________________
સાડત્રીસમું પદ
૩૭૫ ઉપર પ્રેમ લાવજે, એના ભેખ ઉપર ઉદાર દૃષ્ટિથી જોજો, એના વિશુદ્ધ વર્તન તરફ વહાલ બતાવજે. એ તમારા વિયેગથી ભૂલી પડેલી ભામિની તમારા તરફ એકાંત હિતદષ્ટિથીપ્રેમદૃષ્ટિથી જુએ છે, માટે એનો યોગ કેવો છે તે જરા જુઓ. હે સખી ! આ પ્રમાણે સર્વ હકીકત તું મારા નાથને કહેજે અને છેવટે જણાવજે કે–આ તમારી હૃદયવલ્લભ સતી સાધવી શુદ્ધ ચેતનાને વેગ અતિશ્રેષ્ઠ છે તેથી તેના ઉપર તમારું મન લગાડે.
આવી રીતે ઉદ્દઘાત કરી, આ પદમાં જૈન દૃષ્ટિએ યોગ કેવો હોય તેનું દર્શન કરાવ્યું છે. આ ભાવ લાવવા માટે જેગણુ શબ્દની અર્થઘટનામાં આગલા ૫દ સાથે સહજ ખેંચતાણ કરવી પડી છે, પણ આખા વિવેચનમાં કર્તાને આશય શું હશે તે સમજવાને પ્રયાસ હોવાથી તેમાં કોઈ પણ વિરોધ નથી આ પદમાં યોગ બતાવ્યું છે તે સમજવા માટે બહુ વિશાળ યોગજ્ઞાનની આવશ્યકતા છે. જેમ જેમ એને પ્રકાશ વધારે પડશે અને ખાસ કરીને જેમ જેમ અનુભવ વધારે થશે તેમ તેમ તેમાં રહેલ સૌંદર્યને ઝળકાટ થશે. અત્ર બતાવેલ યુગમાં મનને જોડી દેવા ચેતનજીને વિજ્ઞપ્તિ છે. એક વખત ચેતનજી એ યોગમાં ચિત્ત લાવે કે તુરત સુમતિ તે તેની પાસે જ છે, તેના મંદિરે તે જરૂર પધારે અને છેવટે શુદ્ધ ચેતના પણ વિકાસક્રમમાં આગળ જતાં પ્રાપ્ત થઈ જાય. આવી રીતે વેગમાં પ્રવેશ કરી તેમાં ચિત્ત પવવા માટે આગ્રહ કરવાના હેતુ ચેતનજી અને શુદ્ધ ચેતનાનો મેળાપ કરાવવાનું છે.
જગી દેરી, લંગોટ રાખે છે, લંગોટને ગાંઠ બાંધે છે અને સાધ્ય દીપકના દર્શન કરવા ચિદ્રગુહામાં પ્રવેશ કરે છે અને અલકને જગાવે છે તેનું અત્ર સામ્ય બતાવે છે. હે ચેતનજી ! તમે હઠાદિ વર્ષ વેગમાર્ગ મૂકી દઈ વિશુદ્ધ જોગનો પંથ નીહાળશે ત્યારે તમને તેમાં અપૂર્વ આનંદ થશે. ત્યાં પ્રથમ તે તમે માર્થાનુસારીના અતિ ઉત્તમ ગુણે પ્રાપ્ત કરી, ત્રણ કરણુવડે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર સાપેક્ષ દૃષ્ટિએ રુચિ પ્રાપ્ત કરશે. એ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ પરની રુચિને સમ્યકત્વ કહેવામાં આવે છે, જેની પ્રાપ્તિથી સંસાર પરિમિત થાય છે, સાધ્યનું સામીપ્ય થાય છે અને વિકાસમાર્ગમાં પ્રગતિ ઝપાટાબંધ થતી જાય છે. એ સમકિત અથવા સમ્યકત્વ. રૂપ દેરી તમને ત્યાં પ્રાપ્ત થશે અને એક વખત તેના પર તમારું ચિત્ત લાગશે એટલે આગળ ક માર્ગ ગ્રહણ કરે છે તે આપોઆપ સૂઝી રહેશે. જોગીઓ લંગોટીને બાંધવા કમર ઉપર કંદોરે રાખે છે તેને દોરી સમજવી. શરીરના મધ્ય ભાગ પર કંદરે બાંધવાથી જાણે અન્યત્ર અવ્યવસ્થિત વિહાર સામે એક જાતને પ્રતિબંધ થઈ જતા હોય એવું જણાવવાને આશય હોય એમ પણ જણાય છે. મતલબ અશ્વને અંકુશમાં રાખવા માટે જેમ મધ્ય ભાગમાં પટ્ટો રાખવામાં આવે છે તે આ સમ્યકત્વરૂપ દોરીનો ઉપયોગ સમજ. વળી એગના આદ્ય અંગ તરીકે સર્વ ચગદર્શનકારે બદ્ધકર૭ થવાને ઉપદેશ આપે છે. યોગમાર્ગમાં પ્રવેશ કરી વધારો કરવાની આકાંક્ષા હોય તેમણે અખંડ બ્રહ્મચર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org