથ્યાત્વ દશામાં વતા હાય છે ત્યાં સુધી ઉપર લખેલાં સકર્માં તેની પ્રચુરતા સાથે હાય છે. એ નિાદમાં હાય છે ત્યારે અવ્યક્ત દુઃખ ભોગવીને અનેક જન્મ મરણ કરે છે. એવી નિગેાદ સર્વ લેકમાં ભરેલી છે. સાયના અગ્રભાગ પર તેના અનત જીવા રહી શકે છે. કાંઇક અકામ નિર્જરા થતાં આ જીવ બાદર નિાદમાં આવે છે. ત્યાર પછી ખાદર વનસ્પતિ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી જે સર્વ એકેન્દ્રિયવાળા× છે તેમાં આવે છે, તેમાંથી વળી કાંઈક નિર્જરા થતાં તે બે, ત્રણ, અને ચાર ઇન્દ્રિયવાળા જીવની ગણનામાં આવે છે અને આગળ વધતાં તે પચેંદ્રિય તિય ચ થાય છે. કપ્રચુરતા થતાં તે આગળ વધતા અટકી પાછો નીચે પણુ ઉતરી જાય છે અને ક ઘટતાં કોઈ વખત મનુષ્ય પણ થાય છે. મનુષ્યગતિમાં તેને દેવગુરુના યાગ થઇ જાય છે તે તે શુદ્ધ માનું આરાધન કરી પોતાની પ્રગતિમાં વધારા કરે છે. એવી રીતે ઉત્ક્રાન્તિ અપક્રાન્તિમાં નરક અને દેવલેાકમાં દુઃખ સુખ પણ અનેક પ્રકારનાં અનુભવે છે. શુદ્ધ માના આશ્રય થતાં કેાઇ વાર તેની નિવિડ મિથ્યાત્વ મોહનીય કગ્રન્થિના ભેદ થાય છે અને આવા ભેદ થયા પછી તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. પછી વ્રત, પચ્ચખ્ખાણુ, ત્યાગ, વૈરાગ્ય, યાગાદિ કાર્યથી વિરતિભાવને તેના વિશેષ રૂપમાં પામી, ઉચ્ચ આચરણુ કરી અપ્રમાદીપણે શુદ્ધ ચારિત્ર પાળતાં કર્મના ભાર છેા કરતા જાય છે અને છેવટે શુદ્ધ કૈવલ્યજ્ઞાન જ્યારે તેને પ્રાપ્ત થાય છે ત્યારે તે સચરાચર જગતના ત્રિકાળ ભાવા પ્રત્યેક સમયે જાણુ-દેખે છે. છેવટે શેષ અલ્પ કમળ હાય છે તેને પણ ક્ષય કરી અજરામરપદ પ્રાપ્ત કરે છે. આવી રીતે મેાક્ષમાં ગયા પછી ત્યાં તેની સાટ્ઠિઅનત કાળ સુધી સ્થિતિ થાય છે, તેને સંસારમાં ફરી વાર આવવું પડતું નથી અને ત્યાં તે સચ્ચિદાનંદસ્વરૂપે અનત આત્માનંદ પ્રાપ્ત કરે છે અને તેમાં રમણ કરે છે. આવી રીતે આત્માને ભેદાભેદ સ્વીકારનાર સ્યાદ્વાદ શૈલી જે ચેતનજીની ઉત્ક્રાન્તિ બતાવે છે તે સમજીને વિચારવા ચેાગ્ય છે. એ મતમાં તત્ત્વ સાત અથવા નવ છે. ચૈતન્યસ્વરૂપ જીવ અને જડ તે અજીવ, કપ્રકૃતિને ચેતન સાથે મળવાના માર્ગ–પ્રણાલિકા તે આશ્રવ, તેને અવરોધ કરવાનાં કારણેા તે સંવર, આત્મા સાથે લાગેલ કમળને ખંખેરી નાખવા તે નિરા, તેના સચેગ થવા તે બંધ અને તેના સર્વથા ક્ષય થવા તે મેક્ષ. આ સાત
* અવ્યવહાર રાશિમાં અનંત જીવા એકેન્દ્રિય અવસ્થામાં આખા વિશ્વમાં ભરેલા છે, તે સૂક્ષ્મ છે, આંખે ન દેખી શકાય તેવા છે, એક શ્વાસેાાસમાં સાડાસત્તર ભવ કરે છે અને તેવી સ્થિતિમાં અનંત કાળ કર્યાં કરે છે. એ સ્થિતિમાં એક સાયના અગ્રભાગ પર અસખ્ય ગાળા હાય છે અને એક ગાળામાં અનંત વા હોય છે. એ જીવાને નિગેાદના જીવ કહેવામાં આવે છે. વિચાર કર્યાં વગર ( અકામ નિજ રાથી ) ધ ભ્રૂણન ન્યાયથી કમ ક્ષય થતાં એમાંથી જીવ ઉન્નત સ્થિતિમાં આવે છે. એ નિગેાદનુ સ્વરૂપ જૈન ગ્રન્થામાં ઘણા વિસ્તારથી આપવામાં આવ્યું છે.
× ઇન્દ્રિયા પાંચ છેઃ સ્પન, રસના, નાસિકા, ચક્ષુ અને શ્રાત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org