SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનઘનજીનાં પદ્મા “ ( મેં ) કળાકુશળ નાગરિક નટમાં મન જોડી દીધું અને તેવી રીતે મનને નટનાગરમાં જોડી દઇ અનેરા સર્વ સાથેથી તેને તેાડી નાખ્યું. "6 "" ભાવ—ઉપરના પદમાં જણાવ્યા પ્રમાણે જ્યારે ચેાગમાં ચિત્ત લાગે ત્યારે નિશ્ચયશુદ્ધિ થાય. આ નિશ્ચયશુદ્ધિ તે આત્મશુદ્ધિ સમજવી. નિશ્ચયશુદ્ધિ થાય તે પ્રસંગે મનને અથવા ઉપયાગને કેવી રીતે જોડવા અને તે પ્રસંગે શુદ્ધ ચેતનાનું સ્વરૂપ કેવુ' થાય તે આ પદમાં બતાવે છે. દરેક હકીકતને પ્રસંગે શુદ્ધ ચેતના અને ચેતનના અભેદ સમજવે, માત્ર શુદ્ધ ચેતનાની વાત આવે ત્યારે ચેતનજી પરથી બહુ કમળ નીકળી જવાથી તેનુ ખહુ અશે પ્રગટ થયેલું મૂળ સ્વરૂપ સમજવું. આ ખાખત ધ્યાનમાં રાખવાથી કેટલીક વાર પ્રત્યક્ષ વિરુદ્ધ લાગતી હકીકતના પણ ખુલાસે થઇ જશે. ૩૮૪ પાંચમા પદ્મના પ્રસંગે આપણે નટનાગરની આાજીની મજા જોઇ છે. એક સમયમાં સ્થિરતા વિગેરે પામવા છતાં ઉત્પત્તિ, વિનાશ વિગેરે તેનાં કેવી રીતે થાય છે તે સ આપણે બહુ વિસ્તારથી જોયુ હતુ. એવી રીતે અનેક પ્રકારની બાજી ખેલતા આ નટનાગર મહાચાય વાળા ઉસ્તાદ ખાજીગર છે. હવે એ જ નટનાગરને સૂત્રધારરંગાચાય કલ્પીએ તેા વળી વધારે આનંદ આપનારી હકીકત તે જણાવશે. અનેક પ્રકારના ખેલને ગાડવનાર અને તેઓના અરસ્પરસ સંબંધ સમજીને યાજનાર રંગાચાય બહુ વાસ્તવિક રીતે નટનાગર કહેવાય છે. તે પોતે કાઇ પાઠ ભજવતા નથી પણુ દરેક પાઠ તેની આજ્ઞાનુસાર ભજવાય છે અને દરેક પાત્રના અભિનયદ્વારા રંગાચાય અપ્રસિદ્ધપણે વ્યક્ત થાય છે. આથી દરેક પાઠની વ્યવસ્થા માટે જેમ તે જવાબદાર રહે છે તેમ વાસ્તવિક રીતે કહીએ તેા તે જ પાઠ ભજવે છે એમ કહી શકાય. રંગાચાર્ય નું કામ સથી વધારે મુશ્કેલ છે અને તેથી નાટ્ય કાર્યની સ કમાણી તેને જ મળે છે. આ ચેતનજી પણ એવા જ રંગાચાય છે. એના હુકમ પ્રમાણે સર્વ ખાજી મ`ડાય છે અને પાત્રાના અભિનય, નૃત્ય અને અવાંતર પ્રયાગાને માટે જવામદાર રહે છે. સવ ખાજીના પ્રયોગ તે સમજતા હૈાવાથી નાટચકળાને અંગે બહુ ઉપયોગી પુરુષમાં તેની ગણુના થાય છે. આ ચેતનજી પણ તે જ પ્રમાણે સૂત્રધારના પાઠ ભજવે છે. તે દરેક બાજી જાણે છે અને તેની આજ્ઞાનુસાર સર્વ પ્રયાગા ચાલે છે. સિદ્ધના જીવ પણ આખી બાજી સમજતા હાવાથી નટનાગર કહી શકાય અને આસન્નસિદ્ધ જીવા પણ તે જ કક્ષામાં આવી શકે. મતલબ ટૂંકામાં કહીએ તેા સર્વ એક રીતે સૂત્રધાર છે અને તેની આજ્ઞાનુસાર બાજી રચાય છે અને ભજવાય છે. સિદ્ધના વા ખાજી રચતા નથી પણ અન્ય રમાતી બાજીને બરાબર જાણી શકે છે, તેઓ પાતે ખાજી રમતા હાય એમ ધારવુ` જ હાય તે જ્ઞાનાપયેગ અને દર્શનાપયેગની વિશુદ્ધ ભાજીમાં પાંચમા પદમાં તે માટે પણ જે ઉત્પત્તિ, લય અને સ્થિતિ ખતાવી છે તે સમજી લેવી અને તેટલા પૂરતા તે પણ સૂત્રધારના પાઠ ભજવે છે એમ અપેક્ષાથી કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy