SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી આનંદઘનજીનાં પડે *ऐठी जान कहापर एती, नीर +निवहिये भैंसे; गुन अवगुन xन विचारो आनंदघन, कीजियें तुम हो तैसे. पीया तुम० ३ “એને જગને એઠવાડ જાણે, શા ઉપર એટલી બધી (મમતા તેના પર રાખો છે?) (તેમ કરીને તમે) ભેંસવડે પાણી વહે છે. હે આનંદઘન પ્રભુ ! ગુણ અવગુણુને વિચાર નથી કરતા, તમે જેવા (શુદ્ધ સ્વરૂપે) છે તેવી મને કરે.” ભાવ–આ ગાથાને અર્થે કરવામાં ઘણી મુશ્કેલી પડી છે. પ્રથમ અર્થ પં. શ્રી ગંભીરવિજ્યજીએ બતાવ્યું તે પ્રમાણે લખું છું. ટબાકારને અર્થ ત્યાર પછી આપવામાં આવશે. આ બન્ને અર્થ વિચાર કરવા માટે રજૂ કર્યા છે. કેઈ નવીન અર્થને ઝળકાટ વાંચનારને થાય તે જણાવવા વિજ્ઞપ્તિ છે. સુમતિ ચેતનજીને હવે કહે છે કે-હે નાથ ! આ માયા મમતા-ભગદશા એ તે જગતને એઠવાડ છે, કચરો છે, ઉકરડે નાખવા ગ્ય છે. તમારા ભેગની પ્રત્યેક વસ્તુઓનું પૃથક્કરણ કરી લેશો તમને જ જણાશે કે એ વસ્તુઓ અનેક પ્રાણીઓ અનંતી વાર ભેગવી છે, તમારી માયા મમતા સ્ત્રીઓ પ્રત્યેકને ઘરે રખડે છે અને પિતાને ઘરે આવનાર દરેક સાથે વિલાસ કરે છે-આવા જગતના એઠવાડ ઉપર તમારે આવડી બધી પ્રીતિ શી? એવા એઠવાડને તો ઉકરડે નાખ ઘટે, તે તો ગટરમાં ફેંકી દેવા યોગ્ય ગણાય, તેને બદલે તમે તેને ચાટતા જાઓ છે, ઉલટી (વમન) કરીને ફેંકી દેવા ગ્ય વસ્તુને તમે ચુંબન કરો છો! માંસગ્રંથિઓને હાથમાં લઈને તેમાં મેહ પામે છે! કફ મળ મૂત્રના ભંડારને આલિંગન કરે છે ! અરે ! મારા નાથ! તમે જરા વિચારો તે ખરા કે તમે કયે રસ્તે ઉતરી ગયા છે ! ખરેખર તમારા જેવા શુદ્ધ નિરંજન નિલેપ ચિદાનંદઘન સ્વરૂપી ચેતનજી આવા પદાર્થ પર અને આવી વસ્તુઓ પર પ્રેમ રાખી રહ્યા છે તેથી અત્યારની તમારી સ્થિતિ જોતાં મારે કહેવું જોઈએ કે-તમે એક પખાલીના પાડા છે. અક્કલ વગરના અને યંત્રની જેમ કામ કરનાર પખાલીના પાડામાં જેમ દીર્ઘ દૃષ્ટિ ન હોય તેવા તમે કુસંગતિથી થઈ ગયા છે. એને લઈને પછી ગુણ અવગુણને વિચાર પણ કરતા નથી; તમે જેતા નથી કે માયા મમતાની સાથે રહેવામાં તમને પિતાને કેટલું નુકશાન થાય છે અને સુમતિ સાથે-મારી સાથે રહેવામાં કેટલે લાભ થાય છે. આ સર્વ હકીકત આપ * “ઐઠી જાન કહાપર એતી ” એ પંક્તિમાં બહુ પાઠાંતરે છે. જાન બદલે યાન છે. “ઓછી જાતિ કહાપર એતી ” એવો પણ પાઠ છે. + નિવહિયેને બદલે “નવહિયે” એ પાઠ એક મતમાં છે. * f ન અને હો ત્રીજી તથા ચોથી પંક્તિમાં અનુક્રમે આવે છે તે કેટલીક પ્રતમાં મૂકી દીધા છે. ૩. ઐઠી એઠવાડ, કચરો. જાન જાણે. કહાપર શા માટે. એની એટલી બધી. નીર=પાણી. નિવહિયે=નિરવહીએ, વહન કરીએ. ભેંસે ભેંસવડે. કીજિયે કરીએ. તૈસે તેવી. Jain Education International Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy