________________
તેત્રીસમું' પદ
૩૫૧
એટલી દયાજનક છે કે શુદ્ધ સ્વભાવદશા એનું વર્ણન કરતાં રડી પડે છે, એને અશ્રુ આવી જાય છે અને કહે છે કે એ દશા એટલી બધી નિકૃષ્ટ-અધમ છે કે-રડીને પણ તે કેવી રીતે બતાવી શકાય ?
કખનના અથ જળ-પાણી એમ થાય છે. ખીજી રીતે કબ–ન લહુ એટલે કયારે પણ લેતી નથી એમ કરીએ તે શાંતિ શબ્દ અધ્યાહાર લેવા જોઇએ. અથવા ઉપરની શુદ્ધ બુદ્ધ શબ્દ અધ્યાહાર લઈએ તેા ખરાખર અથ પ્રાપ્ત થાય છે. કવન એટલે કેણુ અર્થ પણુ અધબેસતા આવે છે.
આ ગાથામાં અને હવે પછીની ગાથામાં વિરડી સ્ત્રીનું આબેહુબ વર્ણન આપ્યું છે અને તે સ્થિતિ સુમતિની વિરહી અવસ્થા સાથે એટલે કે ચેતનજીની પરઘર રમવાની ટેવ સાથે બરાબર મળતી આવે છે. આખા પદને યાગપરિભાષામાં બહુ સુંદર અર્થ થાય છે એ બરાબર વિચારી સમજવા ચેાગ્ય છે. વિવેચન પર બરાબર વિચાર કરવા વિજ્ઞપ્તિ છે. निसि अंधिआरी मोही हसे रे, तारे दांत दिखाइ; *भादु कादु में कियो प्यारे, असूअन धार बहाइ “ અંધારી ત્રિ તારાવડે દાંત દેખાડીને મને હસે છે, ભાદરવા ( મહિને ) કાદવવાળા કર્યાં છે. ”
ભાવ—હું અનુભવ મિત્ર ! મારી સ્થિતિ કેવી થઈ છે તે જરા સાંભળ. આ અંધકારમય રાત્રિ મારાં દુઃખ ઉપર ડામ દેવા વાસ્તે તારારૂપી દાંતની પક્તિ દેખાડીને મને હસે છે, મારી મશ્કરી કરે છે, વિરહાગ્નિમાં બાળી મૂકી મને ત્રાસ આપે છે. પતિવિરહી સ્રીને રાત્રિના સમય એકલા પસાર કરવા એ બહુ મુશ્કેલ થઈ પડે છે, વિરહ જ્વાળા દિવસ કરતાં પણ રાત્રે વધારે સતાવે છે અને સસ્કૃત કવિએ પોતાની પ્રતિભાથી જ્યારે વિરહી સ્ત્રીનું વર્ણન કરે છે ત્યારે રાત્રિના સમય તેની સ્થિતિનું દર્શન કરાવવા માટે વધારે પસંદ કરે છે. એકાંત સ્થાનમાં કામદેવ પોતાનુ જોર વધારે ચલાવે છે એ કાવ્યગ્રંથ વાંચનારથી અજાણ્યું નથી. અંધારી રાત્રિ આ બિચારી વિરહી સ્રીને બહુ હેરાન કરે છે, અને તેની પીડાની દયા ખાવાને બદલે આકાશમાં ઝળકતા તારારૂપ દાંત દ્વારા આ વિરહિણીની
मिलापी० ३
આંસુની ધારા કાઢીને મેં
* ભાદો કાદો એવો પાઠાંતર છે, લિંગવ્યત્યય છે, અ એક જ છે.
૩ નિસિરાત્રિ. અ'ધિઆરી=અધકારમય, ધાર અધારી. માહી=મતે. તારેતારા ઉપગ્રહ. દાંત= દાંતની પંક્તિ. દિખાઇબતાવીને. ભાદુભાદરવા, અગિયારમા મહિને. કાદુ=કાદવવાળા, જળમય અસૂઅન=આંસુ. ધાર=ધારા. વહાઈ=કાઢીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org