SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ચાવીસમું પદ ૩૫૯ કથીર વચ્ચે છે. રૂપાનો સાચે રૂપિયે હોય અને કથીરને ઢેળ ચઢાવેલે બેટે રૂપિયે હોય, એ બે વરચે જેટલે આંતરો છે એટલે મારી અને માયા મમતાની વચ્ચે આંતરે છે. માયા મમતા નિર્જીવ કિંમતના છે, બેટા છે, બેદા છે, રૂપિયા તરીકે ચલાવવા જતાં રાજ્યને માટે ગુન્હો અને તેને પરિણામે થતી સખ્ત સજા અને તિરસ્કારને વરી લેનાર છે અને હું સાચા રૂપિયા જેવી પૂર્ણ કિંમતવાળી, શુદ્ધ રૂપવાળી, કંચનવર્ણની અને સાચે અવાજ આપનારી છું અને ચેતનજીને કેઈ પણ પ્રકારની અગવડમાં નહિ મૂકતાં ઊલટી તેઓને ઈચ્છિત સ્થાનકે જવાની ટિકીટ ખરીદવા માટે મદદગાર થનારી છું; પણ ચેતનજી તે આ તરફ નજર પણ કરતા નથી, અને માયા મમતાના ફંદમાં–ઉપર ઉપરના કૃત્રિમ રાગમાં રંગાઈને ફસાઈ ગયા છે, તેઓની સેબતમાં પડી નવા નવા વેશ કાલ્યા કરે છે અને ચારે ગતિમાં અહીંતહીં અટવાયા કરે છે. આવી હકીક્ત છે ત્યારે હવે ચેતનજીને સમજાવવા માટે શું કરવું? તેઓને ઘણાએ ઉપાલંભ આપ્યા તેની તે કાંઈ અસર થઈ નથી. રાંગને રૂપિયે એ શબ્દ હાલ પણ મારવાડી ભાષામાં કથીરના અર્થમાં વપરાય છે. સંસ્કૃત કેષમાં તે રંગ એટલે કલઈ અર્થ થાય છે, રાંગ એ શબ્દ નીકળતું નથી. એકંદરે રાંગને ઉપર લખેલો અર્થ અત્યારે પણ પ્રચલિત હેવાથી તે પાઠ શુદ્ધ હોય એમ જણાય છે. આ પદમાં જે વિચાર બતાવ્યું છે તે સારી રીતે ચિદાનંદજી મહારાજે પિતાનાં પ્રથમનાં બે પદમાં બતાવેલ છે. “પિયા પરઘર મત જા રે” અને “પિયા નિજ મહેલ પધારે છે. આ બન્ને પદમાં પતિને યોગ્ય ઉપાલંભ આપવામાં આવ્યો છે અને પરઘરમાં શું છે અને નિજ મંદિરમાં શું છે તેનો ચિતાર આપી પતિને નિજ મંદિરે પધારવા વિજ્ઞપ્તિ કરી છે. એ બન્ને પદ વાંચવાથી અને શ્રીઆનંદઘનજીનું “નાથે નિહારે આપ મતાસી” એ નવમું પદ વાંચવાથી સુમતિ કેવા પ્રકારના ઉપાલંભ આપે છે તે જોઈ શકાય તેમ છે. તાત્પર્ય એ છે કે આવા અનેક પ્રકારના ઉપાલંભ દઈ પતિને નિજ મંદિરનું રહસ્ય સમજાવી–બતાવી, તેઓ પારકે ઘરે રખડતા અટકી જાય એમ કરી આપવાનો આ દીર્ઘ પ્રયાસ છે અને તેમાં ફત્તેહ થઈ જાય તે સાધ્ય તરફ ગમન થાય એમાં કશી નવાઈ નથી. तनु शुध खोय घूमत मन एसें, मानुं कुछ खाइ भांग; एते पर आनंदघन *नावत, कहा और दीजे बांग ? देखो. ३ * નાવતને બદલે “નાચત” પાઠ છે, અર્થ પ્રસિદ્ધ છે. * છેલ્લી પંક્તિમાં નીચે પ્રમાણે પાઠાંતર છે. “ઔર કહા કઈ દી સંગ.” કઈ બીજે સંગત આપશે? કોઈ બીજે સેબત કરશે? એવો તેનો અર્થ થાય છે. વિવેચન જુઓ. ૩ તનુ શરીર શુધ=શુદ્ધિ, ખબર. ય=ઈને, વિસારીને. ઘૂમત ધૂમે છે. એ=એવું. માનું=જાણે. કુછ=કાંઈક ખાઈઃખાધી, પીધી, ભાંગતમાકુ, ગાંજે. એતે પર એ ચલણ પર, એવી હકીકત પર. નાવત=આવશે નહિ. કહા=શું. ઔર બીજી. બાંગ=રાડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy