________________
૩૭૪
શ્રી આનંદઘનજીનાં પદો આ પદની ભાષા શ્રી આનંદઘનજીની સામાન્ય શૈલીને તદ્દન અનુરૂપ છે, એમાં બતાવેલા વિચારો પ્રઢ અને અંતરંગ છે અને એને ભાવ તથા આશય હૃદયના ઊંડા પ્રદેશમાં અસર કરનાર છે. બીજી કઈ પણ પ્રતમાં એ પદ નથી છતાં એ શ્રી આનંદઘનજીની કૃતિ નહિ હોય એમ કહેવામાં આંચકે આવે છે.
પદ સાડત્રીસમું
રાગ વેલાવલ. ता जोगे चित्त ल्याओ रे, वहाला. ता जोगे० समकित दोरी शील लंगोटी, घुलघुल गांठ घुलाउं;
तत्वगुफामें दीपक जोउं, चेतन रतन जगाउं रे वहाला. ता जोगे० १ “હે વહાલા ! તે જગમાં તે સંબંધસાધનમાં ચિત્તને લગાડે. સમકિતરૂપ દેરી અને શીલ લગેટી લગાવી અને તેમાં ઘેળાવારૂપ ગાંઠને શોભાવું. (વળી) તત્ત્વગુફામાં દીપક( તિ)ને જોઉં અને ચેતનરત્નને જગાડું.” - ભાવ—ઉપરના પદમાં શુદ્ધ ચેતનાએ સખી શ્રદ્ધા પાસે પિતાની વિરહાવસ્થામાં કેવી સ્થિતિ થાય છે તે સંબંધી વાત કરી અને છેવટે પિતાને વિચાર એમ બતાવ્યું કે હું હવે જોગણું થઈ ઘરથી નીકળીશ. એમાં પતિને સમજાવવા માટે સખીને વિજ્ઞપ્તિ કરી છે ત્યાં એક બીજો જ આશય પ્રાપ્ત થાય છે. મીરાંબાઈનાં વૈરાગ્યવાળાં પદોમાં એક પ્રસિદ્ધ પદ છે તે રસિક વાચકોના જાણવામાં હશે. “શોધવા ચાલી, પિયુને શોધવા ચાલી, પિયુને શોધવા ચાલી, પ્રેમની જોગણ પિયુને શેધવા ચાલી, પિયુને શેધવા ચાલી.” મારા વિચાર પ્રમાણે આ પદમાં જે ભાવ બતાવ્યું છે તેને આ પ્રમાણે આશય હો સંભવે છે. પતિને માટે ભેખ ધારણ કરીને હું હવે ગણુ થઈ છું, પતિની શોધ કરું છું, પતિના નામની માળા જપું છું અને પતિ મારી પ્રાર્થના સાંભળી મારા મંદિરે જરૂર પધારશે એવી વાંછા કરું છું. આ સ્થિતિ બરાબર બતાવવા માટે શ્રદ્ધા રાખીને સુમતિ કહે છે કે હે સખી ! મેં તને ઉપર જણાવ્યું તેમ હું પતિની ખાતર ભેખ ધારણ કરીશ, પણું તું પતિને કહેજે કે-આ તમારા પ્રેમની જોગણ તમને મળવા આતુર છે. એના જેગ
* આ પદ પણ ભીમશી માણેકના છાપેલ પુસ્તક સિવાય બીજી કોઈ પણ પ્રતમાં નથી. તેને અર્થ સંદર છે તેથી અત્રે તેના પર વિવેચન કર્યું છે. આ પદ શ્રી આનંદધનજી મહારાજનું હોવું જોઈએ કે નહિ, તે પર પદને છેડે વિવેચન કર્યું છે.
- ૧ તા જોગે=તે સંબંધસાધનમાં, તેમાં. ચિત્ત લાએ=ધ્યાન આપે. દેરી=ક દેરો. લંગોટીકકર, ધ્રુલઘુલ તેમાં કસ ઘેળાવારૂપ, દુલાઉં=શોભાવું, લગાવું. દીપકદી. જગાઉં=જાગ્રત કરું', જગાડું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org