SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ શ્રી આનંદઘનજીનાં પદો માતાપિતા, સગાંસંબંધી અને નાતીલાએ વાત કરે છે તે બિસાત વગરની લાગે છે, જેણે (એક વાર ) રસ ચાખ્યો છે તેને સ્વજને સાથે મેળાપ હે સજજને ! કેમ કરીને છેટે ? ” ભાવ—જે વખતે આત્મજાગૃતિ કરવાની ઈચ્છા થતાં પગલિક સંબંધ અને સંસારનો ત્યાગ કરી સર્વવિરતિ આદરવાને વિચાર થાય છે અને તેમ કરીને વેગમાર્ગમાં ઉત્કટપણે પ્રવેશ કરી પ્રગતિ કરવા વિચાર થાય છે તે વખતે મારા માતાપિતા, સગાંસંબંધીઓ અને જ્ઞાતિવાળાઓ મારા સંબંધમાં જે વાતો કરે છે તે તદ્દન સાધારણ પ્રકારની અને દમ વગરની લાગે છે. એ પ્રસંગે સાંસારિક માતાપિતા કહે છે કે “ભાઈ ! તમે જે સંસારત્યાગને વિચાર કરે છે તે તે મોટી વાત છે પણ તે કાંઈ તમારાથી બને નહિ, તમારે વિચાર હોય તે પણ હજુ શેડો વખત અભ્યાસ કરે, આવા કામમાં ઉતાવળ ન કરવી જોઈએ. મારા મનમાં જે ઉત્સાહ ભેગમાર્ગ પર આરૂઢ થવાને થયો હોય છે તેના સંબંધમાં આવી નરમ-નરમ વાતો કરી અથવા સ્ત્રીની વય, પુત્રની અવસ્થા, આર્થિક સ્થિતિ વિગેરે અનેક કારણો બતાવી મને નિરુત્સાહી બનાવે છે અને ગમે તેવા પ્રયાસો કરી મને પિતાના સંસાર દાવાનળમાં ખેંચી ખેંચીને પણ રાખવા પ્રયત્ન કરે છે. છેવટે બીજો ઉપાય ન ચાલે તે મને અનેક પ્રકારની ધમકી પણ આપે છે, મારા પર તહોમત મૂકી રાજ્ય કે કઈ દ્વારા મને ત્રાસ આપવાનો પ્રયાસ પણ કરે છે અને ગમે તેમ કરી મને વેગમાર્ગમાં વધતું અટકાવે છે, પણ જાણું છું કે તેઓની એક પણ દલીલમાં દમ લાગતો નથી. મને તેઓની વાત તદ્દન સામાન્ય અને બિસાત વગરની લાગે છે. હું એમ પણ જાણું છું કે તેઓની વાત દીર્ઘ વિચાર વગરની અને મહ-મદિરાની અસરવાળી છે. કોઈ માણસે દારુ પીધે હોય તે વખતે તે અન્યની પાસે વાત કરે તે જેમ કીંમત વગરની અને આડા માર્ગે દોરનારી જણાય છે તેમ મેહ-મદિરાની અસર નીચે બોલાયેલી અને અપાયેલી તેઓની સલાહ મને તદ્દન ભેળી લાગે છે. હે બંધુઓ ! જેણે એક વખત ખરેખરા સજજન પુરુષ સાથે પ્રેમ બાંધ્યો હોય અને તેઓના સત્સંગનો લાભ લઈ તેને રસ પીધો હોય તેને પછી તે રસને રંગ કેવી રીતે છૂટી શકે? સાધારણ રીતે સ્થળ રસની વાત જુઓ. મધને કે કેરીને રસ તમે એક વખત ચાખ્યો હોય અને તે વખતે તે તમને બહુ આકર્ષક લાગે હોય તે પછી તેના પરથી પ્રેમ દૂર કરવા માટે તમને દમ વગરની ગમે તેટલી દલીલે આપવામાં આવે તે પણ તમને તેની અસર શું થશે? જ્યાં સુધી એવા પ્રકારને રસાસ્વાદ ન થયે હોય ત્યાં સુધીની વાત જુદી છે પણ એક વખત તેને સ્વાદ લાગ્યા પછી તે અન્ય રસમાં પ્રેમ કદિ આવતું જ નથી. આ હકીકત મારા સાંસારિક સગાંઓ સમજી શકતાં નથી. મેં સંતોષ, ક્ષમા, આર્જવ, માર્દવ વિગેરે સ્વજનેને પૂરો સંગ તે હજુ કર્યો નથી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy