SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ શ્રી આનંદઘનજીનાં પદો શણગાર સજવાનું પ્રયોજન જ રહેતું નથી અને સજેલ શણગાર મને ગમતું પણ નથી. પતિને આ અસહ્ય વિરહ હોવાને લીધે હવે તે મારા મનમાં એમ થાય છે કે-હું ઝેર ખાઈ લઉં, કારણ પતિ મને ટળવળાવે છે પરન્તુ મારે મંદિરે પધારતા નથી અને મારાથી હવે તેને વિરહ સહન કરી શકાતું નથી. અત્રે વિરહી સ્ત્રીના મનમાં જે વિચારે થાય તેને તારશ્ય ચિતાર આપવામાં આવ્યું છે. આધ્યાત્મિક અર્થ–શુદ્ધ ચેતના અથવા સુમતિએ પંચમહાવ્રતરૂપ આભૂષણે ધારણ કર્યા છે અને તેમાં કવચિત્ કવચિત્ ક્ષમા, સંતેષ, સંયમ વિગેરે રત્ન જડ્યાં છે. આવાં આવાં અનેક રસ્તેથી વિભૂષિત થયેલું શરીર ગુણરત્નથી ઢંકાયેલું છે, મઢાઈ ગયેલું છે, જડાઈ રહેલું છે. તેમાં વળી દીક્ષાદિક અવસરે નવીન રત્નો જડવામાં આવે છે અને એમ ભવચક્રમાં ભમતાં કઈ કઈ વાર નવીન નવીન દીક્ષાદિક રત્નો ચેતન ચેતના પાસે ધારણ કરાવે છે. એ ઉપરાંત ચેતનાએ પોતાના ગળામાં મૌક્તિક ગુણમાળા પણ ધારણ કરી છે અને તેમ કરીને પિતાનું અખંડ સૌભાગ્યપણું બતાવી આપ્યું છે. ચેતના પિતાની શુદ્ધ દશામાં અનેક ગુણ ધારણ કરનાર છે અને તેનું મળરહિત શુદ્ધ શરીર રત્ન આભૂષણથી વિભૂષિત છે, પરંતુ ચેતનજી પિતાને મંદિરે આવતા નથી, પિતાને શુદ્ધ ભાવ પ્રગટ કરતા નથી અને કુલટા સ્ત્રીઓને સંગ મૂકતા નથી, તેથી છેવટે કંટાળો ખાઈને શુદ્ધ ચેતના કહે છે કે-ઉપર ઉપરના દીક્ષાદિક રત્નોને ગમે તેટલે બાહ્ય આડંબર કરવામાં આવે પણ જ્યાં સુધી મારા નાથ પતે ત્યાં હાજર નથી ત્યાં સુધી સર્વ નકામું છે, ફેકટ છે, વ્યર્થ છે. ગમે તેટલી શુભ કરણી કરવામાં આવે પણ જ્યાં સુધી તેમાં શુદ્ધ ઉપગ ન હોય, ગમે તેટલા બાહ્ય આડંબર કરવામાં આવે પણ જ્યાં સુધી અંતરાત્મા જાગ્રત થઈ બેડા ન હોય ત્યાં સુધી વસ્તુતઃ તથા પ્રકારના ફળની અપેક્ષાએ સર્વ વ્યર્થ છે. જેમ આત્મા વગરનું શરીર ફેકટનું છે તેમ આત્મા વગરના-મારા ચેતનપતિ વગરના સર્વ બાહ્ય ઉપચારોપછી ગમે તેવું સુંદર નામ આપવામાં આવે તે પણ-નકામા છેમને તે બાહ્ય ઉપચાર જરા પણ પસંદ નથી. ગમે તે ક્રિયા કરવાની હોય પરંતુ તેમાં જ્યાં સુધી શુદ્ધ ઉપગ અંતર્ગત વર્તતે ન હોય ત્યાં સુધી સર્વ પ્રયત્ન સાધ્ય ફળ આપનાર થતા નથી એ સ્પષ્ટ હકીકત છે. મારા નાથની ગેરહાજરીમાં મને રત્ન, આભૂષણે કે મોતીની માળા પણ પસંદ પડતાં નથી અને સતીને તેમ થવું તે તદ્દન તેના સતીત્વને અનુરૂપ છે તેથી હવે તો મારા મનમાં એવો વિચાર આવે છે કે આવી કડી સ્થિતિ જોગવવાને બદલે ઝેર ખાઈ લઉં. વિરહાવસ્થામાં ઝેર–વિષ ખાઈ જીવનનો અંત લાવવાની બુદ્ધિ કામાંધતાથી કેટલાક મનુષ્યોને કઈ કઈ વખત થાય છે, જે ઉતાવળથી થયેલા સાહસિક વિચારનું બહુધા પરિણામ હોય છે. ચેતના સામાન્ય રીતે એવો વિચાર અત્ર બતાવે છે કે પતિવિરહની અવસ્થા હવે અસહ્ય થઈ પડી છે. અથવા આનો બીજો અર્થ એવો ઘટી શકે છે કેજીવને એટલે ચેતનજીને એવી બુદ્ધિ થાય છે કે હવે તે વિષ ખાઈ લઉં; અત્યારે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy