SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીસમુ` પદ્મ ૩૦૧ સુંદર સ’સારિક ભાગ છે, તે હાલ તે। ભોગવી લઉ, આગળ ઉપર શું થવાનુ છે તેની કાને ખબર છે ? જે થવાનુ હશે તે થશે, પણ હાલ તેા આવા પૌલિક ભાગો ભોગવી લઉં; આવા આવા વિચાર કરીને જીવ અનેક વાર ઝેર ખાય છે. તેના પરિણામે આત્મ દશાથી મૃત્યુ પામી સંસારચિતા પર બળે છે અથવા ભૂમિદાહ પામે છે અને કુમરણ-આત્મહત્યા(અલંકારિક)ના પરિણામે પાછા એવા અનેક ભવા કરે છે. આવી રીતે અનેક વાર વિષ ખાધું, ઝેર પી લીધુ, પણ ભૂખ્યા રાંક જીવ ધરાયા નહિ અને તેથી તેને એવું એઠું ખાવાની બુદ્ધિ થયા જ કરે છે. આવાં અનિષ્ટ કારણેા મેળવીને પ્રાપ્ત થયેલ ધર્મયૌવનકાળ આ જીવ ગુમાવી દે છે. આ પ્રમાણે અર્થ કરવા ઠીક લાગે છે, બાકી શુદ્ધ ચેતના પેાતે ઝેર ખાવાના વિચાર કરે એ તેા ચાલુ અમાં કે આધ્યાત્મિક અમાં બેસતું આવે તેમ નથી અને તેવી જ રીતે સુમતિ જેવી સાધ્વી સતી એવા વિચાર કરે તે તદ્ન બનવા ચેોગ્ય લાગતું નથી, એમ ઉપર ઉપરથી જણાય છે, પરંતુ પતિવિરહે પેાતાના અંત લાવવાને જે નિષ્ણુય ચેતના અત્ર બતાવે છે તે તેના સતીત્વને ચેાગ્ય છે અને તેટલા પૂરતી જ દૃષ્ટાંતની યાજના ઘટાવવી ચેગ્ય જણાય છે. આ અર્થઘટના કરવાથી સતીત્વનુ પોષણ થાય છે. ‘ જીયમે’એટલે બાહ્ય દશામાં વર્તતા ચેતનજીને એ અર્થ કરવામાં જો કે ભાવાર્થ બરાબર આવે છે. છતાં એટલુ કહેવુ જોઇએ કે તેમ કરવામાં પ્રથમના એ ચરણુ સાથે સહજ અભંગ થાય છે. સર્વ રીતે વિચાર કરતાં એમ લાગે છે કે—ચાલુ અર્થ કરવામાં વિરહી સ્ત્રીની પેઠે સુમતિ અથવા ચેતનજીએ અસહ્ય વિરહ વેદનાને લીધે વિષ ખાઈ જીવનના અંત આણવાના વિચાર કર્યાં અને તેના આધ્યાત્મિક અર્થ કરતાં યમેના અર્થ ચેતનજીને એમ કરવા. એ શુદ્ધ દશામાં ચેતનજીને અનેક ગુણરત્નાઆભૂષણા અને ગુણોક્તિકમાળા હોય છે તે તેને અત્યારે ગમતી નથી અને તે ગુણ્ણા ગ્રહણ કરવાને બદલે ચેતનજીને હજી પણ વિષ ખાઇ લઇ-સાંસારિક સુખા ભોગવી સંસાર વધારવાના જ વિચાર થયા કરે છે, એ અતિ ખેદ્રને વિષય છે. ना सोवत है, लेत उसासन, मनही में पीछताय; योगिनी हुकें निकलूं घरतें, आनंदघन समजाय. वारे० ३ “હું ઊંઘતી નથી, ઉશ્વાસ પણ લેતી નથી ( માત્ર નિઃશ્વાસ જ લઉં છું.) અને મનમાં ( વારવાર) પશ્ચાત્તાપ કરું છું. જોગણુ થઇને હવે તે ઘરમાંથી બહાર નીકળી જ' ( એવા વિચાર થાય છે ) ( તેટલા માટે હું સખી !) આનંદઘનને તું સમજાવ. ” ભાવ–વિરડી સ્ત્રી જેવી રીતે રાતના ઊંઘતી નથી પણ પતિ નામનું રટણ કરતી કરતી ઉજાગરા કરી આખી રાત પસાર કરે છે તેમ મને પણ ઊંઘ આવતી નથી. વિરહી ૩ સાવત=ઊઁધતી. ઉસાસઊંચા શ્વાસ. પીછતાય પશ્ચાત્તાપ કરે, ખેદ કરે, પાછળથી દાઝવારૂપ ખેદ. યોગિની=જોગણ =થઈને નિકસ =નીકળું ધરતેં ધરથી. સમજાય=સમજાવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy