SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ શ્રી આનંદઘનજીનાં પદો શ્રી આનંદઘનજી મહારાજના ઉપરોક્ત “અહો અહો 'વાળા વાક્ય માટે કેટલીક ટીકા થઈ છે તે અર્થ વગરની છે. એને સ્પષ્ટ ખુલાસો કરતાં પંન્યાસજી આણંદસાગરજી મને લખી જણાવે છે તેની મતલબ એ છે કે-અધ્યાત્મને પ્રશ્ન ઉપસ્થિત કરે એ આત્મજ્ઞાન પ્રાપ્તિનું બીજું પગથિયું છે. શ્રી યશોવિજયજી મહારાજ પોતે લખે છે કે ગત ઇવ કનઃ પૃછો. જૂન્નસંજ્ઞા gિછg. અધ્યાત્મમાર્ગમાં પ્રગતિ કરવા ઈરછનાર પુરુષને પ્રથમ પગથિયે અધ્યાત્મને સવાલ પૂછવાનો વિચાર થાય છે અને બીજે પગથિયે પૂછવાની ઈચ્છા થાય છે. આ બીજા પાનથી બહુ કર્મનિર્ભર થાય છે એ નિઃસંદેહ વાત છે અને તેની સાથે ગઅધ્યાત્મમાં ઘણો વધારો થઈ જાય છે અને પ્રગતિ-વૃદ્ધિ-નિષ્પત્તિ સર્વ એક સાથે થતાં જાય છે. આવા અધ્યાત્મના પ્રશ્નને ઉપસ્થિત કરનાર પિતાના આત્માને ધન્ય માનનાર આનંદઘનજી ઉપરોક્ત વચનથી ગુણાનુદના કરે છે. આ સ્વરૂપ લક્ષ્ય રાખી સમજવા ગ્ય છે. આવી વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત થતાં શુદ્ધ ચેતના અને ચેતનને એટલે સહગ થઈ જાય છે કે પછી આખું પદ અથવા આ વાક્ય શુદ્ધ ચેતના બેલે છે કે ચેતનજી પિતે બેલે છે, એ પ્રશ્ન રહેને નથી. બન્નેને વસ્તુતઃ પરિણામે અભેદ છે, એટલે જે તફાવત હાલ જણાય છે તે પછી જણાવાને પણ નથી. ચેતના તે હકીકત આ પદમાં સ્પષ્ટ કરે છે અને તેથી જ આ પદ તેના મોઢામાં મૂકયું છે. એ અર્થ લીધા સિવાય ચેતનજી પિતાની વિભાવદશામાં આ શબ્દ બોલવાને યોગ્ય નથી. સુવીનાં શ્રીમતાં વસ્ત્રો જ્ઞાતિ ! આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે (ગભ્રષ્ટ જીવ એગીને ઘરે અથવા શ્રીમાનને ઘરે જન્મ લે છે); જૈન શાસ્ત્રમાં પણ સાત લવ આયુષ્ય ઓછું રહે તે અનુત્તર વિમાને પ્રચુર પુણ્યદયને ભેગ ભેગવવા તેત્રીશ સાગરોપમના આયુષ્યથી અપૂર્ણ યોગવાળા જીવ ઉત્પન્ન થાય છે અને પછી એક ભવ મનુષ્યને કરી ઇસિત થાનકે પહોંચે છે. આસન્નસિદ્ધ જીવ જેમ અનુત્તર વિમાને જાય છે તેમ ઓછી પ્રગતિવાળા સિદ્ધ યોગીઓ તેથી ઉતરતી સગતિમાં જાય છે અને મનુષ્યના ભવ પણ કરે છે પણ દુર્ગતિમાં જતા નથી, પાપપંકમાં ખરડાતા નથી, વિષયભેગરૂપ વિષ્ટાને આહાર કરતા નથી, તેમાં રંગાતા નથી, ફસાતા નથી, આસક્ત થતા નથી, તેટલા માટે શુદ્ધ ચેતના કહે છે કે- આવી રીતે પોતાની જાતને મુક્તિપુરીમાં ગસિંહાસન પર આરૂઢ થયેલ ધ્યાવનાર મારો શુદ્ધ ચેતનજી કઈ વાર દેવેંદ્ર થાય છે અને કોઈ વાર મનુષ્યભવમાં આવી ગસાધના કરનાર ઉપર જણાવ્યા તેવા ભેગી થાય છે અને ત્યાં સમકિત દેરી, શીલ, લંગોટી લગાવી યોગમાર્ગમાં પ્રગતિ કરે છે અને બાકી રહેલે યુગ પૂરો કરે છે. વળી સગતિમાં જઈ, શુભ કર્મો ભેગવી, પાછા મનુષ્યભવમાં આવી, ગમાર્ગમાં વધારો કરે છે, પણ પાપરૂપ કાદવમાં ફરી વાર ખરડાતા નથી, તેને આદરતા નથી અને તેમાં આનંદ માનતા નથી. આ જીવ એક વખતે ગમાર્ગમાં આસક્ત થશે અને તેને સમ્યગ જ્ઞાન થયું એટલે પછી એને એવા એવા અનુભવ થતા જાય છે અને એવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy