SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીનાં પદ પિતે રહેતા હોય, જેમની સાથે પિતાને વહીવટ ચાલતું હોય તેની લજજા ખાતર ઘણાં સારાં કામ કરે છે અથવા ખરાબ કામ કરતાં અટકે છે, પણ આ ભેગતૃષાને એ પણ નથી. એની અસર તળે માણસ એવાં અધમ કામ કરે છે કે જેનું વર્ણન થઈ શકે નહિ. ભગતૃષા જ્યારે પ્રબળ સ્વરૂપમાં હોય છે ત્યારે તેની અસર નીચે મૂકાયેલ પ્રાણ તદ્દન અંધ બની જાય છે અને જાણે દુનિયા તેને જોતી જ નથી એવી રીતે કેઈના વિચારની કે અભિપ્રાયની દરકાર રાખ્યા વગર એ પિતાનું કામ ચલાવ્યે જાય છે અને એટલા માટે અનેક શાસ્ત્રકાર એવા પ્રાણીને “ વિષયાંધ” કહીને સંબોધે છે. વ્યવહારમાં નજર કરતાં જણાશે કે ગતૃષામાં આસક્ત થયેલા પ્રાણીઓ અનેક પ્રકારનાં અપ્રમાણિક આચરણ કરે છે, સગા ભાઈ સાથે ધન ખાતર લડે છે, લેણદેણમાં ગેટા વાળે છે, મોટી વૃદ્ધ ઉમરે દશબાર વરસની બાળા સાથે પૈસા આપી પરણુતાં તેની આગામી સ્થિતિને વિચાર કરતા નથી, પરસ્ત્રીલંપટ થાય છે અને એવી અનેક પ્રકારની અઘટિત ઘટનાઓ કરે છે કે જે બતાવી આપે છે કે-તેઓ તદ્દન અંધ છે. વળી એ ભેગતૃષાનું સ્વરૂપ બતાવતાં કવિ કહે છે કે-એની કઈ લગામ પણ હાથમાં નથી કે જેથી તેને વારીને કહી શકાય કે તેણે આ પ્રમાણે વર્તવું જોઈએ. એક સારો અશ્વ લગામથી વશ રહી શકે છે પણ આ ભેગતૃષાને તે બીલકુલ લગામ જ નથી; એથી એ લગામ વગરના ઘેડાની પેઠે પિતાને દર નિરંકુશપણે ચલાવે છે અને તેમાં તેને કોઈ પણ પ્રકારને અટકાવ કરી શકાતું નથી. લગામ વગરને અશ્વ કેવી રીતે ચાલે છે તે એક વખત અનુભવવા જેવું છે. આવી રીતે ભગતૃષા પર વૃદ્ધાવસ્થાની પણ અસર થતી નથી, તેને લેકલાજ પણ નથી અને તેને લગામ પણ નથી. આ પ્રમાણે હકીકત હોવાથી તે આખી જિંદગી સુધી કોઈ પણ પ્રકારના અંકુશ વગર અને લોકવિચારથી સંકેચ પામ્યા વગર પોતાનું સર્વ જેર આ ચેતનજી પર પૂર દમામમાં ચલાવે છે અને આ ચેતનજી જ્યાં સુધી યેગમાર્ગ પર પ્રગતિ કરવાનો વિચાર અને નિર્ણય કરી તેનું વાસ્તવિક સ્વરૂપ સમજે નથી ત્યાં સુધી તેને દર ઓછો પણ થતું નથી. मोहनी मोहन ठग्यो जगत ठगारीरी, दीजीए आनंदघन दाह* हमारीरी. तरसकी० ३ આખા જગને ઠગનારી ભેગતૃષાએ મારા મનમેન પતિને (પણ) છેતર્યો છે. હે આનંદઘન પ્રભુ ! (તે પતિને મને) પાછો અપાવે એવી અમારી ચાહના-વિજ્ઞપ્તિ છે.” * દાહને બદલે એક પ્રતમાં ‘દાદ’ પાઠ છે. દાદ એટલે અરજી ( hearing ). આ પાઠ ઠીક લાગે છે. ૩ મોહની=મોહ કરનારી, તૃષ્ણા. મેહન=મારો પતિ, પ્રેમનું સ્થાન, મનોહર. ઠaછેતર્યો. જગત ઠગારી=સવને છેતરનારી દીજીએ પાછો આપીએ. આનંદઘ=હે આનંદઘન પ્રભુ. દાહદાઝ, ચાહના. હમારી અમારી, અમારા તરફની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy