________________
ચોત્રીસમું પદ
૩૬૧ કહેવરાવતાં છતાં પણ જે મારા નાથ, જેઓ પિતાની શુદ્ધ સત્તાએ આનંદના સમૂહ છે તેઓ મારા મંદિરે ન પધારે તે પછી મારે તે શું હવે બાંગ પિકારવી? હવે કરવું શું? સતી સ્ત્રીને ઘટે તેવી રીતે મર્યાદામાં રહી સહજ વધારે સખ્ત શબ્દો કહી પતિને સમજાવતાં છતાં પણ તેઓ સ્વમંદિરે પધારવા વિચાર જ ન કરે તે પછી શું રાડ પાડીને મારી વધારે ફજેતી કરવી? જે સખી, તેઓ ઘણા વખતથી મારે મંદિરે આવતા તે નથી જ, હું દૂતી સાથે કહેવરાવું છું તે સાંભળતા નથી, અનુભવ મિત્રને કહેવાનું કહ્યું છે તેનું પણ કાંઈ પરિણામ આવ્યું નથી, તેથી હવે તે જે થાય તે જોયા કરવાનું છે, વધારે રાડો પાડીને ઘરને ફજેતે કરે એમાં મને તે લાભ જણાતો નથી. દશમા પદમાં સુમતિ આ જ પ્રમાણે કહે છે “એની સુની આનંદઘન નાવત, ઔર કહા કેઉ ડુંડ બજાવે.” એ વિચાર જણાવતી વખતે પતિ બાજુમાં ઊભા ઊભા સાંભળતા હતા અને આ વખતે ગેરહાજર છે એટલે તફાવત છે.
ઓર કહા કઈ દી સંગ” એ પાઠને અર્થ જૂદી રીતે પણ થઈ શકે. માત્ર તે વખતે ચેતનજી નજીક છે એ ભાવ લેતાં પદના બાકીના ભાવ સાથે તે અર્થને અસંબદ્ધપણું પ્રાપ્ત થાય છે. હે ચેતન ! એવા કથીરના ચલણ પર તને કદિ આનંદઘન પ્રભુ મળવાના નથી અને એ તારી પાસે નહિ આવે તે બીજો કોઈ તને સેબત આપે, તારી સાથે આવે, નિરંતર તારા પર પ્રીતિ રાખે એ કદિ બનવાનું નથી એમ તારે જરૂર માની લેવું. તારા સંગી થશે તે અંતે આનંદઘન પ્રભુ જ થશે, આ માયા મમતા તે કુલટા છે, એ તે તને મૂકીને તરત ચાલી જશે, તને ધક્કો મારીને નાસી જશે. જે તારે અવિચળ પ્રેમ કરવો હોય તે આનંદઘન સાથે જ કર. તે કાંઈ આવા ખોટા ચલણ પર આવવાના નથી એ સ્પષ્ટ સમજજે; તેઓ તે બરાબર પરીક્ષા કરીને રૂપાને રૂપિયા હશે, સાચું ચલણ હશે ત્યાં જ આવશે. પાઠાંતરને આ પ્રમાણે અર્થ થઈ શકે છે, તે પણ વિચારવા લાગ્યા છે.
આખા પદનો અર્થ ગંભીર દષ્ટિએ વિચારવા ગ્ય છે. આ ચેતનજી નાના પ્રકારના વેશ કાઢે છે, ચારે ગતિમાં રખડે છે અને રાશી ચોટામાં ભટકે છે, પણ એને આરો આવતો નથી. એનું મુખ્ય કારણ એક જ છે, અને તે એ કે આ ચેતનને સ્વભાવ અને વિભાવ વચ્ચે તફાવત શું છે તેને વિવેક નથી, તેને સ્વપરનું ભાન નથી તેથી અન્ય વસ્તુમાં આસક્ત થઈ જઈ ઉપર ઉપરનું માન્યતાનું સુખ લેવામાં લલચાઈ જાય છે, પરંતુ એટલે વિચાર કરતું નથી કે એ સુખ શું છે? શેનું છે? અને કેટલા વખતનું છે ? મતલબ ટૂંકામાં કહીએ તો એ વાસ્તવિક સુખને ઓળખતા નથી અને માની લીધેલા સુખનાં કારણે, સ્થિતિ અને સ્વરૂપ સમજાતું નથી અને કઈ ગ્ય મહાત્મા તેને સમજાવવા પ્રયત્ન કરે છે તે તરફ લક્ષ્ય આપતું નથી. આને પરિણામે પછી પરભાવમાં તેનું રમણ થાય છે અને તે ધીમે ધીમે એટલે નીચે ઉતરી જાય છે કે મહાન દશાનાં સ્વમ પણ તેને
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org