________________
સાડત્રીસમું પદ
૩૮૧ શબ્દ છે. એક વિષયમાં રત થઈ જવું એનું નામ નાદ છે. મેગી જેમ અનાહત નાદ સાંભળે છે તેમ આ ચેતનજી કરુણુને નાદ સાંભળે છે.
હે વહાલા ! આવા મહાત્મા ગુરુના ચેલા થઈ મેહરાજાના કાનને ફડાવે અને ધર્મ તથા શુકલધ્યાનમાં આસક્ત થઈ આખા જગતના જ સાંભળે તે “માહણ માહણ” અથવા સર્વ જીવને શાસનરસિક કરવાને કરુણાનાદ એક વાર બન્યા અને મારે મંદિરે પધારો, મારી વિરહવ્યથા દૂર કરે અને મારી સામે કૃપાદ્રષ્ટિથી જોઈ મને ભેટ, મળે, રસરંગમાં રેલ.
इह विध योगसिंहासन बैठा, मुगतिपुरीकुं ध्याउं;
आनंदघन देवेंद्रसे योगी, बहुर न कलिमें आउं रे वहाला. ता जोगे० ४ “આવી રીતે યોગસિંહાસન પર આરૂઢ થયેલ મોક્ષ-અજરામર સ્થાનનું ધ્યાન કરું; આનંદઘન ચેતનજી દેવેંદ્રથી ચગી (થાય) પણ ફરી વાર કાદવમાં આવે નહિ.”
ભાવ–શુદ્ધ ચેતના કહે છે કે ઉપર જણાવેલી રીતે જે ચેતનજીનું મન બેગમાં આસક્ત થયું છે, જેને વેગ પર પ્રેમ આવ્યું છે અને જે વેગને વ્યવહાર કરે છે તે પછી
ગસિંહાસન પર આરૂઢ થઈ ત્યાં બેઠા બેઠા અજરામર સ્થાનનું ધ્યાન કરે છે. ધ્યાનની શરૂઆતમાં સાલંબન ધ્યાન થાય છે અને તેમાં પ્રથમ સ્થળ અને પછી માનસિક અનેક આદર્શ વિગેરે પર ભાવના સ્થિર થતાં થતાં, આગળ વધતાં ઉપર જણાવ્યું તેમ પિંડસ્થાદિ ધર્મધ્યાનને પ્રવેગ કરે છે અને પછી શુકલધ્યાનની શરૂઆત કરે છે ત્યારે તદ્દન માનસિક ધ્યાન થાય છે. અધિકાર પ્રમાણે એ શુભ ધ્યાનમાં મેક્ષમાં શું સુખ છે? કેવા પ્રકારનું સુખ છે? અને સ્થળ સુખની અને તેની વચ્ચે કેટલે અંતર છે? એમ ધ્યાવતાં ધ્યાવતાં છેવટે એવી સામ્ય દશા પ્રાપ્ત થાય છે કે જેમાં ચેતન સમતામય થઈ જાય છે, શાંતિસ્વરૂપ થઈ જાય છે અને જે સ્થિતિ શ્રી આનંદઘનજી મહારાજે શ્રી શાંતિનાથજીના સ્તવનમાં વિસ્તારથી બતાવી છે તદ્રુપ થતું જાય છે, “મુગતિ સંસાર બેહ સમ ગણે.” આવી રીતે નિષ્કામ વૃત્તિએ વિશિષ્ટ ગસાધના કરી પિતે આગળ વધતો જાય છે અને ત્યાં પછી શું જુએ છે? ગસિંહાસન પર બેઠેલ એક્ષપુરીના વાસી પિતાની જાતને જ જુએ છે, પછી તેને
અહો અહો હું મુજને કહું, ન મુજ નમે મુજ રે” આવી ભાવના થાય છે. તે પિતાની પૂજના વધારવા માટે નહિ, પણ તેને ત્યાં પ્રત્યક્ષ અનુભવ થાય છે કે ધ્યેયનું ધ્યાન કરતે હતે તેને અને મારે અભેદ છે, અર્થાત્ ગુણાપેક્ષયા શુદ્ધ દશામાં હું અને દયેય સરખા જ છીએ, શક્તિ વ્યક્તિમાં ફેર છે, પણ યોગ્ય પ્રયાસથી શક્તિગત રહેલા ગુણ વ્યક્ત થઈ જશે એમ તેને સ્પષ્ટ જણાય છે.
૪ ઈહ વિધ=આ રીતે. ગસિંહાસન=ગારૂઢ થઈને. મુગતિપુરી=મોક્ષ. દેવેંદ્રસે દેવતાના રાજા ઇન્દ્ર જેવા. બહુર ફરીવાર. કલિમેં પાપકર્દમમાં, કાદવમાં. આઉ=આવું.
Jain Education International
ein Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org