________________
૩૪૬
શ્રી આનંદઘનજીનાં પદે ચેતના ન મળે તે સુમતિથી કામ ચલાવવું જોઈએ. તમારે પાણીનું કામ છે, તમારી દશા સુધારવાનું કામ છે, તેથી પખાલ પાડાથી આવે છે કે બળદથી આવે છે તેને માટે આપે વિચાર કરે એગ્ય નથી. આપને રોટલાનું કામ છે, ટપટપનું કામ નથી. આપ મારા અને શુદ્ધ ચેતનાના ગુણ અવગુણને વિચાર ન કરો. આપને શુદ્ધ ચેતના ન મળે તે મારાથી નિર્વાહ કરો અને આપની સ્વરૂપદશા પ્રાપ્ત કરવામાં જેટલી બની શકે તેટલી આપની સેવા કરવાને લાભ આપે. આપ જાણો છો કે દસમા ગુણસ્થાનક સુધી કષાયને આવિર્ભાવ છે તેને દૂર કરવા માટે સમતાભાવની જરૂરિયાત છે, તેથી આપ એવા વિચાર ન કરે કે આ સુમતિ આગળ જતાં તે કાંઈ કામની નથી. અત્યારે ખરેખરી સહચારિણું તરીકે આપની સેવા બજાવનાર હું છું અને મારા સંબંધથી આપને ઘણા પ્રકારના લાભ થવાના છે એ નિર્ણત હકીકત છે, તેથી મારા અને શુદ્ધ ચેતનાના ગુણ અવગુણને વિચાર કર્યા વિના જેવા તમે તમારા શુદ્ધ સ્વરૂપમાં છે તેવી મને કરો. આવી રીતે સુમતિ પતિને કહે છે કે-હે નાથ ! વિભાવદશામાં પડી જઈ આપ મારા તરફ નિષ્ફર થયા છો તે નિષ્ફરતા હવે બંધ કરો અને આપ કઈ મારો અવગુણ જતા હો તો તે મને બતાવો કે જેથી હું આપની ઈચ્છાને માન આપું અને મારી ભૂલ સુધારું. બાકી મારામાં અને શુદ્ધ ચેતનામાં કોઈ ફેરફાર જેઈમારા અવગુણ ગ્રહણ કરી, મને તજી દેવી અને તેને બદલે માયા-મમતાને ગ્રહણ કરવી એ તે કઈ પણ રીતે ઈષ્ટ નથી. હે નાથ ! મારામાં કાંઈ અવગુણ હોય તો તે સુધારી મને તમારા સ્વભાવમાં મેળવી લે અને મને આપના જેવી કરે.
આ આખું પદ આંતરદશાના ખપી જીવને ઊંડા હદયમાં અસર કરનાર છે. એમાં એટલે ઉત્કૃષ્ટ ભાવ બતાવ્યો છે કે તેની ખરેખરી ખૂ ની સમજવા માટે આંતરદશાને યોગ્ય થવું જોઈએ. જુદાં જુદાં પદમાં સુમતિ પતિને શુદ્ધ દશામાં આવવા માટે અનેક દૃષ્ટિ બિંદુથી હકીકત રેશન કરે છે. અત્રે તે પતિને પિતા તરફ કઠેર શા માટે થયા છે તેનાં કારણે પૂછતાં એક તદ્દન નવીન આકારમાં હકીકત રજૂ કરે છે. જે તેઓ પોતાની અને શુદ્ધ ચેતનાની વચ્ચેના નજીવા તફાવત ઉપર મક્કમ રહી પિતા ઉપર ગુસ્સે થયા હોય તે તેમ ન કરવા વિજ્ઞપ્તિ કરે છે. આ ભાવ કવિની પ્રતિભાશક્તિ બતાવે છે. સુમતિ અને શુદ્ધ ચેતના વચ્ચેનો તફાવત એટલે સૂક્ષ્મ અને એટલી આગળ વધેલી સાધકદશામાં પ્રાપ્ત થાય છે કે તેને લઈને ચેતનજી સુમતિ તરફ પરાડમુખ રહેતા હોય એમ ઘારી લઈ તેને તેમ નહિ કરવા વિજ્ઞપ્તિ કરવી, માયા મમતાને સંગ મૂકી દેવા સમજાવવું એ ચેતનજીની વર્તમાન વિભાવદશા તરફ એ આડકતરે ફટકે મારનાર છે અને ચેતનજીને તેથી એવી વિદ્વત્તાભરી રીતે મૂર્ખ બનાવે છે કે એનું રહસ્ય સમજ્યા પછી મનમાં એક પ્રકારનો આનંદ આવે છે.
આખા પદને ભાવાર્થ એ છે કે ચેતનજીએ સ્વભાવદશા અને વિભાવદશાનું સ્વરૂપ વિચારી, બન્નેને વાસ્તવિક રંગ કેવો છે તેને ખાસ નિર્ણય કરી, જેથી પિતાનું તત્વતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org