SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ શ્રી આનંદઘનજીનાં પદો શેકેગાર કાઢી પછી પિતાની સખી શ્રદ્ધા પાસે આવી તેને પિતાના દુઃખની વાત કરે છેઃ હે સખી ! પતિ તો મારે સંગ કરતા નથી પણ ઊલટા તેને અટકાવે છે, ગમે તેમ કરીને મારે સંગ ન થાય એવું વર્તન કરે છે અને મારું યોવન ચાલ્યું જાય છે. અત્યારે પતિ સાથે મેળાપ કરી, હસવા ખેલવાને વખત છે, યૌવનકાળમાં વિલાસી સ્ત્રી પુરુષ અનેક પ્રકારના આનંદ કરે છે, વસંતઋતુમાં વિકાસ કરે છે અને શરદૂછતુમાં ચંદ્રાસ્નાને આનંદ અનુભવી વાર્તાવિદ કરે છે–આવી રીતે યૌવનકાળમાં અનેક પ્રકારના આનંદ ભેગવી પરસ્પર પ્રેમ વધારે છે, પણ મારે તે પતિ મંદિરે પધારતા ન હોવાથી મારો યૌવનકાળ-આનંદ કરવાને વખત હોવા છતાં મારું યૌવન નિષ્ફળ ચાલ્યું જાય છે, એટલું જ નહિ પણ હસવા ખેલવાને બદલે પતિવિરહમાં આખી રાત્રિ દરરોજ રોતાં રોતાં પસાર થાય છે. પતિ વગરની શા જોઈને યૌવનમસ્ત સ્ત્રીને કેવી દિલગીરી થતી હશે, એ તે તું જાણે છે, મારી પણ એ જ સ્થિતિ થઈ છે. સંસારરસિક સ્ત્રીઓ આવા પ્રસંગે અનેક પ્રકારની વાંછનાઓ પૂર્ણ કરે છે ત્યારે મારે તે રાત્રિએ રડવામાં જ પસાર કરવી પડે છે અને આવા મજા ઉડાવવાના દિવસો એળે જાય છે. - આ પદને આધ્યાત્મિક અર્થ કરતી વખતે યૌવનકાળ એટલે ધર્મનાં સાધક બાધક કારણોની અર્થાત્ વિશિષ્ટ ફળ આપનાર અને તેમાં પ્રત્યવાય નાખનાર કારણોની સમજણ એ ભાવ લે. આવા પ્રકારની સમજણને-જ્ઞાનને ધર્મયોવનકાળ સમજવો. ચેતના કહે છે કેહે સખી ! મારા પતિ મારો સંગ કરતા નથી તેથી મારે ધર્મયૌવનકાળ-ધર્મ સાધના કરી શુભ ફળ બેસાડવાને અગત્યને વખત નકામે ચાલ્યા જાય છે. આ દિવસે શુભ ધર્મફળ પ્રાપ્ત કરવા માટે તેમાં હસવાના ખેલવાના-તેમાં રમણ કરવાના છે અને તેમ કરી ધર્મસાધન કરી લેવાના છે. એ અવસર એવો સુંદર છે કે એ વખતમાં ધારીએ તેટલું શુભ ફળ મેળવી શકાય તેવું છે અને તેમ કરવા માટે જે અનુકૂળતા પ્રાપ્ત થવી જોઈએ તે મળી પણ છે. સંસારચક્રમાં આ અવસર વારંવાર આવતો નથી. અનેક દુર્ગતિઓમાં તે શુભ ફળ વિચારવાને અવકાશ જ આવતો નથી. આ સારે અવસર પ્રાપ્ત થયા છતાં પતિ તે આર્ત તેમ જ રૌદ્રધ્યાનમાં પિતાને વખત કાઢી નાખે છે, નકામી રાજકથા, દેશકથા વિગેરે વિકથા કરવામાં કાળ ગુમાવે છે, વિષયકષાયસેવનમાં અને પ્રમાદમાં સમય નિર્ગમન કરી નાખે છે, પિતાને જે સાધન કરવાનું છે તે સર્વ રહી જાય છે અને મળેલી અનુકૂળતાઓને કશે પશુ સદુપયોગ થતો નથી. આ અર્થમાં યૌવનકાળ તે ઉપર જણાવ્યું તેમ ધર્મના સાધકબાધક કારણે અને તેનાં ફળની સમજણ એ સમજ; આનંદના દિવસે તે ઈચ્છિત સાધન કરવાને સમય જાણું અને રાત્રિ રોવામાં જાય છે તે આત્ત રીદ્રધ્યાનમાં કાળ ચાલ્યા જાય છે, એમ સમજવું. હવે આવી બાબતમાં આપણો કેટલે નકામે કાળ જાય છે, તે જરા વિચારવા યોગ્ય છે. એક દિવસે સવારે ઊઠીને રાતે સૂતા સુધીમાં કેટલી કલાકે નકામી રીતે પસાર કરી છે તેની વિચારણા કરશે તે જણાશે કે-ઘણે સમય સાધારણ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy