SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ તેત્રીસમુ' પદ ૩૫૫ વાતના સાર સંક્ષિપ્તમાં એટલે જ છે કે-ગમે તે પ્રકારે આનંદઘન પ્રભુ–મારા ચેતનજી, જેએ આનંદસમૂહ ચિદાનંદસ્વરૂપ છે અને મારા પ્રભુ છે, મારા પ્રાણનાથ છે, તે મને આવીને આજ ને આજ મળે, મારા મંદિરે પધારે અને મારે અનંત કાળના વિર ભાંગી નાખે એમ તુ કર. મારા ખેલવામાં કોઇ દોષ રહી ગયા હૈાય તે તે માફ કરીને મારા નામ મારી સાથે આવીને રહે એવા ઉપાય કર. પ્રથમ પંક્તિમાં · ચાતુર આતુરતા નહિ' એવા પાડે છે. મારા ચતુર નાથને મળવાની આતુરતા નથી; આકાંક્ષા નથી; પણ મને તેા તેએના વિરહથી એટલી બધી પીડા થાય છે કે હું તે સહન કરી શકતી નથી; માટે હે અનુસવ મીઠડા મિત્ર ! મારા પતિ મને ગમે તે પ્રકારે મળે એવા તુ ઉપાય કરી આપ, તુ' તેઓને સમજાવી અમારા મેળાપ કરાવી આપ આવી રીતે અથ કરવાથી પણ ઠીક ભાવ પ્રાપ્ત થાય છે. ચેતનજીને ચતુર કહેવા એ એની વર્તમાન દશાને અનુરૂપ નથી અને ટૂંક વાત એ શબ્દના જે સ્પષ્ટ ભાવ ઉપર લખેલા અંમાં આવે છે તે આ અર્થાંમાં આવતા નથી તેથી સાધારણ રીતે ઉપર જે પ્રથમ પાઠ લખ્યો છે તે વધારે સારે। હાય એમ જણાય છે. આખા પદમાં બહુ અદ્ભુત વાત કરી છે. આત્મજીવન ગાળવાની દૃઢ ઇચ્છા જે મુમુક્ષુ જીવને થાય છે તેને વચ્ચે વચ્ચે મેહ તરફ અનાદિ વિભાવદશાના જોરથી આકર્ષણુ થયા કરે છે; તેવી દશામાં એ કદાચ પડી જાય છે તેા પણ તેનું ચૈતન્યખળ વિશુદ્ધ થયેલુ હોવાને લીધે તે અધમ સ્થિતિમાં વધારે વખત રહી શકતા નથી; તેની ભાવના અતિ ઉદાત્ત હાવાથી તેને પરમ આદ તેના હૃદયદેશમાં આવી તેને જાગ્રત રાખ્યા કરે છે અને તેથી તે વિરહી સ્ત્રીની દશાને અનુભવે છે. શુદ્ધ ચૈતન્યદશા પ્રાપ્ત કરવાને વખતે તેના ચિત્તમાં જે પ્રમળ ભાવના થાય છે તે એટલી ઉત્તમ હાય છે કે યાગીઓ તેને ખ્યાલ આ જીવને કયા શબ્દોમાં આપે ? આ જીવને તેટલા માટે પરિચિત હાય તેવી સંસારદશાની કોઇ સ્થિતિનું દૃષ્ટાંત બતાવી ચેગમાર્ગ તરફ ગમન કરનાર પરમ સાધ્ય પ્રાપ્ત કરવાની દૃઢ ઈચ્છાવાળાની આંતર સ્થિતિનું દર્શન કરાવે છે અને તેટલા માટે વિરહી સ્ત્રી અને ચકવા ચકવીના દૃષ્ટાંતની અહીં યાજના કરી છે. આ પદ્મનાભાવ જેમ જેમ વિચારવામાં આવશે તેમ તેમ તેમાંથી ચૈતન્યદશા જાગ્રત કરવાની ઉન્નત ભાવનાના ઝળકાટ સવિશેષપણે પ્રાપ્ત થશે. દરેક સાધ્ય દૃષ્ટિવાળા જીવનું અંતિમ લક્ષ્ય આનંદધન પ્રભુ અને સમતાના હરકોઇ પ્રકારે સચાગ થાય અને તે સમૈગ થયા પછી કાયમ બન્યા રહે એ જ રહેવુ જોઈએ અને તે સાધ્ય પ્રાપ્ત કરવામાં જેટલે દરજ્જે ક્રૂતે મળે, જેટલી પ્રગતિ થાય, જેટલા વધારા થાય તેટલા પ્રમાણમાં આ જીવનયાત્રાનું સાફલ્ય સમજવું. પદ્મમાં જે અગોરવ અને ખાસ કરીને ઉત્પ્રેક્ષા મૂકેલ છે તે બહુ આનંદ આપે તેવા છે. કિવના ચાતુર્યનું અને ભાવ દર્શાવવાની અદ્ભૂત પ્રતિભાનું અહીં સ્પષ્ટ ભાન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy