SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ આડત્રીસમું પદ ૩૮૯ રાજ્ય તજી સંન્યાસ ધારણ કર્યો ત્યારે તે પિતાની ધૂનમાં નદીની વેળુના તકીઆ બનાવી તે પર બેસતે હતો. જળ ભરવા આવનાર પનીઆરી તેને વેળુના તકીઆ પર બેસતે જોઈ કહેવા લાગી કે “જોયું બહેન ! આ રાજપાટ તજ્યાં, સંસાર તળે પણ હજુ રાજાને ઇશક કાંઈ ગયો છે? આ તેમણે રૂના તકીઆ તજી દીધા તે વળી વેળુના તકીઆ પર સૂવું પડે છે !” આ વાત સાંભળીને ભર્તુહરિને વિચાર થયે કે વાત ખરી છે, તેથી તેણે એકદમ વેળુના ગાદી તકીઆ ફેંકી દીધા. એ બનાવ જોઈને પનીઆરી વાત કરવા લાગી કે “જોયું બહેન ! એમણે સંસાર છોડ્યો પણ હજુ ક્રોધ ગયે છે? આપણે આટલું જરા ગાદીતકીઆ સંબંધી કહ્યું ત્યાં તે આટલી રીસ ચઢી ગઈ !” આવી રીતે આપણે પ્રત્યેક વ્યવહારના કાર્યમાં જોઈએ છીએ કે-દુનિયાને ટાઢું કે ઊનું કાંઈ ગમતું નથી, પ્રસંગે અપ્રસંગે અન્યની સાચી કે ખેટી વાતો કરવી એ તેઓ પિતાને ધર્મ સમજે છે અને કઈ પણ વાત કરતા એવી મુખાકૃતિ રાખે છે કે જાણે પિતે સર્વગુણસંપન્ન છે અને હવે પિતાને કાંઈ કરવાનું અવશિષ્ટ રહ્યું જ નથી. વિશેષમાં નિંદ્ય આચરણ કરતી વખતે લેલાજથી ડરી જવું એગ્ય છે, કારણ કે સમાજને અંકુશ ઘણી વખત કુમાર્ગગમનના દ્વારમાં અર્ગલા તુલ્ય કામ કરે છે, પરંતુ જ્યારે મહાન ધર્મ અથવા વિશિષ્ટ પરોપકાર ખાતર અન્ય સૂમ બાબતોની બેદરકારી બતાવવાનો પ્રસંગ આવે અને તેવા પ્રસંગે મેહગ્રસ્ત સંસારરસિક છે તેવા ઉચ્ચ આશયને સમજી નહિ શકવાથી ખોટી વાતો કરી સાધારણ ધર્મોને પ્રાધાન્ય આપે છે તેથી જરા પણ નાસીપાસ થવાની જરૂર નથી. સવિ જીવ કેર શાસનરસી એવી ભાવદયાને ઉલ્લાસમાં જે પ્રસંગે તીર્થકર મહારાજાએ ઘરથી બહાર નિષ્ક્રમણ કરે છે અથવા પરમ આત્મતિ પ્રગટાવી સંસાર પરાડમુખ વૃત્તિ થવાથી તેને ત્યાગ કરવા વિચાર કરે છે તે પ્રસંગે આ સંસારરસિક જીના મધ્યમ પ્રકારના વિચારોથી તેઓ દોરાઈ જતા નથી અને તેમ કરવું જરા પણ યોગ્ય નથી. અબજો રૂપિયાનો લાભ મેળવવા ખાતર કદાચ બસે પાંચ રૂપિયાને ભેગ આપવો પડે તો તે છે અને તેટલી દુષ્ટ ન પહોંચાડી શકનારા બંધુઓ બેસે પાંચસોના વ્યય ઉપર જ અભિપ્રાય આપે તે તેની સાથે જોડાઈ જવું તે યુક્ત નથી. મહાન આત્મિક ધર્મ આગળ પતિધર્માદિ વ્યક્તિગત ધર્મને સમષ્ટિના લાભ ખાતર અથવા આમોન્નતિના વિશિષ્ટ લાભ ખાતર ભેગ આપવો પડે તે યોગદષ્ટિએ તે સર્વથા ઉચિત છે. मात तात* सज्जन जात, वात करत है भोरी; चाखें रसकी क्युं करी छूटे ? सुरिजन सुरिजन टोरी हो. मनसा० ३ * પ્રથમ પંક્તિ “માત તાત અરુ સજજન જાતિ” એમ પણ છે. અરુ અને બીજી પંક્તિને છેડે ઉપરની ગાથામાં જણાવ્યું તેમ હો એક બુકમાં છે પણ એક પ્રતમાં નથી. * છૂટને બદલે ચૂટે એવો પાઠ છે પણ તે અશુદ્ધ જણાય છે. ૩ માત તા-માતાપિતા. સજજન=સગાંસંબંધી, જા=વનતિ, જ્ઞાતિવાળા. ભારી=ભળી. વિચાર વગરની, ચાખે રસકી=જેણે એક વાર રસ ચાખે છે તેની. કયું=કેમ ? સુરિજન સ્વજન. ટોરી સંગ. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy