________________
છત્રીસમું પદ
વિરહી સ્ત્રીના મનમાં અનેક પ્રકારના વિચાર આવ્યા કરે છે. પતિ પિતાને મંદિરે પધારશે કે નહિ? કયારે પધારશે? મારી સાથે પ્રેમ કરશે કે નહિ? મારો વિયોગ હમેશને માટે દૂર કરશે કે નહિ? આવા આવા વિચારો કરી સુમતિ અથવા શુદ્ધ ચેતના પિતાના મનમાં મુંઝાયા કરે છે, ખેદ પામે છે અને તેને લઈને મનમાં તેને પશ્ચાત્તાપ થાય છે કે પતિને પિતાની તરફ આકર્ષણ કરીને ખેંચી લાવવામાં હજી પિતે નિષ્ફળ નીવડી છે. ચેતનજી પણ માયા, મમતાની સોબતમાં પડી જઈશુદ્ધ સ્વરૂપે પ્રગટ કરતા નથી અને પ્રાપ્ત થયેલ અવસરને લાભ લેતા નથી, છેવટે બહુ પશ્ચાત્તાપ પામે છે અને ખેદ કરે છે, પરંતુ પછી ગયેલ અવસર હાથમાં આવતું નથી. શુદ્ધ ચેતનાના પ્રસંગને લાભ લેવામાં પ્રમાદ કરનાર અથવા બેદરકારી કરનારને પશ્ચાત્તાપ થાય એમાં કાંઈ નવાઈ જેવું નથી.
આવા કારણથી કંટાળીને શુદ્ધ ચેતના વિચાર કરે છે કે-હવે તે ગણુ થઈને ઘર બહાર નીકળી જઉં. આગલી ગાથામાં ઝેર ખાવાની હકીકત કહી હતી અને ઉપરના પદમાં જીવ લેવાની વાત અંતકને કહી હતી તેને અનુરૂપ આ વિચાર છે. પતિવિરહી સ્ત્રી તિને અનેક પ્રકારે વિનવે છતાં તે જ્યારે મંદિરે ન પધારે ત્યારે પછી સ્વાભાવિક રીતે તે એ વિચાર કરે કે હવે જ્યારે પતિમેળાપની આશા રહી નથી ત્યારે ભભૂત લગાવી, અલેક જગાવી, જોગણુ થઈ ઘરથી નીકળી પડું. અહો ચેતનજી ! તારા ઉપર આટલે પ્રેમ રાખનારી પતિનિષ્ઠાવાળી એક સાથ્વી તારા મંદિરમાંથી નીકળી જશે તે પછી તારે ભભૂત ચળવાને જ વખત આવશે અને તું રાખમાં જ રગદોળાઈશ. તારે બહુ વિચાર કરવાની જરૂર છે. આવી મહાપતિપરાયણ સતી તારો પરિચય કે જેના ઉપર તેને પ્રથમ અને સર્વોત્કૃષ્ટ હક છે તેને ઇરછે છે અને તું તેની દરકાર પણ કરતું નથી, એ તને કઈ પણ પ્રકારે ઘટતું નથી. જે તારી પત્ની સતી છે તેથી બીજું તે કાંઈ કરશે નહિ પણ તું કુલટાની સેબતમાં રહે છે તેથી કંટાળી તારું ઘર છેડી જોગણુ થઈ જશે તે તારા શા હાલહવાલ થશે? અને પછી તારે તેની શોધમાં કેટલી સંસારયાત્રા કરવી પડશે ? તેને તું વિચાર કર. આ સર્વ હકીકત ધ્યાનમાં રાખી સુમતિ કહે છે “હે સખી શ્રદ્ધા ! તું પતિ પાસે જા અને તેમને સમજાવ. તેઓને મારી સર્વ હકીકત કહે, મારી વર્તમાન સ્થિતિ શું છે તે તેઓને બતાવી આપ અને છેવટે જે તેઓ મારે મંદિરે નહિ આવે તે મારી શું સ્થિતિ થશે તે તેઓને તાદૃશ્ય બતાવી આપ. પતિને કહેજે કે તમારે ધર્મયૌવનકાળ ચાલ્યા જાય છે અને તેવા વખતમાં મારી સાથે વિલાસ કરી આનંદ ભેગવી લેશે તે તમારે પછી કઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહિ, નિરંતરને માટે દુઃખને છેડે આવી જશે અને તેઓશ્રી અને હું વિજન પ્રદેશમાં સાદિ અનંત અવ્યાબાધ સુખ ભેગવશું. એ સુખ કેવું ઊંચા પ્રકારનું છે તે કહેવાની અત્યારે જરૂર નથી પણ મારા નાથ મારી પાસે આવે છે તેની વાનકી તે તેઓને બતાવી આપું. આટલે સંદેશો તું મારા નાથને જરૂર આપજે.”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org