________________
ઓગણચાલીસમું પદ
૪૦૧ ભાવઉપરોક્ત ભગતૃષા આખા જગતને છેતરનારી છે. તેની અસર તળે આવનારને તે અંધ બનાવી દે છે, પિતે યૌવનના પૂરજોરથી કામ કરે છે અને લોકલાજની દરકાર રાખતી નથી તેથી તે આખી દુનિયાને એટલે દુનિયાના પ્રાણીને છેતરીને ઊંધા પાટા બંધાવે છે. સર્વ પ્રાણીને તે સ્વાર્થી બનાવી વિષયસુખના કચરામાં રગદળે છે અને તેમાં તેને ડુક્કરની પેઠે આનંદ લેવરાવે છે તેથી તેનાથી મુક્ત પ્રાણ આ દુનિયામાં કઈ વિરલ હશે. શુદ્ધ ચેતના કહે છે કેઆવી મેહની–ભોગતૃષા જે આખા જગતને ઠગનારી છે તેણે મારા પતિને-ચેતનજીને પણ ઠગે છે, તેને પિતાના કબજામાં લઈ લીધો છે અને તેને પિતાને વશ બનાવી દીધો છે. એને પરિણામે તે અંધ થઈ જઈ અખલિતપણે લેકલાજની દરકાર વગર ઠગાયા કરે છે અને જે વિષયોમાં વસ્તુતઃ કાંઈ સુખ નથી તેમાં સુખ માની સંસારમાં ફસાયા કરે છે. એ મેહની પણ એવી છે કે એણે જગતમાં મોટા મોટા ઋષિમુનિઓને પણ ઠગ્યા છે અને મારા પતિ પણ તેથી ઠગાઈ ગયા છે. પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન ભૂલી, મારા પ્રેમની અવગણના કરી, સ્વરૂપજ્ઞાનના અભાવે ચેતનજી ઘસડાયા કરે છે અને વિષયભેગનાં સાધને એકઠાં કરતા જાય છે અને મને તથા સુમતિને શોધતા નથી, મળતા નથી, યાદ કરતા નથી, અમારે સંબંધ વિચારતા નથી અને અમારો સંગ કરતા નથી. મેહનીએ એમને એવા ઊંધા પાઠ ભણાવી દીધાં છે કે તે ચેતનજીને અમારી છાયામાં આવવાનો વિચાર પણ કરવા દેતી નથી અને તેનાથી ઠગાયેલા ચેતનજી નિરંતર એ જ સ્થિતિમાં રહી સંસાર-ચકમાં અટવાયા કરે છે.
હવે છે આનંદઘન પ્રભુ! આવી જગતને ઠગનારી મેહની પાસેથી ચેતનજીને લઈ-- લઈને અમને સેપે એવી અમારી વિજ્ઞપ્તિ છે. અમારા પતિ અમારી પાસે આવે, અમારે મંદિરે પધારે અને અમારા સાથે આનંદ (જ્ઞાનાનંદ વિગેરે) ભેગવે તથા અમારી વિરહવ્યથા દૂર કરે એવું આપ કરી આપે તે અમારી ચેતનજી સંબંધીની ચિંતા દૂર થાય, અમારા મનની ગ્લાનિ ખસી જાય, અમને સર્વ પ્રકારે આનંદ થાય. અમારા મનમાં ખેદ એટલે છે કે-આવી અધમ કુલટા મોહિની જેવી સ્ત્રીઓ સાથે અમારા શુદ્ધ નિરંજન સ્વરૂપી નાથ ભટકે અને દર નજીક બેઠાં બેઠાં અમે જોયા કરીએ એ અમને જરા પણ ઠીક લાગતું નથી, અમને શોભતું નથી અને ચેતનજીને તેમ કરવું કઈ રીતે ઘટતું નથી. હવે તે ચેતનજી મનને નટનાગરમાં જોડી દે અને બીજા સર્વ સાથેથી તેનો સંબંધ તેડી નાખે એમ તેને વિચાર થયે છે તેથી તે સ્વતઃ જ મેહની પણ્યસ્ત્રી સાથેનો સંબંધ છોડી નાખશે. પણ એ કુલટા આખા જગતને ઠગનારી છે તેથી યોગમાર્ગ પર ચઢવાને ઉઘુક્ત થયેલા અમારા ચેતનજીને વળી કોઈ છળ કરી છેતરી જાય નહિ એ અમારા મનમાં ભય છે. એ મેહનીના માર્ગ એવા ગૂઢ છે અને અત્યાર સુધી એણે ચેતનજીને એવી એવી યુક્તિપ્રયુક્તિથી ભૂલાવામાં નાખ્યા છે કે ગમે તે બાજુથી તે ચેતનજી પર
૫૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org