SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની આવશ્યકતા લાભની દૃષ્ટિથી કાઈ કાર્યાં એવાં પણ કરે છે કે જેને ખુલાસા સામાન્ય જનકલ્પનામાં કેટલીક વાર આવી શકે નહિ. આવાં કારણેાથી સાધારણ સત્ત્વાના સંબંધમાં બહુ બારીકીથી અભ્યાસ કરવાની અને તેની જીવનચર્યાને પૃથક્કરણ કરીને બરાબર સમજવાની ખાસ આવશ્યકતા રહે છે. તાવીજમાં લખેલા અક્ષરા કાઈ ખાસ આધ્યાત્મિક ભાવ બતાવે છે તેનું અત્ર ઝાંખું દર્શન થયું હશે. આદિનાથ સ્તવનરચના શ્રીઆન ંદઘનજીએ ખનાવેલાં આશા એરનકી ક્યા કીજે’ એ પદ રચના કરવાના પ્રસંગને અંગે ચાલતી વાત ઉપર જણાવી, તેવી જ રીતે ચાવીસ પૈકી ખાવીશ સ્તવના કહેવાય છે. તેમાં પ્રથમ સ્તવનને અંગે એક એવી વાત ચાલે છે કે તેએ એક વખત મેડતાની પાસેના જંગલમાં ફરતા હતા ત્યાં એક શેઠની છેાડી જે તરતમાં વિધવા થઇ હતી તેને અગ્નિમાં બળી મરી સતી થવાને ઉઘુક્ત થયેલી જોઈ. આ પ્રસંગે તે સ્ત્રીને ઉદ્દેશીને આત્માના ખરા પતિ કાણુ છે, પ્રીતિનું વાસ્તવિક લક્ષણુ શું છે તે ખતાવતાં આનંદઘનજીએ ઉપદેશ આપ્યા એમ સંભળાય છે. તેઓએ તે સ્ત્રીને સમજાયું કે સાંસારિક પ્રાણીઓ જે પ્રીતિ કરે છે તે વાસ્તવિક પ્રીતિ નથી, કારણ કે એ પ્રીતિ લાંબે વખત ટકતી નથી અને પ્રીતિને અંગે પાછે જ્યારે ત્રિરડુ થાય છે ત્યારે મનમાં અતિખે થાય છે, માટે પ્રીતિ કરવી હાય તે એવી કરવી કે અનંતકાળ સુધી પ્રીતિના પાત્ર સાથે િ વિરહ થાય નહિ. સ્થળ પ્રીતિમાં આ વાતની ગંધ પણ હાતી નથી. એ ચાલતી હાય ત્યારે અનેક પ્રકારની ઉપાધિ કરાવે છે, અંતે વિરહદુઃખ આપે છે અને મનને શકિત કર્યાં કરે છે અને છેવટે એનો નાશ થાય છે. એવા પ્રકારની પ્રીતિ કરવી એ કાઇ પણ રીતે ઈષ્ટ ગણી શકાય નહિ. સ`સારરસિક સ્રીએ પતિને વશ કરવા અથવા તેની પ્રીતિ સંપાદન કરવા વટસાવિત્રી આદિ વ્રત કરે છે, કોઈ ભવાંતરમાં એ જ પતિને પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી અગ્નિમાં પડે છે, પણુ સ્વક વિપાકાનુસાર પતિ ક્યાં ( કઈ ગતિમાં) ગયા હશે અને ત્યાં જવાને પ્રાયેાગ્ય પેાતાને કમ છે કે નહિ તેની કાંઇ ખબર હાતી નથી. આવી રીતે પતિરંજન કરવા માટે અનેક ઉપાધિ વહેારવી અને મરણાંત કષ્ટ સહન કરવું એ કાઈ પણ રીતે કન્ય નથી, પરિણામ વગરનું અને અતિ દારુણુ ફળ આપનારું છે. આ પ્રમાણે હકીકત હાવાથી ખરેખરા પતિ કેણુ છે તે વિચારવુ, પ્રીતિનું સ્વરૂપ સમજવુ, તે કેવી ઉચિત ગણાય તેની વિચારણા કરવી અને તે કરીને શું મેળવવુ છે તેનું ખાસ લક્ષ્ય રાખવું. આવી રીતે નિર્ણય કરતાં અથવા નિર્ણય કરવા માટેના વિચાર કરતાં સ્થૂળ દશામાં થતી સાંસારિક પ્રીતિનું સ્વરૂપ સમજાશે કે ખરી પ્રીતિ તે વિશુદ્ધ આત્મા સાથે જ કરવા ચેાગ્ય છે કે જે કરવાથી પાતામાં વિશુદ્ધ ગુણ પ્રગટી આવે અને ભવાંતરમાં થતી પીડાએ અટકી સર્વથા નિવૃત્તિસ્થાન આનદ સાથે પ્રાપ્ત થાય. પરમાત્મદશા પ્રાપ્ત થયેલ શ્રી જિનેશ્વર દેવને પતિ તરીકે કલ્પી તેઓની અનન્ય ભાવથી પૂજા કરતાં પૂજામાં ચિત્તની અતિ 6 Jain Education International 31 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy