SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ આમણચાલીસમુ' પદ્મ ૩૯૭ કટાક્ષ ફૂંકે છે એટલે જ્યારે તે વક્ર વિલેાકન કરે છે ત્યારે તેનાં તે તીક્ષ્ણ કટાક્ષની પંક્તિ કટારની જેમ શરીરને ભેાંકે છે. દેખાવમાં તે વક્ર વિલેાકન કાંઈ જણાતું નથી પણ કટારના માર કરતાં પણ તેને પ્રહાર અસહ્ય હેાય છે. ચક્ષુઇંદ્રિયના વિષયના આ તે એક વિભાગ થયે.. એવી રીતે તેના બીજા અનેક પ્રકાર થાય છે અને તેવી રીતે મીજી ઇંદ્રિયોના વિષયોના હું વિચાર કરું છું ત્યારે જણાય છે કે એ પૌદ્ગલિક વિષયની તૃષ્ણા તે એક કમ નથી પણુ કર્મનુ માઠુ લશ્કર છે અને તે ચૈતનજીની તરફ પેાતાનેા ગૂઢ માર ચાતરફથી એવા પ્રબળપણે ચલાવે છે કે-ચેતનજીને તે તદ્ન હરાવી દઇ, પેાતાના કબજામાં લઇ હુતાશ કરી મૂકે છે. સાધારણ રીતે તે એક કમ હેાય તે તેનુ ં આવું પ્રખળ જોર સંભવે નહિ, કારણ કે એક દુશ્મન એટલુ બધુ કામ કરી શકે નહિ. વિષયસુખની અભિલાષા તેા આવતી વખત જ ચેતનજીને ઊંધા પાડી દે છે અને તેને મજબૂત રીતે પેાતાને વશ કરી લે છે તથા કબજામાં લઇ લે છે. ત્યારે એને પ્રેરનાર કર્મ તે એક છૂટુ છવાયું કર્મ ન હેાવું જોઇએ પણ કરાજાની આખી સેના હાવી જોઇએ. એક સ્ત્રીનાં કટાક્ષ જ માહુરાજની પ્રેરણાથી આટલુ કામ કરે છે તે તેની પાછળ તેની મદદમાં કર્મની મોટી ફાજ હાવી જ જોઇએ. વાસ્તવિક હકીકત પણ એ પ્રમાણે છે. મેહનીય કર્મને સકકટકદળના રાજાની પદવી આપવામાં આવી છે અને જ્યારે તે પેાતાની સેનામાંથી એકાદ કમને આ ચેતનજીને વશ કરવા મોકલી આપે છે ત્યારે તેની પછવાડે કર્મની આખી સેના પેાતાનાં શસ્ત્રાસ્ત્ર સાથે ખડી રહે છે. એનુ અદ્ભુત વર્ણન ઉપમિતિભવપ્રપંચા કથા વાંચનારે અનેક પ્રસંગે વાંચ્યું હશે. ત્યાં કરાજ-મેહનીય કર્મીના મંત્રીનું પદ વિષયાભિલાષને આપવામાં આવ્યું છે અને તેના પાંચ ઇંદ્રિયરૂપે પાંચ પુત્રના કરેલા આ સસંસારપ્રપંચ છે એમ બતાવ્યું છે. ઉપાધ્યાયજી શ્રીમદ્ઘશેાવિજયજી પણ એવી જ રીતે કહે છે કેઃ— રાગ કેશરી છે વડ રાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજા રે; જેના છેારુ ઇંદ્રિચપ ચેા રે, તેહનુ` કીધા એ સકળ પ્રપંચો રે. રાગ કેશરી માહુરાજાના મોટા પુત્ર છે અને તે પિતાની ગાદી પર બેઠા છે એમ અત્ર બતાવ્યું છે. આ રાગના સપાટામાં જે આવે છે તે સંસારમાં ખૂંચી જાય છે અને તેઓનુ સ્થાન પછી નરક, નિગેાદ જ થાય છે એમ ઉપાધ્યાયજી તે જ સ્વાધ્યાયમાં આગળ જતાં કહે છે. આટલા સહજ કરાવેલા માહરાજાના પરિચયથી જણાયુ હશે કે વિષયની તૃષ્ણા તે માહકટકદળ છે અને તેને વશ કરવા માટે અથવા તેની સામે થવા માટે પ્રખળ પુરુષાર્થ અથવા ભગીરથ પ્રયત્નની જરૂર છે. એ ભાગતૃષ્ણાનું સ્વરૂપ હજુ પણ વધારે આગળ મતાવવામાં આવશે. આવુ તૃષ્ણાનુ સ્વરૂપ ચેતનજી જ્યારે ચેંગમાગ માં પ્રગતિ * રાગ પાપસ્થાનક પર સઝાય-ગાથા બીજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy