SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ શ્રી આન ધનજીનાં પદ્મા મળ્યા છે તે જ પ્રમાણે તમારા શુદ્ધ મતે આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, શરીરસ્વાસ્થ્ય, દેવગુરુધમની જોગવાઈ,, ઇંદ્રિયનુ આરોગ્ય, શ્રદ્ધા વિગેરે અનેક આનંદના પદાર્થોં તમને આ ભવમાં મળ્યા છે. એક સ્થળ આનંદ આપનાર છે, એક માનસિક આનંદ આપનાર છે; એક વિભાવદશામાં તમને અભિમત છે અને એક સ્વભાવદશામાં અભિમત છે. આથી તમને જે અભિમત પદાર્થોં છે અને જે તમને મળ્યા છે તે સર્વને લઇને અને ખાસ કરીને મારા અને તમારા અતર પ્રદેશમાં મેળાપ થવાના હાવાથી આપને સ્વાભાવિક આનૐ આપે તેવા સર્વ પદાથેŕ સાથે લઇને આપ મારે મંદિરે પધારો અને મને ઘણુંમાપ વગરનું સુખ આપે।. આ મારેા વિરહકાળ છે, આપની સેજડી ખાલી પડી છે. અને તે જોઈ મને શસ્ત્રપ્રહાર જેવા આઘાત થાય છે તેવી સ્થિતિને કૃપા કરીને દૂર કરા, જેથી મને સુખ થાય અને આપને ઘરઘર ભટકવું મટી જાય. હે મારા નાથ ! આવે અવસર વારંવાર આવતા નથી, તમને આ ભવમાં જે અનુકૂળતા પ્રાપ્ત થઇ છે તે પણ મહાદુલભ છે, તમને મનુષ્યભવ મળવા એ પણ માટી મુશ્કેલીની ખાખત છે, તેમાં પણ આ સ્વભાવ વિભાવના સ્વરૂપ સમજવા જેટલી બુદ્ધિ તમને પ્રાપ્ત થઈ છે તે તા મહાભાગ્યે કેાઇ વાર જ પ્રાપ્ત થાય છે. તમારામાં તે સ ભરેલ છે અથવા તમે તદ્રુપ છે, પણ તમે તેા પેલીની સેાબતમાં એવા પડી જાએ કે બુદ્ધિદીપક આડું માટું આવરણુ મૂકી દો છે અને તે ખસેડવું તમને પણ બહુ મુશ્કેલ થઈ પડે છે. આ સર્વ સ્થિતિને ઓળંગી તમે તમારે માટે સ્વતંત્ર વિચાર કરી શકો, તમારી જાત તરફ જોઇ શકે, તમારા પરિવારને ઓળખી શકે, તેના ગુણુ-દોષ તરફ કેટલુંક વિવેચન કરી શકેા એટલી શક્તિ તમને પ્રાપ્ત થઈ છે, તે પછી મારી આપને વિજ્ઞપ્તિ છે કે-આપ આપના મત પ્રમાણે આપને જે અભિમત વસ્તુ હાય તે સ લઈ મારે રે પધારા અને મને આન આપે. મારી વરહાવસ્થા દૂર કરી અને આપ આપના નામને ઘટે તેવા ભાવિલાસ મારી સાથે ભાગવે. મુદ્દાની હકીકત એક જ છે. આ ચેતનજી સંસારદશામાં એવા ડૂબી ગયા છે કે પાતામાં વાસ્તવિક મહાન્ ગુણા છે તેના તેને ખ્યાલ પણુ આવતા નથી, તેથી મહાત્મા આનદધને આવા અતિ પવિત્ર સદ્ગુણ્ણાને આકાર (સુમતિ-શુદ્ધ ચેતના વિગેરેને) આપીને તેને ખેલતા કર્યાં છે. તે આ જીવને ખરાખર વસ્તુસ્થિતિ સમજાવવા સારુ કામને લગતા તેને પ્રિય મનાયલા શબ્દો મેલીને તેને પેાતાના તરફ ખેંચે છે અને તે દ્વારા તેને ખરી હકીકતના ખ્યાલ આપે છે. એના ઉદ્દેશ ચેતનજીને વિભાવમાર્ગથી એસરાવી શુદ્ધ સ્વભાવ તરફ લઈ આવવાના છે. સ્થૂલ સુખની ખેાટી માન્યતા ઉપરના ભાવ છેડી દઈ આ વાસ્તવિક સુખની વાનકી ચાખવા અને અમિત સુખ સુમતિને દેવાને બહાને પાતે જ એક વાર પ્રયાસ કરી જોવા ઉચિત છે. ગમે તેટલી ખાદ્ય ક્રિયાએ કરવામાં આવે, ગમે તેટલા ઉપર ઉપરથી વૈરાગ્યના ડાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy