________________
૩૬૦.
શ્રી આનંદઘનજીનાં પદે “શરીરની શુદ્ધિ અને મન એવું ભમે છે કે જાણે કાંઈક ભાંગ પીધી હોય નહિ આટલી હકીકત પર પણ આનંદઘન આવશે નહિ તે પછી શું બીજી બાંગ દેવામાં આવે-પેકાર પાડવામાં આવે ?”
ભાવ–હે સખી ! મારા પતિ ચેતનજીએ પોતાના શરીરની શુદ્ધિ વિસારી મૂકી છે, પિતાના શરીરના શા હાલ થાય છે તેની તેઓ દરકાર કરતા નથી અને તેઓનું મન પણ ગમે એવું ગમે ત્યાં રખડ્યા કરે છે કે જાણે તેઓએ ભાંગ પીધી હોય નહિ ! અત્યારે તે મારા નાથનાં લક્ષણ જોયાં હોય તો જણાશે કે તેઓના કામમાં કઈ પણ પ્રકારની વ્યવસ્થા નહિ, બલવાને ધડે નહિ, વતનનું ઠેકાણું નહિ, કોની સાથે કેવી રીતે બોલવુંચાલવું જોઈએ તેને વિચાર નહિ; એ તે એવા પ્રકારના થઈ ગયા છે કે જેમ એક માણસે ભાંગ પીધી હોય, લીલાગર કે ગાંજો પીધે હોય અને પછી શરીરની કે મનની શુદ્ધિ વગર ગમે ત્યાં અથડાયા–પછડાયા કરે તેવી રીતે તેઓ મનની અને શરીરની શુધબુધ ખાઈને આડાઅવળા ભટક્યા કરે છે. તેઓને વિચાર થતું નથી કે પિતે કેણ છે? કેની સેબતમાં રહે છે? અને કેવી જગ્યાએ ભટકે છે ? પિતાની આબરુને તેથી કેટલું નુકશાન પહોંચે છે એની દરકાર કર્યા વગર પિતાની જાતને પણ ઓળખતા નથી અને એક પીધેલ માણસની પેઠે ઉમત્તની પેઠે વર્તન કરે છે. કેઈ પ્રસંગે દારુડીઆ કે ગાંજાખોર રખડુને દેખાવ જેવાને પ્રસંગ બન્યા હોય તે તેના-(પતિના) શરીરના શા હાલ થાય છે તે બરાબર તારા ધ્યાનમાં આવે. તેના મનમાં જે અવસ્થા-વિચારો ચાલે છે તે તે અનુભવથી જ જણાય. જેઓ એવી લતમાં પડી ગયા હોય છે તેવાની અવસ્થા સંબંધી વિચારે વાંચ્યા હોય, જાણ્યા હોય તો જરૂર બહુ દયા આવે. સુમતિએ પતિને ભાંગ પીધેલ સાથે સરખા એ તદ્દન સત્ય પણ વિચારવા લાયક હકીકત છે. “મોહમય પ્રમાદમદિરા પીને જગત્ ઉન્મત્ત થઈ ગયું છે એ ભર્તૃહરિના વિચાર આપણે અન્યત્ર આ જ ગ્રંથના વિવેચનમાં જોઈ ગયા છીએ. અને શુદ્ધ ચેતનના અનંત ગુણ એક બાજુએ અને તેનું વિષયકર્દમમાં વિવિધ રૂપે રાચવાપણું બીજી બાજુએ મૂકી તેને સરખાવવામાં આવે તે ચેતનજીના વર્તનને એક ભંગેરી–ગંજેરીની પંક્તિમાં મૂકવામાં સુમતિએ જરા પણ ખોટું કર્યું છે એમ કહી શકાય નહિ, છતાં તે શુદ્ધ પતિવ્રતા સાવી પતિનું આટલું પણ વાંકું બોલતાં કેટલી ડરે છે તે “કુછ” શબ્દથી જણાય છે. એ શબ્દ સહજ અથવા કાંઈક એવા અર્થમાં વપરાય છે. જો કે આ ચેતનજીએ તે ગળા સુધી ભાંગ પીધી છે અને તેના કેફમાં તે માયા, મમતાના વેશ્યાવાસમાં પડ્યા રહે છે, પણ પતિ સંબંધી એવી વાત પિતાની સખી સાથે કરતાં પણ સુમતિના મનમાં જે ખેદ થાય છે તે બતાવનાર એ શબ્દ છે.
હે સખી ! આટલી આટલી વાત કરતાં છતાં અને આવી રીતે અનુભવ મિત્ર સાથે
* See Confessions of an Opium Eater.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org