SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીસમું પદ ૩૪૫ વિચારમાં લેતા નથી, ગ્રાહ્યમાં પણ લેતા નથી, એમાં આપની મોટી ભૂલ થાય છે. આપ ન કરવા યોગ્ય કરે છે, ન જવા યોગ્ય સ્થાનકે ભટકે છે અને આપના શુદ્ધ પ્રેમીને તિરસ્કારો છે. હે નાથ! હવે તે મારી વિજ્ઞપ્તિ છે કે–તમે તમારી શુદ્ધ દશામાં જેવા છો તેવા પ્રગટ થાઓ અને મને પણ તેવી કરો. હે આનંદઘન નાથ ! મને હવે આપના શુદ્ધ સ્વરૂપમાં સમાવી દે. આપ હાલ કઠેર થયા છે તેથી મને બહુ ખેદ થાય છે. હું મન વચન કાયાથી આપની જ છું, આપની સર્વ રીતિ ગ્રહણ કરવાવાળી છું અને ગ્રહણ કરવા તૈયાર છું. આ પ્રમાણે અર્થ કર્યો છે તે વિચારવા યોગ્ય છે. આખા પદને આશય તે બને અર્થમાં એક જ આવે છે કે ચેતનજીએ માયા મમતાને પ્રસંગ મૂકી શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા ઉધમ કરે તે સર્વ પ્રકારે ઈચ્છવા યોગ્ય છે, પણ તેની દલીલે જૂદા જૂદા દષ્ટિબિંદુથી થાય છે. ટબાકારે જે અર્થ લખે છે તે પણ સમજવા યોગ્ય છે. “હે ચેતન! તમે શા ઉપર અટકી જાઓ છો (અથવા અવગુણ માને છે), પાડાથી પાણી લાવીએ. હે આનંદઘન! ગુણ અવગુણને વિચાર ન કરે અને તમે જેવા છો તેવી મને કરે.” ભાવ–હે ચેતનજી! મારા પતિ ! મારા શિરછત્ર મુકુટમણિ પ્રિય પ્રાણુનાથ ! હું તમારા તરફ આટલે પ્રેમ રાખું છું, તમારા તરફ આકર્ષાઈને ચાલી આવું છું અને તમે આટલા બધા મારા તરફ કઠેર કેમ થઈ ગયા છે ? તમે મારી પાસે આવતા અટકી કેમ જાઓ છો? હે મારા પ્રભુ! મેં તે તમારું કાંઈ બગાડ્યું નથી અને તમે મારો અવગુણ શા કારણે માને છે ? હું આપની પાસે જેટલી વાત કહું છું તેટલી આપણું બન્નેના હિતની અને ખાસ કરીને તમારા લાભની કહું છું તે શિખામણની વાત સાંભળવાને બદલે તમે મારા સામું આવી વક દષ્ટિએ શા માટે જુઓ છો ? આપનું શુભ ઈરછવા અંગે મારી તરફ પ્રેમ બતાવવાને બદલે તમે મારાથી એહ્યા શા માટે જાઓ છો? એટલે મારા તરફ ગુસ્સાની નજરે શા માટે જુઓ છો? પખાલના પાણીનું વહન સાધારણ રીતે બળદથી થાય છે, પણ કઈ વખત બળદ હાજર ન હોય તો પાડાથી પણ કરવામાં આવે (ઘણી જગ્યાએ બળદને બદલે પાડા ઉપર ૫ખાલનું પાણી લાવવાનો રિવાજ છે.) એટલે આપને પ્રેમ શુદ્ધ ચેતના તરફ થતો હોય તો તમને તે બહુ આગળ વધેલી સ્થિતિમાં પ્રાપ્ત થાય તેમ છે અને મારે અને તમારો સંબંધ તે દશમા ગુણસ્થાનક સુધી જ રહેવાનું છે તેથી તમે મારા તરફ પ્રેમ બતાવતા ન હો તે હે નાથ ! એમાં આપ યોગ્ય કરતા નથી. એ તો કઈ વખત શુદ્ધ એડી=અટકી, અવગુણ માને છે. જાનને બદલે આ અર્થમાં જાવ એવો પાઠ છે, કહાપર શા ઉપર. એતો=આટલા. નીર=પાણી. નિવડીએ લાવીએ. ભસેકપાડાથી. તૈસી–તેવી. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy