________________
આડત્રીસમું પદ
૩૮૫ શુદ્ધ ચેતના સુમતિને કહે છે કે-હે સખી! મેં મારું મન આ નટનાગર ચેતનજીમાં જોયું છે. ચેતનજીને ઉપયોગ તે કઈ વાર આત્મિક દ્રવ્ય પર લાગે છે અને કઈ વાર પગલિક દ્રવ્યમાં ચાલે છે, પણ ઉપરના પદમાં યોગમાં ચિત્ત પરોવવાનું કહ્યું તેવી વાત બની આવે ત્યારે મારા પતિનું ચિત્ત સ્વવિષયક આત્મ દ્રવ્યમાં જોડાય છે અને ત્યાર પછી તે જ્યાં ત્યાં રખડતું હોય ત્યાંથી પાછું ખેંચાઈ જાય છે. શુદ્ધ દશામાં
ગનિષ્ઠ મહાત્માઓ સમજે છે કે-શુદ્ધ ચેતનાના આધાર આત્માને પોતાની સાથે અભેદ છે અને અન્ય પોદુગલિક દ્રવ્યનો પ્રસંગ તે સર્વ સંગજન્ય છે, ત્યારે સામાન્ય ચેતના તે વિચિત્ર પ્રકારની છે. આવી રીતે આપવાળા ધર્મ ઉપરથી વૃત્તિ દૂર કરી પિતાના પરિવાર શમ-શાંતિ આદિમાં તેઓ ચિત્તને પરાવે છે. આ પદમાં તે પર હવે પછી વિવેચન કરવામાં આવશે અને શ્રીઆનંદઘનજી મહારાજે શ્રી શાંતિનાથજીના સ્તવનમાં પણ તે જ વાત કરી છે.
આપણે આતમ ભાવ જે, એક ચેતનાધાર રે, અવર સવી સાથે સંયોગથી, એહ નિજ પરિકર પાર રે. ૧૧
શાંતિ જિન એક મુજ વિનતિ. આવી રીતે જ્યારે શુદ્ધ ચેતના ઉપર સ્વાભાવિક પ્રીતિ વ્યક્ત થાય અને અન્ય સર્વ સંગજન્ય સંબંધ આદિ અને અંતવાળા છે એમ સમજાય ત્યારે સ્વાભાવિક રીતે સ્વભાવ તરફ પ્રીતિ થાય અને અન્ય સંગજન્ય પ્રીતિ પર દુર્લક્ષય થતાં થતાં છેવટે તે સંબંધ છૂટી જાય અથવા છોડવાની દઢ આગ્રહવાળી વૃત્તિ થાય એ તદ્દન એગ્ય હકીકત છે. યુગમાં પ્રીતિ લગાડવાની ઈરછાવાળી શુદ્ધ ચેતના જે ચેતનઆધેયને આધાર છે તે તેટલા માટે યેગમાર્ગ તરફ વિશેષ પ્રગતિ કરનાર ચેતનજી જે કાર્ય કરે તેને માટે પોતાને અને તેને સ્વાભાવિક સંબંધ વ્યક્ત કરતાં અત્ર કહે છે કે હે સખી! હું મારા નટનાગરમાં મારું મન જોડી દઉં છું અને તે એવું જેડી દઉં છું કે બીજા સર્વ પૌગલિક પદાર્થોમાં તેમને જે ઉપગ બાધક દશામાં થતું હતું તે સર્વ ત્યાંથી ખેંચી લઈ તેને શુદ્ધ ચેતનજીમાં જોડું છું. આ વાતને ટૂંકમાં સાર એટલે છે કે–એગમાર્ગમાં ચિત્ત આવવા માંડે એટલે ચેતનજીની શુદ્ધ ચેતના વ્યક્ત થવા માંડે છે અને તેના એક અનિવાર્યું પરિણામ તરીકે ચેતનજીને ઉપયોગ જે અત્યાર સુધી અનેક પરભાવમાં રમણ કરતે હતો તે હવે આત્મદ્રવ્યમાં સ્થિર થાય છે.
અત્ર એક બીજી હકીકત પણ પ્રાપ્ય છે. વસ્તુતઃ ખરેખર નટનાગર તે કેવજ્ઞાની અને સિદ્ધ મહાત્માઓ જ છે, જેઓ સર્વ નાટક જાણે છે. તેઓ ઉપર મનને જોડી દેવાથી નિશ્ચયશુદ્ધિ બરાબર થતી જાય છે અને તેથી અહીં એમ પણ કહેવાને આશય હોય એમ જણાય છે કે અન્ય સર્વ પદાર્થોમાંથી ઉપગ ખેંચી લઈ શુદ્ધ ચેતન દ્રવ્ય જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org