SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનધનનાં પા આ ચેતનજીએ નટનાગરમાં પ્રેમ જોડ્યો છે અને ખીજા સવથી તેનેા સંબંધ છોડી નાખ્યા છે. આટલી હદ સુધી જ્યારે તેની ઉત્ક્રાન્તિ થઈ છે ત્યારે હવે તેણે વળી પાછું મનને અસ્તવ્યસ્ત કરી જ્યાં ત્યાં રખડાવી કાઢેલા વેશમાં ભંગાણ પાડવું ન જોઇએ. જો તેમ કરવામાં આવે તે તેના અભિનય અને કળામાં મેાટી ખામી આવે અને પાત્ર તરીકે તેની ગણનામાં મીંડું આવી જાય. આટલા માટે ચેતનજીએ પેાતે જે કસુરા અગાઉ કરી છે તે જ્યારે નટનાગરમાં પ્રીતિ થવાથી તેને જણાઇ આવી ત્યારે હવે તેને બહારના સાંસારિક સ’બધી પાસેથી શિખામણ લેવાની અથવા તે અનુસાર ચાલી પેાતાના કાઢેલા વેશમાં ક્ષતિ આણવાની જરૂર રહી નથી અને તેમ કરવા કદાચ તે લલચાઈ જાય તે સમજવું કે હજી તેને નટનાગરમાં પ્રીતિ થઈ નથી, થઇ હોય તેા માત તાત અરુ સજ્જન ભ્રાત જે ભોળી ભાળી વાતા કરે તેમાં તેનું મન કદી પણ લાગે નિહ. અહેા સુન્ન ચેતનજી ! તમારા કાઢેલા વેશ હવે બરાબર ભજવી બતાવા અને આ સ વ્યવહારને અંગે તમારે શુ કરવુ જોઇએ તે તમારા નટનાગર જેની સાથે તમે મન જોડયુ છે તેને પૂછી જુઓ. હવે કાઢેલા વેશ છેડી દેતા નહિ અથવા જે વેશ પહેર્યાં છે તેનાથી ખીજો ( જૂદો ) પાઠ ભજવતા નહિ. ૩૯૪ ग्यानसिंधू मथित पाई, प्रेमपीयूष कटोरी हो, मोद आनंदघन प्रभु शशिधर, देखत दृष्टि चकोरी मनसा० ५ શાસ્ત્રસમુદ્ર મથીને તેમાંથી પ્રેમઅમૃતની પ્યાલી પ્રાપ્ત કરી છે, (તે પીને) આનંદ પ્રભુ ચન્દ્ર અને (તેને દેખીને) ચકાર નિશ્ચયષ્ટિ આનંદ પામે છે, રાજી થાય છે. ” ** ભાવપુરાણપ્રસિધ્ધ વાર્તા છે કે-દેવાએ સમુદ્રમંથન કરીને અમૃત પ્રાપ્ત કર્યું. અને તેનું પાન કરીને ચંદ્રમા અમર થયા. અમૃતપાન એ દેવતાઓનું પણ લક્ષ્યસ્થાન રહે છે અને તેને પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. અહીં જ્યારે ચેતનાએ નટનાગરમાં પ્રીતિ જોડી અને ઔર સબનસે તેને તોડી નાખી ત્યારે તેના ઉપર ઘટના કરતાં કવિ કહે છે કે-આ પ્રેમ (love) જેને માટે અન્ય શાસ્ત્રકારો પણ બહુ લખે છે તે ખરેખર અમૃત છે. જ્યારે આ ચેતનજીને નિશ્ચયદ્રષ્ટિ જાગ્રત થાય છે ત્યારે તેને સર્વ જીવા ઉપર બંધુત્વ અને સ્વસમાનત્વ પ્રત્યક્ષ દેખાય છે. એ પ્રેમ ચેતનજીને એવા સ્થાનમાં મૂકી દે છે કે જ્યાં તે ખરેખર અજરામર થઇ જાય છે અને તેથી એ પ્રેમઅમૃતને વધારે સારી રીતે સમુદ્રમંથનની દંતકથા સાથે ઘટાવી શકાય. * જ્ઞાનસં નવિન પાઇ ' એમ પાાન્તર એક પ્રતમાં છે, એ પાઠ અશુદ્ધ જણાય છે. × મેાદતને સ્થાને એક પ્રતમાં ‘ મેહત ' પાડે છે, અર્થ લગભગ સરખા છે. ૫ ગ્યાનસ =જ્ઞાનસંધુ, જ્ઞાનસમુદ્ર. મથિત=મંથન કરીને, પ્રેમપીયૂષ=પ્રેમઅમૃત, નિશ્ચય દષ્ટિરૂપ પ્રેમ અમૃતરસની. કટારી=પ્યાલી, કટારેા. શશિધર–ચંદ્રમા, દેખત=દેખીને. દૃષ્ટિ=નિશ્ચય ચકારી=ચાર, ચતુર. ષ્ટિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy