SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ શ્રી આનંદઘનજીનાં પદો હે નાથ ! અમે ગમે તેવી પણ અબળા જાતિ કહેવાઈએ, અમારી સ્ત્રી જાતિ ઉપર આપ આટલી બધી જોરાવરી કરે એટલે બેલડીન સ્ત્રી જાતિ ઉપર તમે આટલા બધા ગુસ્સે થાઓ અને તેને આટલી વ્યથા આપો તથા તેના ઉપર રીસ ચઢાવે એ આપને ઘટતું નથી. જે અનુભવ ! નાથ તે કયાંય ભટક્તા હશે પણ તું એને મારી વતી કહેજે કે આવી રીતે આપના જેવા અનંત બળના ધણીને અબળા ઉપર આટલે બધે આક્રોશ કરવો, તેને ત્રાસ આપવો અને તેના મંદિર તરફ દૃષ્ટિ પણ ન કરવી એ કઈ રીતે તમારા ચેતન નામને ઘટતું નથી, તમારા અમારા સ્નેહસંબંધને અનુરૂપ નથી અને બન્ને બાજુના અનુક્રમે સબળ નિર્બળપણને અંગે પણ યુક્ત નથી. તે અનુભવ ! મારા નાથને આટલું કહીને, તેઓને સમજાવીને, ગમે તેમ કરીને તેઓને મારે મંદિરે લઈ આવજે. એક વખત મારા મંદિરે પધારશે ત્યારે તે હું એ રંગ મચાવી દઈશ કે બનતાં સુધી તેમને મારારૂપ બનાવી દઈ અહીંથી ખસવા પણ નહિ દઉં. વળી તે અનુભવ ! સાંભળ. તને એક વધારે વાત પણ કહી દઉં. *आतुर चातुरता नहि रे, सुनि समता टुंक बात; માનવાને કયું ગાય મ ળારે, કાગ ઘ ર માત. મિજાવી૧ ગરજવાનને ચતુરાઈ હોતી નથી, સમતા કી વાત કહે છે તે (હે અનુભવ !) સાંભળ. આનંદઘન પ્રભુ કઈ પણ પ્રકારે આજ મારે મંદિરે આવીને મને મળે એ મેળાપ તું કરાવી આપ.” ભાવ-અનુભવ મિત્ર ! મારી વિરહદશાને લીધે મેં તને ઉપર જણાવ્યું તેમાં ઢંગધડ નહિ હોય, હું નકામું બેલી હઈશ અથવા વધારે પડતું બોલી ગઈ હઈશ એમ જે તને લાગતું હોય તો હું તને કહી દઉં કે આતુર માણસમાં ચતુરાઈ રહેતી નથી, ગરજવાનને અક્કલ હોતી નથી એ તું સારી રીતે સમજે છે. જ્યારે એક વસ્તુ પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા થાય છે અને તેના ઉપર પ્રેમ બતાવતાં છતાં તે મળી શકતી નથી ત્યારે પછી તે વસ્તુના ઇરછક પ્રાણીને પિતાના મન ઉપર કબજો રહી શક્યું નથી અને અધીરાઈને અંગે ગમે તેવું બોલી નખાય છે; તેથી ઉપરની વાતમાં અબળા ઉપર જોરાવરી કરવાના સંબંધમાં કે એવી બીજી કઈ બાબતમાં પતિને આકરું લાગી જાય તેવું મારાથી બેલાઈ ગયું હોય તે તેના પર “ગરજવાનને અક્કલ હોતી નથીએ નિયમ પ્રમાણે ધ્યાન ન આપતાં, હું તને વિનંતી કરું છું અને ટૂંકામાં વાત કહું છું તે સાંભળ. બધી લાંબી લાંબી - + પ્રતમાં પ્રથમ પંક્તિ આ પ્રમાણે છે, “ચાતુર આતુરતા નહિ રે ... પરંતુ એનો અર્થ બરાબર ઉપરની હકીકત સાથે બંધબેસતો આવો નથી. ૫ આતુર=ગરજવાન, ઉત્સુક, ચાતુરતાચતુરાઈ. સુનિ=સાંભળ. આય=આવીને. હરભાત=રેક પ્રકારે, ગમે તે પ્રકારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy