________________
૩૭ર
શ્રી આનંદઘનજીનાં પર સ્ત્રી બધે વખત દિલગીરીને લીધે નિઃશ્વાસ મૂક્યા કરે છે, નીચે શ્વાસ લે છે, પણ ઊંચે શ્વાસ લેતી નથી તેવી રીતે હું પણ ઊંચો શ્વાસ લેતી નથી અને વિરહી સ્ત્રી જેમ મનમાં વારંવાર ખેદ પામ્યા કરે છે તેમ હું પણ પશ્ચાત્તાપ કર્યા કરું છું, ખેદ પામ્યા કરું છું, શોકગ્રસ્ત થઈ જાઉં છું, આટલી બધી વિજ્ઞપ્તિ કરવા છતાં અને પતિ માટે આકાંક્ષા રાખવા છતાં પણ પતિ જ્યારે પિતાને મંદિરે નથી જ પધારતા ત્યારે વિરહી સ્ત્રી જેગણું થઈ, ભભૂત લગાવી, ઘર છોડી, સંસાર તજી દેવાનો વિચાર કરે છે, તેમ હું પણ આ વિરહાવસ્થા સહન ન થવાથી જોગણ થઈ ઘરથી નીકળી જવાને વિચાર કરું છું, તેથી હું સખી ! હવે તે તું ચેતનજીને--મારા નાથને--મારા હૃદયવલ્લભને સમજાવ. તેઓને કહે કે-આ તમારી પ્રાણવલ્લભા તમને મળવાને આટલી બધી આતુર છે અને તમે તેની સામે દૃષ્ટિ પણ કરતા નથી તે હવે તો તે તમારા વિરહથી ભેખ ધારણ કરશે ને જેગણ બની જશે.
આધ્યાત્મિક અર્થ-આ આખું પદ આધ્યાત્મિક અર્થથી ભરપૂર છે. તેના અર્થને કિંચિત ઝળકાટ કરવા અત્ર પ્રયાસ કર્યો છે. વધારે વિચારણાથી વિદ્વાન વાચકને તેમાંથી અનેક નવા ભાવ ખુરશે એમ લાગે છે. કેઈ નવીન ભાવ જાણવામાં આવે તે અથવા ફુરે તે વિવેચન કર્તાને જણાવવા કૃપા કરવી. હકીકત એમ છે કે-વિરહદશામાં જેમ પતિપરાયણ સતીને ઊંઘ આવતી નથી તેમ વિભાવદશામાં વર્તનારા જીવોને યોગનિદ્રા આવતી નથી. મતલબ તેની શુદ્ધ ચેતના પતિસંગે જે સુખ મેળવી શકે તે તેને મળતું નથી અને તે સુખ પૈકી એક સુખ આનંદથી મીઠી નિદ્રા આવવાનું છે. યોગનિદ્રામાં ચેતનજી પિતાના મન, વચન, કાયાના યોગેનું ઇંધન કરી બાહ્ય દશામાંથી નિવતી અંતર દશામાં વર્તત રહે છે અને તેથી બાહ્ય દશાને અંગે તેને ગનિદ્રામાં પડી ગયેલે ગણવામાં આવે છે. જ્યાં સુધી પ્રાણી સંસારદશામાં રોપા રહેતા હોય છે ત્યાં સુધી તેને યોગનિદ્રા આવતી નથી અને રોગનિદ્રા શું છે તેને ખ્યાલ પણ આવતો નથી. શુદ્ધ ચેતના ઊંઘ આવતી નથી એમ કહે છે તે બાહ્ય દશાને અંગે સંસાર જાગૃતિ અને યોગનિદ્રાને અભાવ સમજો.
વિરહદશામાં સાવી સતી પતિના નામનું સ્મરણ કરતી નિસાસા મૂકયા કરે છે, શેકમાં રક્ત થાય છે પણ ઊંચે શ્વાસ લેતી નથી. ઊંચે શ્વાસ લે તે હમેશાં સંતેષ, આનંદ, સ્વાથ્ય બતાવનાર છે, તે દુઃખી જોને હોતે નથી; નીચે શ્વાસ શોકથી, ક્રોધથી અને અસ્થિરતાથી આવે છે તે વિરહી સ્ત્રીઓના નશીબમાં હોય છે. એવી રીતે આ જીવ પણ વિભાવદશામાં વર્તતે હોય છે ત્યારે નીચ પરિણતિરૂપ નિસાસા મૂક્યા કરે છે પણ ઉચ્ચ પરિણતિરૂપ ઉસાસ લેતા નથી. વિભાવદશામાં પરિણતિની નિર્મળતા થવી અશક્ય છે, બહુ મુશ્કેલ છે અને તેથી મહાભાગ્યોદય હોય તે જ જીવ ઉચ્ચ વિચારશ્રેણિમાં આવી શકે. સંસારાનદમાં આસક્ત જીવ સ્થળ સુખની સગવડ માટે અને વિષયભોગ માટે ઉદ્યમ કર્યા કરે છે, વિશુદ્ધતર જીવનની અપેક્ષાએ એ સર્વ નિસાસા જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org