________________
તેત્રીસમુ પદ્મ
૩૪૯
વાના ઉપાય સુમતિ અજમાવે છે. આવા વિરહના પ્રસ ́ગમાં પતિના મિત્ર દ્વારા તેને સદેશે પહોંચાડવા અને પતિને સમજાવવા માટે વચ્ચે પડવા વિનંતિ કરવી એ ચાલુ સંસારસ્થિતિને તદ્દન અનુરૂપ છે.
ત્રીજી અને ચાથી પક્તિમાં મારા પતિને લાવ લાવ એમ. આજ્ઞાદક શબ્દો વાપર્યાં છે. તે સતીની આતુરતાને અંગે વપરાયલા છે એમ સમજવું. તેને અધિકાર અનુભવને હુકમ કરવાના નથી અને હવે પછી જે વિચારે તેણે બતાવ્યા છે તેથી હુકમ કરવાના ભાવ નીકળતા નથી તેથી આ શબ્દો માત્ર આતુરતાથી અનુભવ તરફ સુમતિએ ઉદ્ગારરૂપે કાઢ્યા હાય એમ જણાય છે. સુમતિ પાતાની સ્થિતિનુ વિરહાવસ્થાનું વિશેષ વર્ણન આપે છે અને અનુભવ તે સાંભળે છે તે વિચારીએ.
दुखीआरी निशदिन रहुं रे, फिरूं सब सुधबुद्ध खोय;
*तनकी मनकी कवन लहे प्यारे, +कीसें देखाउं रोय मिलापी० २
“ રાત્રિ દિવસ હું દુઃખણી રહું છું અને સં શુદ્ધબુદ્ધ ખાઈને હાલું ચાલું છું; મારા મનની ને તનની ( પીડાને ) કાણુ જાણી શકે ? મને શરીરની અને મનની શાંતિ જરા પણ થતી નથી–તે સહુ રાઈને ( પણુ ) કેવી રીતે બતાવી આપું ? ”
*
આ ગાથાના અને અગે કેટલાક વિચારા અહીં આપ્યા છે. ચાતક પતિ પતિ કહીને રટે છે તેમ હું રટુ' છું એ પછવાડેના વિભાગ અથ ઉપરથી અધ્યાહાર સમજાય છે. • પીઉ મિલાવન આણુ ' એટલે તમે પતિને મેળવી આપતા નથી એમ કહીને અનુભવ ઉપર જરા આક્ષેપ કર્યાં છે. આવી રીતે આક્ષેપ કરીને જાણે સામા મનુષ્ય ઉપર ખેો મૂકવા એ જ આશય જણાય છે; નહિ તો વાસ્તવિક રીતે પતિ નિજ મંદિરે ન પધારે તે અનુભવની કાંઈ જવાબદારી નથી. અથવા મલાવમેળાપ. ન આણુ= તમે આણતા નથી, કરી આપતા નથી એવા પણ અથ થાય. અથવા મિલાવન એટલે મેળાપ અને આણ એટલે લાવે. આવી રીતે અથ કરીએ તો તે અથ સીધી રીતે પ્રાપ્ત થાય છે. મને એમ લાગે છે કે આ પંક્તિમાં પાઠ પીઉ મિલાવન કાજ ' જોઇએ. એટલે પછી આ બે પ`ક્તિમાં ચાતકની જ વાત છે એમ થાય. બપૈયા પીયુને મળવા ઉત્સુક થઇ પીયુ પીયુ કરે છે. આ પ્રમાણે બહુ સુંદર અર્થ પ્રાપ્ત થાય છે અને ત્યાર પછીની છેલ્લી બે પક્તિમાં સુમતિ પાતાની સ્થિતિ બતાવી ચાતક સાથે પેાતાની સરખામણી કરી પતિનેા મેળાપ કરાવી આપવાનું કહે છે; પરંતુ એ નૂતન પાઠની મેં કલ્પના કરી છે તે કાઈ પ્રતમાં ન હોવાથી તેવા ફેરફાર કરવાની મારી સત્તા નથી.
* ' તન મનકી કહુ લહુ' પ્યારે ' આવેı પાઠાંતર આખી પક્તિ માટે છે, તેને અ શરીરની અને મનની ( શાંતિ ) કયારે મેળવું એમ થાય છે.
(
+ કીસહી દિખાવુ એવા પાઠાંતર છે, અથ એક જ છે.
૨ દુખીઆરી=દુ:ખણી. નિશદિન=રાત્રિદિવસ. ફિરું હાલુ ચાલુ છું. સુધમ્રુદ્ધ=શુદ્ધિ અને બુદ્ધિ, હાશકાશ. ખાય–ખાને. કવન=શાંતિ ( સંબંધ ઉપરથી ). સંસ્કૃતમાં એને અ પાણી થાય છે. કાસે= કેવી રીતે ? દેખાઉ=બતાવું. રાય–રાઇને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org