SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીનાં પદો પદ ઓગણચાલીસમું રાગ જેવંતી અથવા જયજયવંતી. +तरस की जह दइ को दइकी सवारीरी, तीक्षण कटाक्ष छटा लागत कटारीरी. तरस. १ “પદુગલિક સુખની તૃષ્ણ શું છે? જુઓ ! (તે) કેઈ (એક) કર્મ છે કે કર્મનું લશ્કર છે? તેના તીક્ષણ કટાક્ષની પંક્તિ જણે કટાર હોય તેવી લાગે છે.” ભાવ–ઉપરના પદમાં જણાવ્યું તે પ્રમાણે મનને નટનાગરમાં જોડવાથી અને બીજા સર્વ સાથે તેને સંબંધ તેડવાથી નિશ્ચયષ્ટિ જાગ્રત્ થાય છે ત્યારે તે મેહનીય કર્મનું જોર રહેતું નથી, પરંતુ તેવી સ્થિતિ પ્રાપ્ત થતાં સુધી મેહ રાજાનું જોર બહુ રહે છે, તે કેવા પ્રકારનું છે ? તે અત્ર અદ્દભૂત રીતે બતાવે છે. આ પદમાં મેહ રાજાના લશ્કરનું જેર કેવા પ્રકારનું છે તે નિશ્ચયષ્ટિ પ્રાપ્ત કરવા ઉઘુક્ત થયેલા ચેતનજીને ઉદ્દેશીને બતાવે છે. મેહનું સ્વરૂપ બતાવતાં કહે છે કે-વ્યવહારદૃષ્ટિમાં જ્યાં સુધી આ ચેતનજી હતા ત્યાં સુધી તેને પીગલિક સુખની ઇચ્છા વારંવાર થતી હતી. કેઈ વખત તેને સ્ત્રીસંભોગની ઈચ્છા થાય, કેઈ વાર સુંદર ભેજનો જમવાની ઈચ્છા થાય, કોઈ વાર મદ્યપાન કરવાની ઈરછા થાય, કઈ વાર સુગંધી પદાર્થોને સુવાસ લેવાની ઈરછા થાય, કેઈ વાર સુંદર સ્ત્રી તરફ દૃષ્ટિપાત કરવાની ઈચ્છા થાય અને કઈ વાર મધુર ગીત, નૃત્ય સાંભળવાની ઇચ્છા થાય, તેવી પાંચ ઇદ્રિનાં વિવિધ પ્રકારના વિષયસુખની તેને જે ઈરછાઓ થતી હતી તે સર્વ તેણે માની લીધેલા સુખને પ્રાપ્ત કરવા માટે જ થતી હતી. પ્રભુના સુંદર સ્વરૂપનું દર્શન કે તદ્દગુણગાન દેખવાની કે શ્રવણ કરવાની વિશિષ્ટ ઈચ્છા પણ તેને થતી ન હતી. ત્યારે આવી તેને પીગલિક સુખની તૃષ્ણ થતી હતી તે વસ્તુ શી છે ? આવા સવાલના જવાબની વિચારણામાં તે કહે છે કે-અરે ભાઈ ! જુઓ તે ખરા, મને એમ લાગે છે કે પીગલિક સુખની તરસ તે કર્મ હશે, પણ તે એકાદ કર્મ હોય એમ તે સંભવતું નથી, તે એવા જોરથી દઢ આગ્રહ સાથે આવે છે કે તે એકાદ છૂટું કર્મ હોય એમ તે લાગતું નથી પણ તે તે કર્મનું મોટું લશ્કર હેય એમ જણાય છે. જાણે કર્મની સેનાનું ધાડિયું આવતું હોય એવી તેની રીત જણાય છે. આનું કારણ પોતે જ જણાવે છે. એક ચક્ષુઇન્દ્રિયને જ વિષય પકડીએ. જ્યારે કામદેવનાં સર્વ શાથી સજજ થયેલી નવયુવતી + પ્રથમ પંક્તિ બે પ્રતોમાં આવી રીતે છે, “ તરસ કીજેરી દઈ કાં દઈકી સવારીરી ” એ પાઠ સુન્દર છે, તેની અર્થચર્ચા વિવેચનમાં કરી છે. ૧ તરસપૌદ્ગલિક સુખની તૃષ્ણા. કી=કઈ વસ્તુ છે ? શી વસ્તુ છે? જઈ=જે. દઈ=દેવ, કર્મ કનકાઈ, એક. કે. દઈક કર્મની, સવારી=લશ્કર. તીક્ષણ તીણા. કટાક્ષ=આઠી નજરે જોવું તે, વક્ર વિલેકન. છટા=પંક્તિ. લાગતલાગે છે. કટારીકટાર જેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy