________________
૩૮૮
શ્રી આનંદઘનજીનાં પદ માત્ર સ્થળ સુખના ખોટા ખ્યાલને લીધે અને મહાનિંદ્ય મેહનીય કર્મની પ્રચુરતાને લીધે સંસારમાંથી ઊંચા આવતા નથી અને અન્ય આવવા ઇરછા કરતું હોય તે તેની મહત્વતા, ગંભીરતા અને યોગ્યતા સમજી શક્તા નથી, તે પછી તેણે તે વિચારને સ્થળ લોકલાજ ખાતર તજી દે ન જોઈએ. તદુપરાંત જે વખતે અનેક જનેને લાભ કરવાને માર્ગ પ્રાપ્ત થઈ શકતા હોય તે વખતે વ્યક્તિગત ધર્મો સમષ્ટિના લાભ ખાતર અને સર્વથી વધારે આત્મધર્મ ખાતર વિસરી જવાય તો તેમાં કઈ પણ પ્રકારની ભૂલ થતી હોય એમ તેને લાગતું નથી. તે સમજે છે કે વિરપરમાત્મા ઘરેથી નીકળ્યા હશે ત્યારે નંદિવર્ધનને, યશદાને અને બીજાં સગાંસંબંધીઓને બહુ લાગ્યું હશે, પણ આવા વ્યક્તિગત ધર્મોને વિચાર કરીને આત્મધર્મ ચૂકવાનો નિશ્ચય કલાજની ખાતર કે કુળમર્યાદાની ખાતર મહાત્મા પુરુષો કદિ કરતા નથી. આથી ચેતનછ જવાબમાં એટલું જ કહે છે કે જે કોઈ કાર્ય કરવું હોય તે બરાબર વિચારીને કરવું, પછી તેમાં લોકલજજાના કે કુળમર્યાદાનો વિચાર કરવા યુક્ત નથી.
આથી પણ વિશેષ પ્રગતિ કરવાની યોગ્યતા થાય ત્યારે કુળ એટલે પિતાના ગરછની મર્યાદા પણ ચેતનજી છોડી દે છે. મતલબ આગળ વધતા વધતા તેને ગચ્છમર્યાદામાં રહેવાની જરૂર જ રહેતી નથી. જ્યારે જિનકલ્પની તુલના કરતા હોય અથવા જિનકલ્પ આદરતા હોય ત્યારે કુળમર્યાદામાં શુદ્ધ ચેતન રહેતા નથી. વ્યવહારને, કુળમર્યાદાને,
કલાજને ત્યાગ કરે છે ત્યારે તેને પોતાના પગ નીચે દબાવી દે છે. ગચ્છના અર્થમાં કુળ શબ્દનો ઉપયોગ તે મર્યાદાને ત્યાગ-સ્થવિરકલ્પને ત્યાગ કરી જિનકલ્પ આદરવાના અવસરે કરવાનું છે. એમના વિહાર વિગેરેમાં ફેરફાર હોય છે પણ એ ઊંચી હદની વિશેષ ગ્યતાની વાત છે. અત્ર ભાવ એ છે કે-શાસ્ત્રમર્યાદાથી તે વર્તે છે, લોકલાજથી લેવાઈ જતા નથી.
આવું મારું વર્તન જેઈને લોકે-રસ્તે ચાલનારા પ્રાણીઓ-સંસારરસિક જીવે હસે, મશ્કરી કરી, તેની મને દરકાર નથી, કારણ કે હસનારા સર્વ પારકા છે, માયામમતામાં પડી પિતાના આત્મધર્મથી પણ પરાડમુખ થયેલા છે અને પિતાના શુદ્ધ સ્વરૃપને ભૂલી ગયેલા છે. વળી તેઓ એટલા તો ડહાપણથી ભરેલા છે કે તેઓ નિરંતર પારકી જ વાત કરે છે; જાણે કે પોતે સર્વ ગુણ પ્રાપ્ત કરી લીધા છે અને હવે પિતાને પ્રાપ્ત કરવાનું કાંઈ બાકી રહ્યું જ નથી, તેથી તેઓ પિતાને તે વિચાર પણ કરતા નથી અને અન્ય કોઈ જરા પણ સ્વાત્કર્ષ માટે પ્રયાણ કરે તે તેની વાતો કરવા મંડી જાય છે. આવા મનુષ્યની વાત તરફ કેટલું ધ્યાન આપવું તેને વિચાર કરી મેં તો તે તરફથી મારો ઉપયોગ જ પાછો ખેંચી લીધો છે.
લેકની વાત ઉપર કેટલે આધાર રાખવે તે પર જરા વિચાર કરીએ ભર્તુહરિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org